AAPના ઉમેદવાર કંચન ઝરીવાલા પરિવાર સહિત ગુમ થતા હડકંપ, ભાજપ પર અપહરણનો આરોપ


  • Published By :
  • Published Date : 2022-11-16 12:38:30

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે થોડા દિવસો રહ્યા છે, ત્યારે રાજકારણ જોર પર છે. હવે સુરતમાં AAPના ઉમેદવાર પરિવાર સહિત ગુમ થયા હોવાનો સમાચાર બહાર આવતા સમગ્ર શહેરમાં હડકંપ મચી ગયો છે. AAPના નેતા ઈસુદાન ગઢવીએ પણ આ ઘટના અંગે ટ્વીટ કર્યું છે અને આ ષડયંત્ર પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે.


ઈસુદાન ગઢવીના ભાજપ પર આકરા પ્રહારો


સુરતમાં આપનો ઉમેદવાર પરિવાર સાથે ગુમ થયો તેને લઈ ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને કહ્યું કે, ભાજપ ‘AAP’થી એટલા ડરી ગઈ છે કે ગુંડાગર્દી પર આવી ગઈ છે. સુરત ઈસ્ટથી ચૂંટણી લડી રહેલા અમારા કંચન ઝરીવાલા પાછળ ભાજપના લોકો છેલ્લા કેટલાક દિવસોથી પાછળ પડ્યા હતા અને આજે તેઓ શહેરમાંથી ગુમ થયા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપના ગુંડાઓ તેમને ઉઠાવીને લઈ ગયા છે. તેમનો પરિવાર પણ ગાયબ છે. ભાજપ હજુ કેટલે નીચે જશે?


AAPના ઉમેદવાર કંચન ઝરીવાલા ગાયબ


સુરત પૂર્વ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન ઝરીવાલા ગુમ થયા તેને લઈ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, અમારા ઉમેદવાર કંચન ઝરીવાલાને ગઈ કાલ સવારથી ભાજપના લોકોએ કિડનેપ કરી લીધા છે. ભાજપ ગુજરાતમાં ભાજપ એટલું ડરી ગયું છે કે AAPના ઉમેદવારનું અપહરણ કરી રહ્યા છે. કાલ સવારથી તેમને ભાજપના લોકો દ્વારા તેમને ફોર્મ પાછું ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. કંચન ઝરીવાલા અને તેમના પરિવારે વાત ન માની તો ભાજપના લોકોએ તેમને પોતાની કસ્ટડીમાં લઈને રિટર્નિંગ ઓફિસરની ઓફિસે ફોર્મ પાછું ખેંચાવા લઈ ગયા. બપોરે 1 વાગ્યાથી કંચન ઝરીવાલાનો ફોન બંધ છે. તેમનું લોકેશન કોઈને ખબર નથી અને ભાજપના ગુંડાઓએ અમારા ઉમેદવારને કિડનેપ કરી લીધા. તેમના પર શારીરિક-માનસિક દરેક રીતે પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે.


સિસોદિયાએ લગાવ્યો મોટો આરોપ


AAP નેતા મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો છે કે ભાજપના લોકોએ સુરત (પૂર્વ)ના અમારા ઉમેદવાર કંચન ઝરીવાલાને અપહરણ કર્યું છે. તે ગઈકાલે આરઓ ઓફિસમાં છેલ્લે જોવા મળ્યો હતો.


સિસોદિયાએ મીડિયાને કહ્યું કે ભાજપ AAP ઉમેદવારનું નામાંકન નકારી કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે. બાદમાં તેઓએ અમારા ઉમેદવાર પર ઉમેદવારી પાછી ખેંચવા દબાણ કર્યું. આ દરમિયાન સિસોદિયાએ ચૂંટણી પંચ પર પણ નિશાન સાધ્યું હતું. સિસોદિયાએ કહ્યું, જે પણ થઈ રહ્યું છે તે ચૂંટણી પંચ પર સવાલો ઉભા કરે છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.