AAPના ઉમેદવાર કંચન ઝરીવાલા પરિવાર સહિત ગુમ થતા હડકંપ, ભાજપ પર અપહરણનો આરોપ


  • Published By :
  • Published Date : 2022-11-16 12:38:30

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે થોડા દિવસો રહ્યા છે, ત્યારે રાજકારણ જોર પર છે. હવે સુરતમાં AAPના ઉમેદવાર પરિવાર સહિત ગુમ થયા હોવાનો સમાચાર બહાર આવતા સમગ્ર શહેરમાં હડકંપ મચી ગયો છે. AAPના નેતા ઈસુદાન ગઢવીએ પણ આ ઘટના અંગે ટ્વીટ કર્યું છે અને આ ષડયંત્ર પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે.


ઈસુદાન ગઢવીના ભાજપ પર આકરા પ્રહારો


સુરતમાં આપનો ઉમેદવાર પરિવાર સાથે ગુમ થયો તેને લઈ ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને કહ્યું કે, ભાજપ ‘AAP’થી એટલા ડરી ગઈ છે કે ગુંડાગર્દી પર આવી ગઈ છે. સુરત ઈસ્ટથી ચૂંટણી લડી રહેલા અમારા કંચન ઝરીવાલા પાછળ ભાજપના લોકો છેલ્લા કેટલાક દિવસોથી પાછળ પડ્યા હતા અને આજે તેઓ શહેરમાંથી ગુમ થયા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપના ગુંડાઓ તેમને ઉઠાવીને લઈ ગયા છે. તેમનો પરિવાર પણ ગાયબ છે. ભાજપ હજુ કેટલે નીચે જશે?


AAPના ઉમેદવાર કંચન ઝરીવાલા ગાયબ


સુરત પૂર્વ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન ઝરીવાલા ગુમ થયા તેને લઈ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, અમારા ઉમેદવાર કંચન ઝરીવાલાને ગઈ કાલ સવારથી ભાજપના લોકોએ કિડનેપ કરી લીધા છે. ભાજપ ગુજરાતમાં ભાજપ એટલું ડરી ગયું છે કે AAPના ઉમેદવારનું અપહરણ કરી રહ્યા છે. કાલ સવારથી તેમને ભાજપના લોકો દ્વારા તેમને ફોર્મ પાછું ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. કંચન ઝરીવાલા અને તેમના પરિવારે વાત ન માની તો ભાજપના લોકોએ તેમને પોતાની કસ્ટડીમાં લઈને રિટર્નિંગ ઓફિસરની ઓફિસે ફોર્મ પાછું ખેંચાવા લઈ ગયા. બપોરે 1 વાગ્યાથી કંચન ઝરીવાલાનો ફોન બંધ છે. તેમનું લોકેશન કોઈને ખબર નથી અને ભાજપના ગુંડાઓએ અમારા ઉમેદવારને કિડનેપ કરી લીધા. તેમના પર શારીરિક-માનસિક દરેક રીતે પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે.


સિસોદિયાએ લગાવ્યો મોટો આરોપ


AAP નેતા મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો છે કે ભાજપના લોકોએ સુરત (પૂર્વ)ના અમારા ઉમેદવાર કંચન ઝરીવાલાને અપહરણ કર્યું છે. તે ગઈકાલે આરઓ ઓફિસમાં છેલ્લે જોવા મળ્યો હતો.


સિસોદિયાએ મીડિયાને કહ્યું કે ભાજપ AAP ઉમેદવારનું નામાંકન નકારી કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે. બાદમાં તેઓએ અમારા ઉમેદવાર પર ઉમેદવારી પાછી ખેંચવા દબાણ કર્યું. આ દરમિયાન સિસોદિયાએ ચૂંટણી પંચ પર પણ નિશાન સાધ્યું હતું. સિસોદિયાએ કહ્યું, જે પણ થઈ રહ્યું છે તે ચૂંટણી પંચ પર સવાલો ઉભા કરે છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.