Bhupat Bhayani બાદ AAPનાં નેતા Bharat Rathvaએ AAPને અલવિદા કહ્યું, Kuber Dindorએ ભાજપમાં તેમનું કર્યું સ્વાગત


  • Published By :
  • Published Date : 2023-12-15 11:40:14

આમ આદમી પાર્ટી છેલ્લા બે દિવસથી ચર્ચામાં છે. બે દિવસ પહેલા વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું. એવી અટકળો ચાલી રહી હતી કે તે ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે તેવી વાતો ચાલી રહી હતી પરંતુ આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ભરત રાઠવાએ આપનો છેડો ફાડીને કેસરિયો ધારણ કરી લીધો છે. આપમાંથી રાજીનામું આપી કુબેર ડિંડોરની હાજરીમાં ભરત રાઠવા ભાજપમાં જોડાયા.     

કુબેર ડિંડોરની હાજરીમાં ભરત રાઠવાએ કેસરિયો ધારણ કર્યો 

ભૂપત ભાયાણીની ચર્ચાઓ ચાલી રહી હતી કે તે ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી શકે છે. પોતાના ધારાસભ્ય પદ ઉપરથી તેમણે રાજીનામું આપી દીધું. એક તરફ ચર્ચાઓ ચાલી રહી હતી ભાયાણી ભાજપમાં જોડાશે પરંતુ હાલોલ વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરત રાઠવા તો તેમનાથી પણ ઝડ્પી નીકળ્યા! આપમાંથી રાજીનામું આપી તે ભાજપમાં જોડાઈ ગયા. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે તેમનું ભાજપમાં સ્વાગત કર્યું.  

ભૂપત ભાયાણીએ પદ ઉપરથી આપ્યું હતું રાજીનામું

લોકસભા ચૂંટણી પહેલા આપમાં ભંગાણ થઈ રહ્યું છે. એક બાદ એક નેતાઓ આપને અલવિદા કહી રહ્યા છે. ગુજરાત વિધાનસભામાં પાંચ ધારાસભ્યો આપના હતા પરંતુ ભૂપત ભાયાણીએ આપમાંથી રાજીનામું આપ્યું. તે બાદ ભરત રાઠવાએ રાજીનામું આપી દીધું. રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે.  ગુજરાત સરકારના  કેબીનેટ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે ઘોઘંબાના ઝોઝ મુકામે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભરત રાઠવાએ 2022ની હાલોલ વિધાનસભા બેઠક પર 23800 મત મેળવ્યા હતા.    

ઉમેદવાર પસંદ કરવામાં અમે થાપ ખઈ ગયા - આપ

આપને અલવિદા કહેનાર ભૂપત ભયણીની વાત કરીએ તો ભૂપતભાઈએ તો ધારાસભ્ય બન્યાના એક મહિનાની અંદર જ એંધાણ આપી દીધા હતા કે એ ભાજપમાં જવા માંગે છે. પછી 13 ડિસેમ્બરે તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું. ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રિબડિયા સામે 7 હજાર 63મતે ચૂંટણી જીતી હતી. ભૂપત ભાયાણી બે વર્ષ અગાઉ ભાજપ છોડી આપમાં આવ્યા હતા. પછી રાજીનામું આપતા એમને યાદ આવ્યું કે એમણે ખોટી પાર્ટી પસંદ કરી છે તો આપને સમજાયું કે ઉમેદવાર પસંદ કરવામાં તે થાપ ખાઈ ગયા.  




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .