Bhupat Bhayani બાદ AAPનાં નેતા Bharat Rathvaએ AAPને અલવિદા કહ્યું, Kuber Dindorએ ભાજપમાં તેમનું કર્યું સ્વાગત


  • Published By :
  • Published Date : 2023-12-15 11:40:14

આમ આદમી પાર્ટી છેલ્લા બે દિવસથી ચર્ચામાં છે. બે દિવસ પહેલા વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું. એવી અટકળો ચાલી રહી હતી કે તે ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે તેવી વાતો ચાલી રહી હતી પરંતુ આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ભરત રાઠવાએ આપનો છેડો ફાડીને કેસરિયો ધારણ કરી લીધો છે. આપમાંથી રાજીનામું આપી કુબેર ડિંડોરની હાજરીમાં ભરત રાઠવા ભાજપમાં જોડાયા.     

કુબેર ડિંડોરની હાજરીમાં ભરત રાઠવાએ કેસરિયો ધારણ કર્યો 

ભૂપત ભાયાણીની ચર્ચાઓ ચાલી રહી હતી કે તે ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી શકે છે. પોતાના ધારાસભ્ય પદ ઉપરથી તેમણે રાજીનામું આપી દીધું. એક તરફ ચર્ચાઓ ચાલી રહી હતી ભાયાણી ભાજપમાં જોડાશે પરંતુ હાલોલ વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરત રાઠવા તો તેમનાથી પણ ઝડ્પી નીકળ્યા! આપમાંથી રાજીનામું આપી તે ભાજપમાં જોડાઈ ગયા. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે તેમનું ભાજપમાં સ્વાગત કર્યું.  

ભૂપત ભાયાણીએ પદ ઉપરથી આપ્યું હતું રાજીનામું

લોકસભા ચૂંટણી પહેલા આપમાં ભંગાણ થઈ રહ્યું છે. એક બાદ એક નેતાઓ આપને અલવિદા કહી રહ્યા છે. ગુજરાત વિધાનસભામાં પાંચ ધારાસભ્યો આપના હતા પરંતુ ભૂપત ભાયાણીએ આપમાંથી રાજીનામું આપ્યું. તે બાદ ભરત રાઠવાએ રાજીનામું આપી દીધું. રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે.  ગુજરાત સરકારના  કેબીનેટ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે ઘોઘંબાના ઝોઝ મુકામે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભરત રાઠવાએ 2022ની હાલોલ વિધાનસભા બેઠક પર 23800 મત મેળવ્યા હતા.    

ઉમેદવાર પસંદ કરવામાં અમે થાપ ખઈ ગયા - આપ

આપને અલવિદા કહેનાર ભૂપત ભયણીની વાત કરીએ તો ભૂપતભાઈએ તો ધારાસભ્ય બન્યાના એક મહિનાની અંદર જ એંધાણ આપી દીધા હતા કે એ ભાજપમાં જવા માંગે છે. પછી 13 ડિસેમ્બરે તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું. ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રિબડિયા સામે 7 હજાર 63મતે ચૂંટણી જીતી હતી. ભૂપત ભાયાણી બે વર્ષ અગાઉ ભાજપ છોડી આપમાં આવ્યા હતા. પછી રાજીનામું આપતા એમને યાદ આવ્યું કે એમણે ખોટી પાર્ટી પસંદ કરી છે તો આપને સમજાયું કે ઉમેદવાર પસંદ કરવામાં તે થાપ ખાઈ ગયા.  




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી