Bhupat Bhayani બાદ AAPનાં નેતા Bharat Rathvaએ AAPને અલવિદા કહ્યું, Kuber Dindorએ ભાજપમાં તેમનું કર્યું સ્વાગત


  • Published By :
  • Published Date : 2023-12-15 11:40:14

આમ આદમી પાર્ટી છેલ્લા બે દિવસથી ચર્ચામાં છે. બે દિવસ પહેલા વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું. એવી અટકળો ચાલી રહી હતી કે તે ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે તેવી વાતો ચાલી રહી હતી પરંતુ આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ભરત રાઠવાએ આપનો છેડો ફાડીને કેસરિયો ધારણ કરી લીધો છે. આપમાંથી રાજીનામું આપી કુબેર ડિંડોરની હાજરીમાં ભરત રાઠવા ભાજપમાં જોડાયા.     

કુબેર ડિંડોરની હાજરીમાં ભરત રાઠવાએ કેસરિયો ધારણ કર્યો 

ભૂપત ભાયાણીની ચર્ચાઓ ચાલી રહી હતી કે તે ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી શકે છે. પોતાના ધારાસભ્ય પદ ઉપરથી તેમણે રાજીનામું આપી દીધું. એક તરફ ચર્ચાઓ ચાલી રહી હતી ભાયાણી ભાજપમાં જોડાશે પરંતુ હાલોલ વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરત રાઠવા તો તેમનાથી પણ ઝડ્પી નીકળ્યા! આપમાંથી રાજીનામું આપી તે ભાજપમાં જોડાઈ ગયા. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે તેમનું ભાજપમાં સ્વાગત કર્યું.  

ભૂપત ભાયાણીએ પદ ઉપરથી આપ્યું હતું રાજીનામું

લોકસભા ચૂંટણી પહેલા આપમાં ભંગાણ થઈ રહ્યું છે. એક બાદ એક નેતાઓ આપને અલવિદા કહી રહ્યા છે. ગુજરાત વિધાનસભામાં પાંચ ધારાસભ્યો આપના હતા પરંતુ ભૂપત ભાયાણીએ આપમાંથી રાજીનામું આપ્યું. તે બાદ ભરત રાઠવાએ રાજીનામું આપી દીધું. રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે.  ગુજરાત સરકારના  કેબીનેટ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે ઘોઘંબાના ઝોઝ મુકામે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભરત રાઠવાએ 2022ની હાલોલ વિધાનસભા બેઠક પર 23800 મત મેળવ્યા હતા.    

ઉમેદવાર પસંદ કરવામાં અમે થાપ ખઈ ગયા - આપ

આપને અલવિદા કહેનાર ભૂપત ભયણીની વાત કરીએ તો ભૂપતભાઈએ તો ધારાસભ્ય બન્યાના એક મહિનાની અંદર જ એંધાણ આપી દીધા હતા કે એ ભાજપમાં જવા માંગે છે. પછી 13 ડિસેમ્બરે તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું. ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રિબડિયા સામે 7 હજાર 63મતે ચૂંટણી જીતી હતી. ભૂપત ભાયાણી બે વર્ષ અગાઉ ભાજપ છોડી આપમાં આવ્યા હતા. પછી રાજીનામું આપતા એમને યાદ આવ્યું કે એમણે ખોટી પાર્ટી પસંદ કરી છે તો આપને સમજાયું કે ઉમેદવાર પસંદ કરવામાં તે થાપ ખાઈ ગયા.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.