Suratમાં બનેલી ઘટનાને લઈ AAP નેતા Gopal Italiaએ નિલેશ કુંભાણી, ભાજપ પર કર્યા પ્રહાર! કહ્યું ચૂંટણી પ્રક્રિયાને મજાક બનાવામાં આવી, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-24 12:54:13

ગુજરાતમાં 26 લોકસભા બેઠકો માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. ગઠબંધન થયું ત્યારે બંને પાર્ટીએ વિચાર્યું હશે કે આનાથી બંને પાર્ટીને ફાયદો થશે... પરંતુ સુરતમાં જે બન્યું તે આપણી સામે છે. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જીતી ગયા અને સુરતના તે સાંસદ બની ગયા.. આ ઘટના બની તે બાદથી કોંગ્રેસના ઉમેદવાર ગાયબ છે... આ બધા વચ્ચે આ સમગ્ર ઘટનાને લઈ જમાવટની ટીમે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા સાથે વાતચીત કરી હતી... 

સુરતના ઉમેદવારના પ્રચારમાં દેખાયા હતા ગોપાલ ઈટાલીયા

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થયેલા ગઠબંધન અંતર્ગત અનેક વખત પ્રચાર દરમિયાન આપ અને કોંગ્રેસના નેતાઓ એકસાથે જોવા મળતા હોય છે... ચૈતર વસાવા જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે શક્તિસિંહ ગોહિલ હાજર હતા જ્યારે પરેશ ધાનાણી ફોર્મ ભરવા ગયા ત્યારે ઈસુદાન ગઢવી સહિત આપના નેતાઓ જોવા મળ્યા હતા.. સુરત ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણીના પ્રચારમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા થોડા સમય પહેલા જોવા મળ્યા હતા.. 


સુરતમાં જે બન્યું એના વિરૂદ્ધ પગલા કોણ લેશે? - ગોપાલ ઈટાલિયા 

ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અન્યાયમાં સાથીદાર છે કે નહીં એવો સવાલ જ્યારે ગોપાલ ઈટાલિયાને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે સુરતના ઉમેદવારને આ કૃત્યમાં જવાબદાર માન્યા હતા.. અન્યાયમાં તે વ્યક્તિ સહભાગી છે જ તેવી વાત ગોપાલ ઈટાલિયાએ કરી છે.. અન્યાયની તપાસ કોણ કરશે તે સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો... આખું ચિત્ર સામે આવી ગયું છે, ગુનાહિત કૃત્ય થયું છે. ચૂંટણી પ્રક્રિયાને મજાક બનાવામાં આવી છે... લોકશાહીની મજાક બનાવવામાં આવી છે તેવી વાત ગોપાલ ઈટાલિયા દ્વારા કરવામાં આવી છે... અને પગલા કોણ લેશે તે સવાલ પણ તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.. સરકારી તંત્ર પર પણ તેમણે સવાલો ઉઠાવ્યા છે..


પરષોત્તમ રૂપાલાના ફોર્મમાં નીકળેલી ભૂલનો કર્યો ઉલ્લેખ!

ઉમેદવારના નામની જાહેરાત જ્યારે કરવામાં આવી ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાઈકમાન્ડને ચેતવ્યા હતા. જો કોંગ્રેસ દ્વારા ઉમેદવારનું બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવ્યું હોત તો કદાચ આવું ના થાત. આ પ્રકારનો સવાલ જ્યારે ગોપાલ ઈટાલિયાને પૂછવામાં આવ્યો ત્યારે તેનો જવાબ ગોપાલ ઈટાલિયાએ આપ્યો હતો...જવાબમાં ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે નાની નાની વાતની કાળજી રાખવી એ રાજકીય પક્ષની જવાબદારી છે.. તે ઉપરાંત ભાજપ પર પણ તેમણે પ્રહાર કર્યા. પરષોત્તમ રૂપાલાના ફોર્મમાં પડેલા વાંધાને શું કામ ધ્યાને ના લેવામાં આવ્યા? વધુમાં તેમણે કહ્યું કે ભાજપ સત્તામાં છે એટલા માટે તેમની ભૂલો દેખાતી નથી.. 


સુરત ક્રાઈમ બ્રાન્ચની કામગીરી પર પણ ઉઠાવ્યા સવાલ! 

નિલેશ કુંભાણી વિશે પણ ગોપાલ ઈટાલિયાએ વાત કરી હતી.. નિલેશ કુંભાણીએ પોલીસ સ્ટેશનમાં તેમજ ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી કે તેમના ટેકેદારોનું અપહરણ થઈ ગયું છે.. હવે આ ફરિયાદ સાચી છે કે ખોટી એની તપાસ કોણ કરશે? જો નિલેશ કુંભાણી દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવી છે તો તેમના વિરૂદ્ધ પગલા કેમ ના લેવામાં આવ્યા તે સવાલ ગોપાલ ઈટાલિયા દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. અને જો ફરિયાદ સાચી હોત તો જેમણે અપહરણ કર્યું છે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવાની જરૂર હતી.. સુરત ક્રાઈમ બ્રાન્ચને લઈને પણ તેમણે સવાલ કર્યો હતો.. 


ગુજરાતના પરિણામોને લઈ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે....  

જ્યારે ગોપાલ ઈટાલિયાને સવાલ પૂછવામાં આવ્યો કે આવા સ્ટંટ વારંવાર કેમ સુરતથી જ સામે આવતા હોય છે તો તેમણે જવાબમાં સી.આર,પાટીલ, હર્ષ સંઘવીના નામનો ઉલ્લેખ કર્યો... તે ઉપરાંત આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને લઈને પણ સવાલ પૂછવામાં આવ્યો. ગુજરાતની 26 લોકસભા બેઠકને લઈ શું અપેક્ષા છે તેને લઈને પણ ગોપાલ ઈટાલિયાને સવાલ પૂછવામાં આવ્યો.. ભરૂચ અને ભાવનગર સહિતની બેઠકોને લઈ આશા છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી.. અનેક બેઠકો પર માઈક્રોલેવલ પર કામ થઈ રહ્યું છે....  ભાજપના હારની શરૂઆત ગુજરાતથી થશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે... 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.