Suratમાં બનેલી ઘટનાને લઈ AAP નેતા Gopal Italiaએ નિલેશ કુંભાણી, ભાજપ પર કર્યા પ્રહાર! કહ્યું ચૂંટણી પ્રક્રિયાને મજાક બનાવામાં આવી, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-24 12:54:13

ગુજરાતમાં 26 લોકસભા બેઠકો માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. ગઠબંધન થયું ત્યારે બંને પાર્ટીએ વિચાર્યું હશે કે આનાથી બંને પાર્ટીને ફાયદો થશે... પરંતુ સુરતમાં જે બન્યું તે આપણી સામે છે. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જીતી ગયા અને સુરતના તે સાંસદ બની ગયા.. આ ઘટના બની તે બાદથી કોંગ્રેસના ઉમેદવાર ગાયબ છે... આ બધા વચ્ચે આ સમગ્ર ઘટનાને લઈ જમાવટની ટીમે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા સાથે વાતચીત કરી હતી... 

સુરતના ઉમેદવારના પ્રચારમાં દેખાયા હતા ગોપાલ ઈટાલીયા

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થયેલા ગઠબંધન અંતર્ગત અનેક વખત પ્રચાર દરમિયાન આપ અને કોંગ્રેસના નેતાઓ એકસાથે જોવા મળતા હોય છે... ચૈતર વસાવા જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે શક્તિસિંહ ગોહિલ હાજર હતા જ્યારે પરેશ ધાનાણી ફોર્મ ભરવા ગયા ત્યારે ઈસુદાન ગઢવી સહિત આપના નેતાઓ જોવા મળ્યા હતા.. સુરત ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણીના પ્રચારમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા થોડા સમય પહેલા જોવા મળ્યા હતા.. 


સુરતમાં જે બન્યું એના વિરૂદ્ધ પગલા કોણ લેશે? - ગોપાલ ઈટાલિયા 

ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અન્યાયમાં સાથીદાર છે કે નહીં એવો સવાલ જ્યારે ગોપાલ ઈટાલિયાને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે સુરતના ઉમેદવારને આ કૃત્યમાં જવાબદાર માન્યા હતા.. અન્યાયમાં તે વ્યક્તિ સહભાગી છે જ તેવી વાત ગોપાલ ઈટાલિયાએ કરી છે.. અન્યાયની તપાસ કોણ કરશે તે સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો... આખું ચિત્ર સામે આવી ગયું છે, ગુનાહિત કૃત્ય થયું છે. ચૂંટણી પ્રક્રિયાને મજાક બનાવામાં આવી છે... લોકશાહીની મજાક બનાવવામાં આવી છે તેવી વાત ગોપાલ ઈટાલિયા દ્વારા કરવામાં આવી છે... અને પગલા કોણ લેશે તે સવાલ પણ તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.. સરકારી તંત્ર પર પણ તેમણે સવાલો ઉઠાવ્યા છે..


પરષોત્તમ રૂપાલાના ફોર્મમાં નીકળેલી ભૂલનો કર્યો ઉલ્લેખ!

ઉમેદવારના નામની જાહેરાત જ્યારે કરવામાં આવી ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાઈકમાન્ડને ચેતવ્યા હતા. જો કોંગ્રેસ દ્વારા ઉમેદવારનું બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવ્યું હોત તો કદાચ આવું ના થાત. આ પ્રકારનો સવાલ જ્યારે ગોપાલ ઈટાલિયાને પૂછવામાં આવ્યો ત્યારે તેનો જવાબ ગોપાલ ઈટાલિયાએ આપ્યો હતો...જવાબમાં ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે નાની નાની વાતની કાળજી રાખવી એ રાજકીય પક્ષની જવાબદારી છે.. તે ઉપરાંત ભાજપ પર પણ તેમણે પ્રહાર કર્યા. પરષોત્તમ રૂપાલાના ફોર્મમાં પડેલા વાંધાને શું કામ ધ્યાને ના લેવામાં આવ્યા? વધુમાં તેમણે કહ્યું કે ભાજપ સત્તામાં છે એટલા માટે તેમની ભૂલો દેખાતી નથી.. 


સુરત ક્રાઈમ બ્રાન્ચની કામગીરી પર પણ ઉઠાવ્યા સવાલ! 

નિલેશ કુંભાણી વિશે પણ ગોપાલ ઈટાલિયાએ વાત કરી હતી.. નિલેશ કુંભાણીએ પોલીસ સ્ટેશનમાં તેમજ ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી કે તેમના ટેકેદારોનું અપહરણ થઈ ગયું છે.. હવે આ ફરિયાદ સાચી છે કે ખોટી એની તપાસ કોણ કરશે? જો નિલેશ કુંભાણી દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવી છે તો તેમના વિરૂદ્ધ પગલા કેમ ના લેવામાં આવ્યા તે સવાલ ગોપાલ ઈટાલિયા દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. અને જો ફરિયાદ સાચી હોત તો જેમણે અપહરણ કર્યું છે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવાની જરૂર હતી.. સુરત ક્રાઈમ બ્રાન્ચને લઈને પણ તેમણે સવાલ કર્યો હતો.. 


ગુજરાતના પરિણામોને લઈ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે....  

જ્યારે ગોપાલ ઈટાલિયાને સવાલ પૂછવામાં આવ્યો કે આવા સ્ટંટ વારંવાર કેમ સુરતથી જ સામે આવતા હોય છે તો તેમણે જવાબમાં સી.આર,પાટીલ, હર્ષ સંઘવીના નામનો ઉલ્લેખ કર્યો... તે ઉપરાંત આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને લઈને પણ સવાલ પૂછવામાં આવ્યો. ગુજરાતની 26 લોકસભા બેઠકને લઈ શું અપેક્ષા છે તેને લઈને પણ ગોપાલ ઈટાલિયાને સવાલ પૂછવામાં આવ્યો.. ભરૂચ અને ભાવનગર સહિતની બેઠકોને લઈ આશા છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી.. અનેક બેઠકો પર માઈક્રોલેવલ પર કામ થઈ રહ્યું છે....  ભાજપના હારની શરૂઆત ગુજરાતથી થશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે... 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.