Amreliમાં AAPના નેતા Kanti Satasiaના દિકરાએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-05-14 11:59:06

ભાજપમાં ભડકાને લઈને અમરેલીની રાજનીતિ ગરમાઈ છે.. અમરેલી ચર્ચામાં છે.. ફરી એકવાર અમરેલી ચર્ચામાં આવ્યું છે... કારણ કે આમ આદમી પાર્ટીના નેતાના દિકરા સામે દુષ્કર્મની એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે... છરીની અણીએ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવાયો છે... 

નેતાના પુત્ર સામે નોંધાઈ ફરિયાદ 

અમરેલી જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અમરેલી જિલ્લાના આમ આદમી પાર્ટીના નેતાના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે દુષ્કર્મમાં મદદગારીના આરોપસર આપ નેતા સામે પણ પોલીસ ફરિયાદ થઈ છે. આરોપ મુજબ, બગસરાની એક યુવતી સાથે આપ નેતાના પુત્રે અલગ અલગ જગ્યાએ અનેક વાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે પોલીસે આમ આદમી પાર્ટી નેતા, તેમના 2 પુત્ર અને પુત્રવધુ સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


કોના વિરૂદ્ધ નોંધવામાં આવી ફરિયાદ? 

અમરેલી જિલ્લામાં ધારી બગસરા વિધાનસભા બેઠકના વર્ષ 2022ના આમ આદમી પાર્ટી ઉમેદવાર કાંતિ સતાસિયાના  પુત્ર હરેશ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે. આરોપ છે કે, બગસરાની એક યુવતી સાથે આપ નેતાના પુત્ર હરેશ સતાસિયાએ બગસરાના જાંજરિયા ગામ સહિત અલગ-અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીની સગાઈ તોડાવીને કારમાં લઈને છરીની અણીએ આપ નેતા પુત્રે દુષ્કર્મ આચર્યું હોવાનો પોલીસ ફરિયાદમાં આક્ષેપ છે. ફરિયાદમાં બગસરા apmc ના પૂર્વ ચેરમેન અને આમ આદમી પાર્ટીના નેતા કાંતિ સતાસિયાના પુત્ર હરેશ સતાસિયાએ  યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો આરોપ છે.


પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી

આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં AAP નેતા કાંતિ સતાસિયા તેમના 2 પુત્ર અને પુત્રવધૂ સામે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી સહિતના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. જો કે, અમરેલી જિલ્લામાં AAP નેતા અને તેના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.....



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.