Amreliમાં AAPના નેતા Kanti Satasiaના દિકરાએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-05-14 11:59:06

ભાજપમાં ભડકાને લઈને અમરેલીની રાજનીતિ ગરમાઈ છે.. અમરેલી ચર્ચામાં છે.. ફરી એકવાર અમરેલી ચર્ચામાં આવ્યું છે... કારણ કે આમ આદમી પાર્ટીના નેતાના દિકરા સામે દુષ્કર્મની એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે... છરીની અણીએ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવાયો છે... 

નેતાના પુત્ર સામે નોંધાઈ ફરિયાદ 

અમરેલી જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અમરેલી જિલ્લાના આમ આદમી પાર્ટીના નેતાના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે દુષ્કર્મમાં મદદગારીના આરોપસર આપ નેતા સામે પણ પોલીસ ફરિયાદ થઈ છે. આરોપ મુજબ, બગસરાની એક યુવતી સાથે આપ નેતાના પુત્રે અલગ અલગ જગ્યાએ અનેક વાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે પોલીસે આમ આદમી પાર્ટી નેતા, તેમના 2 પુત્ર અને પુત્રવધુ સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


કોના વિરૂદ્ધ નોંધવામાં આવી ફરિયાદ? 

અમરેલી જિલ્લામાં ધારી બગસરા વિધાનસભા બેઠકના વર્ષ 2022ના આમ આદમી પાર્ટી ઉમેદવાર કાંતિ સતાસિયાના  પુત્ર હરેશ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે. આરોપ છે કે, બગસરાની એક યુવતી સાથે આપ નેતાના પુત્ર હરેશ સતાસિયાએ બગસરાના જાંજરિયા ગામ સહિત અલગ-અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીની સગાઈ તોડાવીને કારમાં લઈને છરીની અણીએ આપ નેતા પુત્રે દુષ્કર્મ આચર્યું હોવાનો પોલીસ ફરિયાદમાં આક્ષેપ છે. ફરિયાદમાં બગસરા apmc ના પૂર્વ ચેરમેન અને આમ આદમી પાર્ટીના નેતા કાંતિ સતાસિયાના પુત્ર હરેશ સતાસિયાએ  યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો આરોપ છે.


પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી

આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં AAP નેતા કાંતિ સતાસિયા તેમના 2 પુત્ર અને પુત્રવધૂ સામે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી સહિતના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. જો કે, અમરેલી જિલ્લામાં AAP નેતા અને તેના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.....



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે