ખેડૂતોના પ્રશ્નો લઈ AAP નેતા રાજુ કરપડાએ યોજી કિસાન આશીર્વાદ યાત્રા, સરકાર પર કર્યા પ્રહાર...


  • Published By :
  • Published Date : 2024-07-08 16:34:39

જગતના તાતની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે.. આપણે ત્યાં અન્ન પહોંચાડનાર ખેડૂતનો પરિવાર ભૂખ્યો રહે તો હોય છે અનેક વખત.. અનેક વખત ખેડૂતો દેવાદાર થઈ જાય છે, જેને કારણે આત્મહત્યા પણ કરી લેતા હોય છે.. પોષણસમા ભાવ પણ ખેડૂતોને નથી મળતા.. સરકાર સુધી જાણે ખેડૂતોનો અવાજ પહોંચતો જ નથી તેવું લાગે છે.. સરકાર ખેડૂતોનો અવાજ નથી સાંભળતી તો વિપક્ષ ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરે છે. ખેડૂતના પ્રશ્ન માટે અવાજ ઉઠાવે છે.. આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા હવે ખેડૂતોના પ્રશ્નને લઈ મેદાને આવ્યા છે.  

પદયાત્રામાં અનેક નેતાઓ જોડાયા હતા.. 

ખેડૂતોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ખેડૂત નેતા રાજુભાઈ કરપડાએ "કિસાન મજદૂર આશીર્વાદ પદ યાત્રા રાખી હતી. પદયાત્રા મુળી તાલુકાના જસાપર પાટીયાથી માંડવરાયજી દાદાના મંદિર સુધી પહોંચી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને મજદૂરો જોડાયા હતા. ખેડૂતોનો સૌથી જૂનો મુદ્દો એવો ખેડૂતોના દેવા માફીનો જે મુદ્દે રાજુ કરપડાએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા! આ પદયાત્રામાં ગોપાલ ઇટાલીયા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, ખેડૂત નેતા સાગરભાઇ રબારી ધારાસભ્ય હેમંતભાઈ ખવા પણ જોડાયા હતા.  



આર્થિક સંકડામણને કારણે ખેડૂતો કરતા હોય છે આત્મહત્યા

આપણને એ પ્રશ્ન ન થવો જોઈએ કે કૃષિ પ્રધાન દેશના ખેડૂતો જ દેવાદાર હોય અને દુઃખી હોય તો એ દેશનો વિકાસ કઈ રીતે થઈ શકે? ખેડૂતોની સ્થિતિ સુધરે અને એમની સમસ્યાનું નિરાકરણ આવે એ આશા.. દેવાદાર બનવાને કારણે ખેડૂતો પોતાની જીંદગીને ટૂંકાવી દે છે..  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.