ખેડૂતોના પ્રશ્નો લઈ AAP નેતા રાજુ કરપડાએ યોજી કિસાન આશીર્વાદ યાત્રા, સરકાર પર કર્યા પ્રહાર...


  • Published By :
  • Published Date : 2024-07-08 16:34:39

જગતના તાતની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે.. આપણે ત્યાં અન્ન પહોંચાડનાર ખેડૂતનો પરિવાર ભૂખ્યો રહે તો હોય છે અનેક વખત.. અનેક વખત ખેડૂતો દેવાદાર થઈ જાય છે, જેને કારણે આત્મહત્યા પણ કરી લેતા હોય છે.. પોષણસમા ભાવ પણ ખેડૂતોને નથી મળતા.. સરકાર સુધી જાણે ખેડૂતોનો અવાજ પહોંચતો જ નથી તેવું લાગે છે.. સરકાર ખેડૂતોનો અવાજ નથી સાંભળતી તો વિપક્ષ ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરે છે. ખેડૂતના પ્રશ્ન માટે અવાજ ઉઠાવે છે.. આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા હવે ખેડૂતોના પ્રશ્નને લઈ મેદાને આવ્યા છે.  

પદયાત્રામાં અનેક નેતાઓ જોડાયા હતા.. 

ખેડૂતોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ખેડૂત નેતા રાજુભાઈ કરપડાએ "કિસાન મજદૂર આશીર્વાદ પદ યાત્રા રાખી હતી. પદયાત્રા મુળી તાલુકાના જસાપર પાટીયાથી માંડવરાયજી દાદાના મંદિર સુધી પહોંચી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને મજદૂરો જોડાયા હતા. ખેડૂતોનો સૌથી જૂનો મુદ્દો એવો ખેડૂતોના દેવા માફીનો જે મુદ્દે રાજુ કરપડાએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા! આ પદયાત્રામાં ગોપાલ ઇટાલીયા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, ખેડૂત નેતા સાગરભાઇ રબારી ધારાસભ્ય હેમંતભાઈ ખવા પણ જોડાયા હતા.  



આર્થિક સંકડામણને કારણે ખેડૂતો કરતા હોય છે આત્મહત્યા

આપણને એ પ્રશ્ન ન થવો જોઈએ કે કૃષિ પ્રધાન દેશના ખેડૂતો જ દેવાદાર હોય અને દુઃખી હોય તો એ દેશનો વિકાસ કઈ રીતે થઈ શકે? ખેડૂતોની સ્થિતિ સુધરે અને એમની સમસ્યાનું નિરાકરણ આવે એ આશા.. દેવાદાર બનવાને કારણે ખેડૂતો પોતાની જીંદગીને ટૂંકાવી દે છે..  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.