ખેડૂતોના પ્રશ્નો લઈ AAP નેતા રાજુ કરપડાએ યોજી કિસાન આશીર્વાદ યાત્રા, સરકાર પર કર્યા પ્રહાર...


  • Published By :
  • Published Date : 2024-07-08 16:34:39

જગતના તાતની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે.. આપણે ત્યાં અન્ન પહોંચાડનાર ખેડૂતનો પરિવાર ભૂખ્યો રહે તો હોય છે અનેક વખત.. અનેક વખત ખેડૂતો દેવાદાર થઈ જાય છે, જેને કારણે આત્મહત્યા પણ કરી લેતા હોય છે.. પોષણસમા ભાવ પણ ખેડૂતોને નથી મળતા.. સરકાર સુધી જાણે ખેડૂતોનો અવાજ પહોંચતો જ નથી તેવું લાગે છે.. સરકાર ખેડૂતોનો અવાજ નથી સાંભળતી તો વિપક્ષ ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરે છે. ખેડૂતના પ્રશ્ન માટે અવાજ ઉઠાવે છે.. આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા હવે ખેડૂતોના પ્રશ્નને લઈ મેદાને આવ્યા છે.  

પદયાત્રામાં અનેક નેતાઓ જોડાયા હતા.. 

ખેડૂતોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ખેડૂત નેતા રાજુભાઈ કરપડાએ "કિસાન મજદૂર આશીર્વાદ પદ યાત્રા રાખી હતી. પદયાત્રા મુળી તાલુકાના જસાપર પાટીયાથી માંડવરાયજી દાદાના મંદિર સુધી પહોંચી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને મજદૂરો જોડાયા હતા. ખેડૂતોનો સૌથી જૂનો મુદ્દો એવો ખેડૂતોના દેવા માફીનો જે મુદ્દે રાજુ કરપડાએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા! આ પદયાત્રામાં ગોપાલ ઇટાલીયા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, ખેડૂત નેતા સાગરભાઇ રબારી ધારાસભ્ય હેમંતભાઈ ખવા પણ જોડાયા હતા.  



આર્થિક સંકડામણને કારણે ખેડૂતો કરતા હોય છે આત્મહત્યા

આપણને એ પ્રશ્ન ન થવો જોઈએ કે કૃષિ પ્રધાન દેશના ખેડૂતો જ દેવાદાર હોય અને દુઃખી હોય તો એ દેશનો વિકાસ કઈ રીતે થઈ શકે? ખેડૂતોની સ્થિતિ સુધરે અને એમની સમસ્યાનું નિરાકરણ આવે એ આશા.. દેવાદાર બનવાને કારણે ખેડૂતો પોતાની જીંદગીને ટૂંકાવી દે છે..  



હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.

થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી

૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.