ખેડૂતોના પ્રશ્નો લઈ AAP નેતા રાજુ કરપડાએ યોજી કિસાન આશીર્વાદ યાત્રા, સરકાર પર કર્યા પ્રહાર...


  • Published By :
  • Published Date : 2024-07-08 16:34:39

જગતના તાતની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે.. આપણે ત્યાં અન્ન પહોંચાડનાર ખેડૂતનો પરિવાર ભૂખ્યો રહે તો હોય છે અનેક વખત.. અનેક વખત ખેડૂતો દેવાદાર થઈ જાય છે, જેને કારણે આત્મહત્યા પણ કરી લેતા હોય છે.. પોષણસમા ભાવ પણ ખેડૂતોને નથી મળતા.. સરકાર સુધી જાણે ખેડૂતોનો અવાજ પહોંચતો જ નથી તેવું લાગે છે.. સરકાર ખેડૂતોનો અવાજ નથી સાંભળતી તો વિપક્ષ ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરે છે. ખેડૂતના પ્રશ્ન માટે અવાજ ઉઠાવે છે.. આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા હવે ખેડૂતોના પ્રશ્નને લઈ મેદાને આવ્યા છે.  

પદયાત્રામાં અનેક નેતાઓ જોડાયા હતા.. 

ખેડૂતોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ખેડૂત નેતા રાજુભાઈ કરપડાએ "કિસાન મજદૂર આશીર્વાદ પદ યાત્રા રાખી હતી. પદયાત્રા મુળી તાલુકાના જસાપર પાટીયાથી માંડવરાયજી દાદાના મંદિર સુધી પહોંચી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને મજદૂરો જોડાયા હતા. ખેડૂતોનો સૌથી જૂનો મુદ્દો એવો ખેડૂતોના દેવા માફીનો જે મુદ્દે રાજુ કરપડાએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા! આ પદયાત્રામાં ગોપાલ ઇટાલીયા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, ખેડૂત નેતા સાગરભાઇ રબારી ધારાસભ્ય હેમંતભાઈ ખવા પણ જોડાયા હતા.  



આર્થિક સંકડામણને કારણે ખેડૂતો કરતા હોય છે આત્મહત્યા

આપણને એ પ્રશ્ન ન થવો જોઈએ કે કૃષિ પ્રધાન દેશના ખેડૂતો જ દેવાદાર હોય અને દુઃખી હોય તો એ દેશનો વિકાસ કઈ રીતે થઈ શકે? ખેડૂતોની સ્થિતિ સુધરે અને એમની સમસ્યાનું નિરાકરણ આવે એ આશા.. દેવાદાર બનવાને કારણે ખેડૂતો પોતાની જીંદગીને ટૂંકાવી દે છે..  



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .