AAPના નેતાના આક્ષેપ- પ્રતિઆક્ષેપ !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 14:49:32

ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષો પુરજોરથી તૈયારીયો કરી રહ્યા છે. ત્યારે દરેક પાર્ટીના નેતા આક્ષેપ પ્રતિઆક્ષેપ પણ કરતાં દેખાય છે ત્યારે સુરતમાં એક જાનસભામાં ગોપાલ ઇટાલિયાએ એક દિવસ પેહલા ખુલ્લા મૂકેલા કાર્યાલયનું મકાન તોડવા કોર્પોરેશનની ટીમ બુલડોઝર લઈને પહોંચી હોવાનો આક્ષેપ કર્યો છે.

 

શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ ?

ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ગઈકાલે રાઘવ ચઢ્ઢાના હસ્તે 160મી વિધાનસભાનું કાર્યાલય કતારગામ ખાતે અમે ખુલ્લું મૂક્યું અને બહુ મોટી સંખ્યામાં એક રેલી કાઢી, વાજતે ગાજતે કાર્યાલય ખોલ્યું, એક નાની એવી જનસભા કરી અને તે વિધાનસભા વિસ્તારમાંથી બહુ બધા લોકો આવ્યા. જે મકાનમાં ગઈકાલે રાઘવજીના હાથે ઓપનિંગ કર્યું તે મકાન તોડવા માટે કોર્પોરેશન અત્યારે ચાલુ સભાએ ત્યાં પહોંચી ગઈ છે.”

 

ગોપાલ ઇટાલિયાના આક્ષેપ !!!!

ગોપાલ ઇટાલિયાએ કહ્યું મકાન તો 50 વર્ષ જૂનું છે. અમે જ્યારે કાર્યાલય બનાવ્યું ત્યારે ભાજપવાળાને ખબર પડી કે તો હવે તોડવું પડે એમ છે. એટલે હવે આપણે બધાએ વિચારવાનું છે, મકાન તોડવું હોય તો તોડે, દિવાલ તોડવી હોય તો તોડે. આપણે ભેગા મળીને ભાજપનું અભિમાન તોડવાનું છે. ગઈકાલે કાર્યાલય ખોલ્યું આજે તોડવા આવી ગયા. કાલે કોઈને ઘર તોડી નાખશે, મકાન તોડી નાખશે. આટલી દાદાગીરી શા માટે?



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે