હિંદુ દેવી દેવતાઓ પર વિવાદિત નિવેદન આપનાર આપના નેતાએ આપ્યું રાજીનામું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 18:34:06

આમ આદમી પાર્ટીના નેતા રાજેન્દ્ર પાલ ગૌતમ ધર્માતરણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વાયરલ વિડીયોને લઈ અનેક વિવાદ સર્જાયા હતા. આ ઘટનાની છાંટા ગુજરાત સુધી પહોંચ્યા હતા. વિડીયો વાયરલ થયા બાદ અરવિંદ કેજરીવાલના અનેક પોસ્ટર લગાવવામાં આવ્યા હતા જેમાં તેમને હિંદુ વિરોધી દર્શાવામાં આવ્યા હતા. રાજેન્દ્ર પાલે અનેક હિંદુ દેવી દેવતાઓ વિરુદ્ધ પણ વિવાદીત નિવેદન આપ્યા હતા. જે બાદ રવિવારના રોજ તેમણે રાજીનામું આપી દીધું છે.

 

અનેક બંધનોમાંથી મુક્ત થયો - રાજેન્દ્ર પાલ ગૌતમ

સૂત્રોના પ્રમાણે તેમના આ નિવેદનથી અરવિંદ કેજરીવાલ પણ નારાજ થયા હતા. પોતાના નિવેદન પર જોરદાર હોબાળો થયા બાદ રાજીનામુું ટ્વિટ કરતા તેમણે લખ્યું કે આજે મહર્ષી વાલ્મીકીજીનો પ્રાગટ્ય દિવસ છે તેમજ કાંશીરામ સાહેબની પુણ્યતિથિ પણ છે. આવા સંજોગોમાં હું આજે અનેક બંધનમાંથી મુક્ત થયો અને આજે મારો નવો જન્મ થયો છે. હું વધુ મજબૂતીથી સમાજ પર થતાં અત્યાચારો તેમજ અધિકારોની લડાઈને કોઈ પણ જાતના બંધન વગર યથાવત રાખીશ.  

 





ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.