હિંદુ દેવી દેવતાઓ પર વિવાદિત નિવેદન આપનાર આપના નેતાએ આપ્યું રાજીનામું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 18:34:06

આમ આદમી પાર્ટીના નેતા રાજેન્દ્ર પાલ ગૌતમ ધર્માતરણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વાયરલ વિડીયોને લઈ અનેક વિવાદ સર્જાયા હતા. આ ઘટનાની છાંટા ગુજરાત સુધી પહોંચ્યા હતા. વિડીયો વાયરલ થયા બાદ અરવિંદ કેજરીવાલના અનેક પોસ્ટર લગાવવામાં આવ્યા હતા જેમાં તેમને હિંદુ વિરોધી દર્શાવામાં આવ્યા હતા. રાજેન્દ્ર પાલે અનેક હિંદુ દેવી દેવતાઓ વિરુદ્ધ પણ વિવાદીત નિવેદન આપ્યા હતા. જે બાદ રવિવારના રોજ તેમણે રાજીનામું આપી દીધું છે.

 

અનેક બંધનોમાંથી મુક્ત થયો - રાજેન્દ્ર પાલ ગૌતમ

સૂત્રોના પ્રમાણે તેમના આ નિવેદનથી અરવિંદ કેજરીવાલ પણ નારાજ થયા હતા. પોતાના નિવેદન પર જોરદાર હોબાળો થયા બાદ રાજીનામુું ટ્વિટ કરતા તેમણે લખ્યું કે આજે મહર્ષી વાલ્મીકીજીનો પ્રાગટ્ય દિવસ છે તેમજ કાંશીરામ સાહેબની પુણ્યતિથિ પણ છે. આવા સંજોગોમાં હું આજે અનેક બંધનમાંથી મુક્ત થયો અને આજે મારો નવો જન્મ થયો છે. હું વધુ મજબૂતીથી સમાજ પર થતાં અત્યાચારો તેમજ અધિકારોની લડાઈને કોઈ પણ જાતના બંધન વગર યથાવત રાખીશ.  

 





ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે