હિંદુ દેવી દેવતાઓ પર વિવાદિત નિવેદન આપનાર આપના નેતાએ આપ્યું રાજીનામું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 18:34:06

આમ આદમી પાર્ટીના નેતા રાજેન્દ્ર પાલ ગૌતમ ધર્માતરણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વાયરલ વિડીયોને લઈ અનેક વિવાદ સર્જાયા હતા. આ ઘટનાની છાંટા ગુજરાત સુધી પહોંચ્યા હતા. વિડીયો વાયરલ થયા બાદ અરવિંદ કેજરીવાલના અનેક પોસ્ટર લગાવવામાં આવ્યા હતા જેમાં તેમને હિંદુ વિરોધી દર્શાવામાં આવ્યા હતા. રાજેન્દ્ર પાલે અનેક હિંદુ દેવી દેવતાઓ વિરુદ્ધ પણ વિવાદીત નિવેદન આપ્યા હતા. જે બાદ રવિવારના રોજ તેમણે રાજીનામું આપી દીધું છે.

 

અનેક બંધનોમાંથી મુક્ત થયો - રાજેન્દ્ર પાલ ગૌતમ

સૂત્રોના પ્રમાણે તેમના આ નિવેદનથી અરવિંદ કેજરીવાલ પણ નારાજ થયા હતા. પોતાના નિવેદન પર જોરદાર હોબાળો થયા બાદ રાજીનામુું ટ્વિટ કરતા તેમણે લખ્યું કે આજે મહર્ષી વાલ્મીકીજીનો પ્રાગટ્ય દિવસ છે તેમજ કાંશીરામ સાહેબની પુણ્યતિથિ પણ છે. આવા સંજોગોમાં હું આજે અનેક બંધનમાંથી મુક્ત થયો અને આજે મારો નવો જન્મ થયો છે. હું વધુ મજબૂતીથી સમાજ પર થતાં અત્યાચારો તેમજ અધિકારોની લડાઈને કોઈ પણ જાતના બંધન વગર યથાવત રાખીશ.  

 





રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .