હિંદુ દેવી દેવતાઓ પર વિવાદિત નિવેદન આપનાર આપના નેતાએ આપ્યું રાજીનામું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 18:34:06

આમ આદમી પાર્ટીના નેતા રાજેન્દ્ર પાલ ગૌતમ ધર્માતરણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વાયરલ વિડીયોને લઈ અનેક વિવાદ સર્જાયા હતા. આ ઘટનાની છાંટા ગુજરાત સુધી પહોંચ્યા હતા. વિડીયો વાયરલ થયા બાદ અરવિંદ કેજરીવાલના અનેક પોસ્ટર લગાવવામાં આવ્યા હતા જેમાં તેમને હિંદુ વિરોધી દર્શાવામાં આવ્યા હતા. રાજેન્દ્ર પાલે અનેક હિંદુ દેવી દેવતાઓ વિરુદ્ધ પણ વિવાદીત નિવેદન આપ્યા હતા. જે બાદ રવિવારના રોજ તેમણે રાજીનામું આપી દીધું છે.

 

અનેક બંધનોમાંથી મુક્ત થયો - રાજેન્દ્ર પાલ ગૌતમ

સૂત્રોના પ્રમાણે તેમના આ નિવેદનથી અરવિંદ કેજરીવાલ પણ નારાજ થયા હતા. પોતાના નિવેદન પર જોરદાર હોબાળો થયા બાદ રાજીનામુું ટ્વિટ કરતા તેમણે લખ્યું કે આજે મહર્ષી વાલ્મીકીજીનો પ્રાગટ્ય દિવસ છે તેમજ કાંશીરામ સાહેબની પુણ્યતિથિ પણ છે. આવા સંજોગોમાં હું આજે અનેક બંધનમાંથી મુક્ત થયો અને આજે મારો નવો જન્મ થયો છે. હું વધુ મજબૂતીથી સમાજ પર થતાં અત્યાચારો તેમજ અધિકારોની લડાઈને કોઈ પણ જાતના બંધન વગર યથાવત રાખીશ.  

 





ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે