AAP નેતાઓનો દાવો - 'ED ગમે ત્યારે Arvind Kejriwalની કરી શકે છે ધરપકડ'! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-04 08:54:37

આમ આદમી પાર્ટીના નેતાઓ દાવો કરી રહ્યા છે કે આજે ઈડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી શકે છે. 4 જાન્યુઆરીએ અરવિંદ કેજરીવાલને જેલ હવાલે કરવામાં આવશે તેવી પોસ્ટ આપના નેતાઓ દ્વારા ત્રીજી જાન્યુઆરીથી કરવામાં આવી રહી છે. પોસ્ટમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે ઈડી પહેલા કેજરીવાલના ઘરે રેડ કરશે અને પછી તેની ધરપકડ કરશે. આ બધા વચ્ચે આપના નેતાઓ કાર્યાલય ખાતે એકત્રિત થઈ રહ્યા છે તેવી માહિતી મળી છે. મહત્વનું છે કે દારૂ કૌભાંડ મામલે ઈડીએ તેમને સમન્સ મોકલ્યું હતું. આ મામલે હાજર થવા ઈડીએ કેજરીવાલને ત્રણ વખત સમન્સ પાઠવ્યું હતું પરંતુ તે ઈડી સમક્ષ પેશ થયા ન હતા. ત્યારે આપના નેતાઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આજે અરવિંદ કેજરીવાલની ધરપકડ ઈડી કરી શકે છે.     

ઈડીએ અનેક વખત અરવિંદ કેજરીવાલને પાઠવ્યા છે સમન્સ 

દિલ્હી લિકર પોલિસી કેસ મામલે અરવિંદ કેજરીવાલને ઈડીએ ત્રણ વખત સમન્સ પાઠવ્યું હતું. પૂછપરછ માટે ઈડીએ ત્રણ વખત બોલાવ્યા પરંતુ તે એક પણ વખત હાજર થયા ન હતા. ગઈકાલે હાજર થવાની તારીખ હતી પરંતુ તે ઈડી સમક્ષ જવાબ આપવા રજૂ ન થયા હતા. એવી વાત પણ કહેવામાં આવી કે અરવિંદ કેજરીવાલ ચૂંટણીને લઈ તૈયારીઓમાં વ્યસ્ત છે. મહત્વનું છે કે ઈડીએ તેમને 2 નવેમ્બરે, 21 ડિસેમ્બરે હાજર થવા માટે કહ્યું હતું. બંને સમન્સને તેમણે ગેરકાયદેસર ગણાવી હતી તેમજ તે રાજકીય રીતે પ્રેરિત છે તેવી વાત કહી હતી અને ઈડી સમક્ષ હાજર થયા ન હતા. મહત્વનું છે કે આ પહેલીવાર નથી જ્યારે આપ દ્વારા ધરપકડનો દાવો કરવામાં આવ્યો હોય. આની પહેલા પણ આવો દાવો કરવામાં આવ્યો છે. 



પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને આ બધા વચ્ચે જામનગર પહોંચ્યા હતા જીજ્ઞેશ મેવાણી. ઉપવાસ કરી રહેલી મહિલાઓને તેમણે પારણા કરાવ્યા હતા.

ગુજરાતમાં થોડા વર્ષો પહેલા પાટીદાર અનામત આંદોલન થયું હતું. સરકાર સામે આંદોલન શરૂ કરવા વાળા અનેક નેતાઓ રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા છે.. કોઈ ભાજપમાં તો કોઈ બીજી અન્ય પાર્ટીમાં જોડાઈ ગયા છે...

વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. ત્યારે ચૈતર વસાવાનો પ્રચાર કરવા માટે સંજયસિંહ ગુજરાત આવ્યા છે. ભાજપ પર તેમણે આકરા પ્રહાર કર્યા હતા..