AAP નેતાઓનો દાવો - 'ED ગમે ત્યારે Arvind Kejriwalની કરી શકે છે ધરપકડ'! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-04 08:54:37

આમ આદમી પાર્ટીના નેતાઓ દાવો કરી રહ્યા છે કે આજે ઈડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી શકે છે. 4 જાન્યુઆરીએ અરવિંદ કેજરીવાલને જેલ હવાલે કરવામાં આવશે તેવી પોસ્ટ આપના નેતાઓ દ્વારા ત્રીજી જાન્યુઆરીથી કરવામાં આવી રહી છે. પોસ્ટમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે ઈડી પહેલા કેજરીવાલના ઘરે રેડ કરશે અને પછી તેની ધરપકડ કરશે. આ બધા વચ્ચે આપના નેતાઓ કાર્યાલય ખાતે એકત્રિત થઈ રહ્યા છે તેવી માહિતી મળી છે. મહત્વનું છે કે દારૂ કૌભાંડ મામલે ઈડીએ તેમને સમન્સ મોકલ્યું હતું. આ મામલે હાજર થવા ઈડીએ કેજરીવાલને ત્રણ વખત સમન્સ પાઠવ્યું હતું પરંતુ તે ઈડી સમક્ષ પેશ થયા ન હતા. ત્યારે આપના નેતાઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આજે અરવિંદ કેજરીવાલની ધરપકડ ઈડી કરી શકે છે.     

ઈડીએ અનેક વખત અરવિંદ કેજરીવાલને પાઠવ્યા છે સમન્સ 

દિલ્હી લિકર પોલિસી કેસ મામલે અરવિંદ કેજરીવાલને ઈડીએ ત્રણ વખત સમન્સ પાઠવ્યું હતું. પૂછપરછ માટે ઈડીએ ત્રણ વખત બોલાવ્યા પરંતુ તે એક પણ વખત હાજર થયા ન હતા. ગઈકાલે હાજર થવાની તારીખ હતી પરંતુ તે ઈડી સમક્ષ જવાબ આપવા રજૂ ન થયા હતા. એવી વાત પણ કહેવામાં આવી કે અરવિંદ કેજરીવાલ ચૂંટણીને લઈ તૈયારીઓમાં વ્યસ્ત છે. મહત્વનું છે કે ઈડીએ તેમને 2 નવેમ્બરે, 21 ડિસેમ્બરે હાજર થવા માટે કહ્યું હતું. બંને સમન્સને તેમણે ગેરકાયદેસર ગણાવી હતી તેમજ તે રાજકીય રીતે પ્રેરિત છે તેવી વાત કહી હતી અને ઈડી સમક્ષ હાજર થયા ન હતા. મહત્વનું છે કે આ પહેલીવાર નથી જ્યારે આપ દ્વારા ધરપકડનો દાવો કરવામાં આવ્યો હોય. આની પહેલા પણ આવો દાવો કરવામાં આવ્યો છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે