AAP નેતાઓનો દાવો - 'ED ગમે ત્યારે Arvind Kejriwalની કરી શકે છે ધરપકડ'! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-04 08:54:37

આમ આદમી પાર્ટીના નેતાઓ દાવો કરી રહ્યા છે કે આજે ઈડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી શકે છે. 4 જાન્યુઆરીએ અરવિંદ કેજરીવાલને જેલ હવાલે કરવામાં આવશે તેવી પોસ્ટ આપના નેતાઓ દ્વારા ત્રીજી જાન્યુઆરીથી કરવામાં આવી રહી છે. પોસ્ટમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે ઈડી પહેલા કેજરીવાલના ઘરે રેડ કરશે અને પછી તેની ધરપકડ કરશે. આ બધા વચ્ચે આપના નેતાઓ કાર્યાલય ખાતે એકત્રિત થઈ રહ્યા છે તેવી માહિતી મળી છે. મહત્વનું છે કે દારૂ કૌભાંડ મામલે ઈડીએ તેમને સમન્સ મોકલ્યું હતું. આ મામલે હાજર થવા ઈડીએ કેજરીવાલને ત્રણ વખત સમન્સ પાઠવ્યું હતું પરંતુ તે ઈડી સમક્ષ પેશ થયા ન હતા. ત્યારે આપના નેતાઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આજે અરવિંદ કેજરીવાલની ધરપકડ ઈડી કરી શકે છે.     

ઈડીએ અનેક વખત અરવિંદ કેજરીવાલને પાઠવ્યા છે સમન્સ 

દિલ્હી લિકર પોલિસી કેસ મામલે અરવિંદ કેજરીવાલને ઈડીએ ત્રણ વખત સમન્સ પાઠવ્યું હતું. પૂછપરછ માટે ઈડીએ ત્રણ વખત બોલાવ્યા પરંતુ તે એક પણ વખત હાજર થયા ન હતા. ગઈકાલે હાજર થવાની તારીખ હતી પરંતુ તે ઈડી સમક્ષ જવાબ આપવા રજૂ ન થયા હતા. એવી વાત પણ કહેવામાં આવી કે અરવિંદ કેજરીવાલ ચૂંટણીને લઈ તૈયારીઓમાં વ્યસ્ત છે. મહત્વનું છે કે ઈડીએ તેમને 2 નવેમ્બરે, 21 ડિસેમ્બરે હાજર થવા માટે કહ્યું હતું. બંને સમન્સને તેમણે ગેરકાયદેસર ગણાવી હતી તેમજ તે રાજકીય રીતે પ્રેરિત છે તેવી વાત કહી હતી અને ઈડી સમક્ષ હાજર થયા ન હતા. મહત્વનું છે કે આ પહેલીવાર નથી જ્યારે આપ દ્વારા ધરપકડનો દાવો કરવામાં આવ્યો હોય. આની પહેલા પણ આવો દાવો કરવામાં આવ્યો છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.