AAPમાં ભંગાણ: માંગરોળ-ઉમરપાડાના પાર્ટીનાં પ્રમુખ ગૌરાંગ વસાવા ભાજપમાં જોડાયા


  • Published By :
  • Published Date : 2022-11-07 16:23:43

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ તમામ રાજકીય પાર્ટીઓ તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. જો કે જેમ-જેમ ઉમેદવારોના નામ જાહેર થઈ રહ્યા તેમ અસંતુષ્ટ નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ અસંતુષ્ટોના બળવાનો ભોગ બની છે. તાજેતરમાં પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ માંગરોળ-ઉમરપાડા આમ આદમી પાર્ટીનાં પ્રમુખ ગૌરાંગ વસાવા ભાજપમાં જોડાઈ જતા આપને જબરદસ્ત ફટકો પડ્યો છે.


AAPથી નારાજ હતા ગૌરાંગ વસાવા


આમ આદમી પાર્ટીએ માંગરોળથી સ્નેહલ વસાવાને ઉમેદવાર બનાવતા ગૌરાંગ વસાવા નારાજ હતા. ગૌરાંગ વસાવાએ થોડીવાર પહેલાં જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. ગૌરાંગ વસાવાએ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો. AAPથી છેડો ફાંડ્યા બાદ ગૌરાંગ વસાવાએ આમ આદમી પાર્ટી પર પૈસા લઈને ટિકિટ અપાતા હોવાનો આરોપ લગાવ્યો હતો. 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.