AAP ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા ડેડિયાપાડા GEB કચેરી, કર્મચારીઓને આપી આ ચેતવણી


  • Published By :
  • Published Date : 2023-01-03 11:52:01

વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને માત્ર પાંચ સીટ મળી છે. જો કે આપના ધારાસભ્યો પ્રજાના કામો કરવા માટે અતિઉત્સાહ બતાવી રહ્યા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમા અગ્રેસર છે. તેમના ડેડિયાપાડા મત વિસ્તારમાં અવારનવાર વિજકાપ તથા ખેડૂતોને પણ ખેતી માટે સમયસર વીજળી ન મળતા ચૈતર વસાવા મેદાને આવ્યા છે.  


GEBની ઓફિસ સામે ધરણા


આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે ડેડીયાપડા GEB કચેરી ખાતે પહોંચ્યા હતા. ચૈતર વસાવાએ વિદ્યુત બોર્ડવાળાને સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું, જો અમારા વિસ્તારમાં પૂછ્યા વગર ભરાયા તો બહાર નીકળી નહીં શકો. ચૈતર વસાવા ડેડિયાપાડા મત વિસ્તારના સરપંચો અને આગેવાનો, ખેડૂતોના વીજળીના પ્રશ્ન લઈ GEBની ઓફિસ પહોંચી તેમણે અધિકારીઓને પ્રજાના પ્રશ્નો વહેલી તકે હલ કરવા સૂચના આપી હતી.


ટ્રાઈબલ બજેટના કરોડો રૂપિયાનું શું થયું?


ચૈતર વસાવાએ કહ્યું ડેડીયાપડાની વીજ સમસ્યા અંગે કહ્યું કે  GEB કચેરીમાં પૂરતો સ્ટાફ પણ નથી. અહીંયા છેલ્લા 5 વર્ષથી ખેતીવાડી કનેક્શનને લગતી 1029 અરજીઓ પેંડીગ છે, ડેડીયાપડા ના અનેક ગામો છેલ્લા 12 દિવસથી લાઈટો નથી. ખેતરમાં જ્યારે TC બળી જાય ત્યારે ખેડૂતો 2 -3 મહિના સુધી ધક્કા ખાય છે તે છતાં એમને યોગ્ય જવાબ મળતો નથી. આદીવાસી વિસ્તારોના વિકાસ માટે સરકાર કરોડો રૂપિયા બજેટમાં ફાળવે છે, જો  કે તેનો ઉપયોગ ક્યા થાય છે તે અંગે પણ ચૈતર વસાવાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.