AAP ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા ડેડિયાપાડા GEB કચેરી, કર્મચારીઓને આપી આ ચેતવણી


  • Published By :
  • Published Date : 2023-01-03 11:52:01

વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને માત્ર પાંચ સીટ મળી છે. જો કે આપના ધારાસભ્યો પ્રજાના કામો કરવા માટે અતિઉત્સાહ બતાવી રહ્યા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમા અગ્રેસર છે. તેમના ડેડિયાપાડા મત વિસ્તારમાં અવારનવાર વિજકાપ તથા ખેડૂતોને પણ ખેતી માટે સમયસર વીજળી ન મળતા ચૈતર વસાવા મેદાને આવ્યા છે.  


GEBની ઓફિસ સામે ધરણા


આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે ડેડીયાપડા GEB કચેરી ખાતે પહોંચ્યા હતા. ચૈતર વસાવાએ વિદ્યુત બોર્ડવાળાને સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું, જો અમારા વિસ્તારમાં પૂછ્યા વગર ભરાયા તો બહાર નીકળી નહીં શકો. ચૈતર વસાવા ડેડિયાપાડા મત વિસ્તારના સરપંચો અને આગેવાનો, ખેડૂતોના વીજળીના પ્રશ્ન લઈ GEBની ઓફિસ પહોંચી તેમણે અધિકારીઓને પ્રજાના પ્રશ્નો વહેલી તકે હલ કરવા સૂચના આપી હતી.


ટ્રાઈબલ બજેટના કરોડો રૂપિયાનું શું થયું?


ચૈતર વસાવાએ કહ્યું ડેડીયાપડાની વીજ સમસ્યા અંગે કહ્યું કે  GEB કચેરીમાં પૂરતો સ્ટાફ પણ નથી. અહીંયા છેલ્લા 5 વર્ષથી ખેતીવાડી કનેક્શનને લગતી 1029 અરજીઓ પેંડીગ છે, ડેડીયાપડા ના અનેક ગામો છેલ્લા 12 દિવસથી લાઈટો નથી. ખેતરમાં જ્યારે TC બળી જાય ત્યારે ખેડૂતો 2 -3 મહિના સુધી ધક્કા ખાય છે તે છતાં એમને યોગ્ય જવાબ મળતો નથી. આદીવાસી વિસ્તારોના વિકાસ માટે સરકાર કરોડો રૂપિયા બજેટમાં ફાળવે છે, જો  કે તેનો ઉપયોગ ક્યા થાય છે તે અંગે પણ ચૈતર વસાવાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.