AAPના ધારાસભ્ય Chaitar Vasava વારંવાર કહી રહ્યા છે કે, જબ તક તોડેંગે નહિ તબ તક છોડેંગે નહિ! જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-12 10:40:55

ચૈતર વસાવા ઘણા સમયથી ચર્ચામાં છે. ચૈતર વસાવાની સાથે સાથે ભરૂચ લોકસભા સીટ પણ ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે. કોઈ વખત ચૈતર વસાવાના નિવેદનને કારણે આ બેઠક ચર્ચામાં આવે છે તો કોઈ વખત ભાજપના સાંસદ મનસુખ વસાવાને કારણે આ બેઠક ચર્ચામાં આવે છે. ચૈતર વસાવા જેલમાં ગયા ત્યારથી આ બેઠક વધારે ચર્ચામાં રહી છે. જેલમાં રહી ચૈતર વસાવા પોતાના સમર્થકો માટે સંદેશ મોકલતા હતા. ત્યારે હમણાં આપના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. અલગ અલગ જગ્યાઓની મૂલાકાત ચૈતર વસાવા લઈ રહ્યા છે અને કહી રહ્યા છે જબ તક તોડેંગે નહિ તબ તક છોડેંગે નહિ.!

ભરૂચ લોકસભા બેઠક ચૂંટણી પહેલા બની હોટ સીટ!

લોકસભા ચૂંટણીને લઈ તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે આપ તરફથી ચૈતર વસાવાને ઉતારવામાં આવશે. મતલબ ભરૂચ લોકસભા બેઠકના આપના ઉમેદવાર ચૈતર વસાવા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ ચૈતર વસાવા ચૂંટણીની તૈયરીઓમાં લાગી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ભરૂચ સીટ પરથી અને આમઆદમી પાર્ટીમાંથી ચૈતર વસાવા ચૂંટણી લડવાના છે જેને લઈને ભરૂચ સીટ ગુજરાતમાં હોટ સીટ બની હોય તેવું લાગી રહ્યું છે.

જોવું રહ્યું કે જનતા કોને જીતની પાઘડી પહેરાવે છે...?

ચૂંટણી પહેલા જ આ સીટ રસપ્રદ બની છે કારણ કે આ સીટ પરથી હવે કોંગ્રેસમાંથી અને ભાજપમાંથી કોને ટિકિટ મળે છે એ જોવાનું રહ્યું. ભાજપમાંથી મનસુખ વસાવાને આ વખતે ટિકિટ નહીં મળે એવું પણ ચર્ચાઓ થઇ રહી છે. કોંગ્રેસમાંથી અહેમદ પટેલના પુત્ર અને પુત્રીએ પણ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. હવે જોવાનું એ રહ્યું કે ભરૂચ લોકસભા વિસ્તારની જનતા કોને માથે જીતની પાઘડી પહેરાવે છે. મહત્વનું છે કે ભરૂચ લોકસભા બેઠક આ વખતની હોટ સીટ બની રહી છે. 

 



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ઘરકાવ થઈ ગયો છે.. ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.