AAPના ધારાસભ્ય Chaitar Vasava વારંવાર કહી રહ્યા છે કે, જબ તક તોડેંગે નહિ તબ તક છોડેંગે નહિ! જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-12 10:40:55

ચૈતર વસાવા ઘણા સમયથી ચર્ચામાં છે. ચૈતર વસાવાની સાથે સાથે ભરૂચ લોકસભા સીટ પણ ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે. કોઈ વખત ચૈતર વસાવાના નિવેદનને કારણે આ બેઠક ચર્ચામાં આવે છે તો કોઈ વખત ભાજપના સાંસદ મનસુખ વસાવાને કારણે આ બેઠક ચર્ચામાં આવે છે. ચૈતર વસાવા જેલમાં ગયા ત્યારથી આ બેઠક વધારે ચર્ચામાં રહી છે. જેલમાં રહી ચૈતર વસાવા પોતાના સમર્થકો માટે સંદેશ મોકલતા હતા. ત્યારે હમણાં આપના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. અલગ અલગ જગ્યાઓની મૂલાકાત ચૈતર વસાવા લઈ રહ્યા છે અને કહી રહ્યા છે જબ તક તોડેંગે નહિ તબ તક છોડેંગે નહિ.!

ભરૂચ લોકસભા બેઠક ચૂંટણી પહેલા બની હોટ સીટ!

લોકસભા ચૂંટણીને લઈ તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે આપ તરફથી ચૈતર વસાવાને ઉતારવામાં આવશે. મતલબ ભરૂચ લોકસભા બેઠકના આપના ઉમેદવાર ચૈતર વસાવા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ ચૈતર વસાવા ચૂંટણીની તૈયરીઓમાં લાગી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ભરૂચ સીટ પરથી અને આમઆદમી પાર્ટીમાંથી ચૈતર વસાવા ચૂંટણી લડવાના છે જેને લઈને ભરૂચ સીટ ગુજરાતમાં હોટ સીટ બની હોય તેવું લાગી રહ્યું છે.

જોવું રહ્યું કે જનતા કોને જીતની પાઘડી પહેરાવે છે...?

ચૂંટણી પહેલા જ આ સીટ રસપ્રદ બની છે કારણ કે આ સીટ પરથી હવે કોંગ્રેસમાંથી અને ભાજપમાંથી કોને ટિકિટ મળે છે એ જોવાનું રહ્યું. ભાજપમાંથી મનસુખ વસાવાને આ વખતે ટિકિટ નહીં મળે એવું પણ ચર્ચાઓ થઇ રહી છે. કોંગ્રેસમાંથી અહેમદ પટેલના પુત્ર અને પુત્રીએ પણ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. હવે જોવાનું એ રહ્યું કે ભરૂચ લોકસભા વિસ્તારની જનતા કોને માથે જીતની પાઘડી પહેરાવે છે. મહત્વનું છે કે ભરૂચ લોકસભા બેઠક આ વખતની હોટ સીટ બની રહી છે. 

 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.