AAPના ધારાસભ્ય Chaitar Vasava વારંવાર કહી રહ્યા છે કે, જબ તક તોડેંગે નહિ તબ તક છોડેંગે નહિ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-12 10:40:55

ચૈતર વસાવા ઘણા સમયથી ચર્ચામાં છે. ચૈતર વસાવાની સાથે સાથે ભરૂચ લોકસભા સીટ પણ ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે. કોઈ વખત ચૈતર વસાવાના નિવેદનને કારણે આ બેઠક ચર્ચામાં આવે છે તો કોઈ વખત ભાજપના સાંસદ મનસુખ વસાવાને કારણે આ બેઠક ચર્ચામાં આવે છે. ચૈતર વસાવા જેલમાં ગયા ત્યારથી આ બેઠક વધારે ચર્ચામાં રહી છે. જેલમાં રહી ચૈતર વસાવા પોતાના સમર્થકો માટે સંદેશ મોકલતા હતા. ત્યારે હમણાં આપના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. અલગ અલગ જગ્યાઓની મૂલાકાત ચૈતર વસાવા લઈ રહ્યા છે અને કહી રહ્યા છે જબ તક તોડેંગે નહિ તબ તક છોડેંગે નહિ.!

ભરૂચ લોકસભા બેઠક ચૂંટણી પહેલા બની હોટ સીટ!

લોકસભા ચૂંટણીને લઈ તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે આપ તરફથી ચૈતર વસાવાને ઉતારવામાં આવશે. મતલબ ભરૂચ લોકસભા બેઠકના આપના ઉમેદવાર ચૈતર વસાવા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ ચૈતર વસાવા ચૂંટણીની તૈયરીઓમાં લાગી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ભરૂચ સીટ પરથી અને આમઆદમી પાર્ટીમાંથી ચૈતર વસાવા ચૂંટણી લડવાના છે જેને લઈને ભરૂચ સીટ ગુજરાતમાં હોટ સીટ બની હોય તેવું લાગી રહ્યું છે.

જોવું રહ્યું કે જનતા કોને જીતની પાઘડી પહેરાવે છે...?

ચૂંટણી પહેલા જ આ સીટ રસપ્રદ બની છે કારણ કે આ સીટ પરથી હવે કોંગ્રેસમાંથી અને ભાજપમાંથી કોને ટિકિટ મળે છે એ જોવાનું રહ્યું. ભાજપમાંથી મનસુખ વસાવાને આ વખતે ટિકિટ નહીં મળે એવું પણ ચર્ચાઓ થઇ રહી છે. કોંગ્રેસમાંથી અહેમદ પટેલના પુત્ર અને પુત્રીએ પણ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. હવે જોવાનું એ રહ્યું કે ભરૂચ લોકસભા વિસ્તારની જનતા કોને માથે જીતની પાઘડી પહેરાવે છે. મહત્વનું છે કે ભરૂચ લોકસભા બેઠક આ વખતની હોટ સીટ બની રહી છે. 

 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.