AAPના ધારાસભ્ય Chaitar Vasavaએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કાયમી શિક્ષકોની ભરતી કરો, સાથે સાથે લખ્યું કે બાળકોના ભવિષ્ય સાથે ચેડાં...


  • Published By :
  • Published Date : 2024-06-12 12:11:40

ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે વાત, તે મુદ્દો અનેક વખત ઉઠ્યો છે.. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે. જેમાં ગુજરાત મોડેલ ના નામે બણગાઓ ફૂંકતી ભાજપ સરકાર ખોટો દેખાવો કરી બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરવાનું બંધ કરો અને #કાયમી_શિક્ષકોની_ભરતી_કરો.

અનેક વખત કરવામાં આવ્યું આંદોલન  

દેશના ભાવિને સારૂં શિક્ષણ મળે, તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે શિક્ષકોની જરૂર હોય છે. શિક્ષકો દેશના ભાવિનું ઘડતર કરે છે. પરંતુ અનેક શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકના આધારે શાળા ચાલતી હોય છે. શાળાઓમાં શિક્ષકોની ઘટ છે.. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી. ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા અનેક વખત કાયમી શિક્ષકોની ભરતીને લઈ રજૂઆત કરવામાં આવી. અનેક વખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા. સચિવાલયને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો વગેરે વગેરે.. 



ચૈતર વસાવાએ લખ્યું કે... 

કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી છે. જેમાં તેમણે લખ્યું કે 



શિક્ષણ થી વંચિત રહીને દેશ ક્યારેય વિશ્વગુરુ બની જ નહિ શકે.

ગુજરાત મોડેલ ના નામે બણગાઓ ફૂંકતી ભાજપ સરકાર ખોટો દેખાવો કરી બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરવાનું બંધ કરો અને #કાયમી_શિક્ષકોની_ભરતી_કરો

સરકાર ધારે તો ખાનગી શાળાઓના દૂષણો ને અટકાવી શકે અને સરકારી શાળાથી કાયમી શિક્ષકો ની ભરતી કરી બાળકો ને પુસ્તકો,મધ્યાહ્ન ભોજન, યુનિફોર્મ જેવી સુવિધાઓ આપી ઉચ્ચ કક્ષા નું શિક્ષણ પૂરું પાડી શકે અને શિક્ષકો ની ઘટ પણ પુરી  કરી શકે.

દેશમાં સમાનતા સાથે વિકાસ અને સમૃદ્ધિ લાવવામાં શિક્ષણ સૌથી મહત્વનો કિરદાર અદા કરે છે. જે સરકાર ઉત્તમ શિક્ષણ માટે ની વ્યવસ્થા ગોઠવે તે ઉત્તમ સરકાર, બાકી #શિક્ષણના_સોદાગરો કહેવાય.


હવે #ગુજરાત_માંગે_કાયમી_શિક્ષક

#ધો_૧_થી_૧૨_ની_કાયમી_ભરતી_કરો બાકી ખુરશી ખાલી કરો. મહત્વનું છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ અનેક વખત ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે. એક ઓડિયો ક્લીપ પણ સામે આવ્યો હતો જેમાં ઉમેદવારે સી.આર.પાટીલને રજૂઆત કરવા માટે ફોન કર્યો હતો.



હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.

થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી

૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.