AAPના ધારાસભ્ય Chaitar Vasavaએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કાયમી શિક્ષકોની ભરતી કરો, સાથે સાથે લખ્યું કે બાળકોના ભવિષ્ય સાથે ચેડાં...


  • Published By :
  • Published Date : 2024-06-12 12:11:40

ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે વાત, તે મુદ્દો અનેક વખત ઉઠ્યો છે.. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે. જેમાં ગુજરાત મોડેલ ના નામે બણગાઓ ફૂંકતી ભાજપ સરકાર ખોટો દેખાવો કરી બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરવાનું બંધ કરો અને #કાયમી_શિક્ષકોની_ભરતી_કરો.

અનેક વખત કરવામાં આવ્યું આંદોલન  

દેશના ભાવિને સારૂં શિક્ષણ મળે, તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે શિક્ષકોની જરૂર હોય છે. શિક્ષકો દેશના ભાવિનું ઘડતર કરે છે. પરંતુ અનેક શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકના આધારે શાળા ચાલતી હોય છે. શાળાઓમાં શિક્ષકોની ઘટ છે.. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી. ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા અનેક વખત કાયમી શિક્ષકોની ભરતીને લઈ રજૂઆત કરવામાં આવી. અનેક વખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા. સચિવાલયને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો વગેરે વગેરે.. 



ચૈતર વસાવાએ લખ્યું કે... 

કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી છે. જેમાં તેમણે લખ્યું કે 



શિક્ષણ થી વંચિત રહીને દેશ ક્યારેય વિશ્વગુરુ બની જ નહિ શકે.

ગુજરાત મોડેલ ના નામે બણગાઓ ફૂંકતી ભાજપ સરકાર ખોટો દેખાવો કરી બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરવાનું બંધ કરો અને #કાયમી_શિક્ષકોની_ભરતી_કરો

સરકાર ધારે તો ખાનગી શાળાઓના દૂષણો ને અટકાવી શકે અને સરકારી શાળાથી કાયમી શિક્ષકો ની ભરતી કરી બાળકો ને પુસ્તકો,મધ્યાહ્ન ભોજન, યુનિફોર્મ જેવી સુવિધાઓ આપી ઉચ્ચ કક્ષા નું શિક્ષણ પૂરું પાડી શકે અને શિક્ષકો ની ઘટ પણ પુરી  કરી શકે.

દેશમાં સમાનતા સાથે વિકાસ અને સમૃદ્ધિ લાવવામાં શિક્ષણ સૌથી મહત્વનો કિરદાર અદા કરે છે. જે સરકાર ઉત્તમ શિક્ષણ માટે ની વ્યવસ્થા ગોઠવે તે ઉત્તમ સરકાર, બાકી #શિક્ષણના_સોદાગરો કહેવાય.


હવે #ગુજરાત_માંગે_કાયમી_શિક્ષક

#ધો_૧_થી_૧૨_ની_કાયમી_ભરતી_કરો બાકી ખુરશી ખાલી કરો. મહત્વનું છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ અનેક વખત ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે. એક ઓડિયો ક્લીપ પણ સામે આવ્યો હતો જેમાં ઉમેદવારે સી.આર.પાટીલને રજૂઆત કરવા માટે ફોન કર્યો હતો.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.