AAPના ધારાસભ્ય Chaitar Vasavaએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કાયમી શિક્ષકોની ભરતી કરો, સાથે સાથે લખ્યું કે બાળકોના ભવિષ્ય સાથે ચેડાં...


  • Published By :
  • Published Date : 2024-06-12 12:11:40

ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે વાત, તે મુદ્દો અનેક વખત ઉઠ્યો છે.. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે. જેમાં ગુજરાત મોડેલ ના નામે બણગાઓ ફૂંકતી ભાજપ સરકાર ખોટો દેખાવો કરી બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરવાનું બંધ કરો અને #કાયમી_શિક્ષકોની_ભરતી_કરો.

અનેક વખત કરવામાં આવ્યું આંદોલન  

દેશના ભાવિને સારૂં શિક્ષણ મળે, તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે શિક્ષકોની જરૂર હોય છે. શિક્ષકો દેશના ભાવિનું ઘડતર કરે છે. પરંતુ અનેક શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકના આધારે શાળા ચાલતી હોય છે. શાળાઓમાં શિક્ષકોની ઘટ છે.. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી. ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા અનેક વખત કાયમી શિક્ષકોની ભરતીને લઈ રજૂઆત કરવામાં આવી. અનેક વખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા. સચિવાલયને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો વગેરે વગેરે.. 



ચૈતર વસાવાએ લખ્યું કે... 

કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી છે. જેમાં તેમણે લખ્યું કે 



શિક્ષણ થી વંચિત રહીને દેશ ક્યારેય વિશ્વગુરુ બની જ નહિ શકે.

ગુજરાત મોડેલ ના નામે બણગાઓ ફૂંકતી ભાજપ સરકાર ખોટો દેખાવો કરી બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરવાનું બંધ કરો અને #કાયમી_શિક્ષકોની_ભરતી_કરો

સરકાર ધારે તો ખાનગી શાળાઓના દૂષણો ને અટકાવી શકે અને સરકારી શાળાથી કાયમી શિક્ષકો ની ભરતી કરી બાળકો ને પુસ્તકો,મધ્યાહ્ન ભોજન, યુનિફોર્મ જેવી સુવિધાઓ આપી ઉચ્ચ કક્ષા નું શિક્ષણ પૂરું પાડી શકે અને શિક્ષકો ની ઘટ પણ પુરી  કરી શકે.

દેશમાં સમાનતા સાથે વિકાસ અને સમૃદ્ધિ લાવવામાં શિક્ષણ સૌથી મહત્વનો કિરદાર અદા કરે છે. જે સરકાર ઉત્તમ શિક્ષણ માટે ની વ્યવસ્થા ગોઠવે તે ઉત્તમ સરકાર, બાકી #શિક્ષણના_સોદાગરો કહેવાય.


હવે #ગુજરાત_માંગે_કાયમી_શિક્ષક

#ધો_૧_થી_૧૨_ની_કાયમી_ભરતી_કરો બાકી ખુરશી ખાલી કરો. મહત્વનું છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ અનેક વખત ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે. એક ઓડિયો ક્લીપ પણ સામે આવ્યો હતો જેમાં ઉમેદવારે સી.આર.પાટીલને રજૂઆત કરવા માટે ફોન કર્યો હતો.



As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે. આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે.

ગુજરાતમાં BJPમાં આતુરતાનો અંત આવ્યો છે. BJPએ નિકોલના MLA અને ગુજરાત સરકારમાં મંત્રી એવા જગદીશ પંચાલને પ્રદેશપ્રમુખના પદે બેસાડ્યા છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ભાજપમાં પ્રદેશપ્રમુખના પદે પાંચ વર્ષ કરતા વધારેનો સમય થઇ ગયો હતો. આપણે નજર કરીએ જગદીશ પંચાલની રાજકીય કારકિર્દી પર.