AAPના ધારાસભ્ય Chaitar Vasavaએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કાયમી શિક્ષકોની ભરતી કરો, સાથે સાથે લખ્યું કે બાળકોના ભવિષ્ય સાથે ચેડાં...


  • Published By :
  • Published Date : 2024-06-12 12:11:40

ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે વાત, તે મુદ્દો અનેક વખત ઉઠ્યો છે.. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે. જેમાં ગુજરાત મોડેલ ના નામે બણગાઓ ફૂંકતી ભાજપ સરકાર ખોટો દેખાવો કરી બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરવાનું બંધ કરો અને #કાયમી_શિક્ષકોની_ભરતી_કરો.

અનેક વખત કરવામાં આવ્યું આંદોલન  

દેશના ભાવિને સારૂં શિક્ષણ મળે, તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે શિક્ષકોની જરૂર હોય છે. શિક્ષકો દેશના ભાવિનું ઘડતર કરે છે. પરંતુ અનેક શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકના આધારે શાળા ચાલતી હોય છે. શાળાઓમાં શિક્ષકોની ઘટ છે.. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી. ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા અનેક વખત કાયમી શિક્ષકોની ભરતીને લઈ રજૂઆત કરવામાં આવી. અનેક વખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા. સચિવાલયને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો વગેરે વગેરે.. 



ચૈતર વસાવાએ લખ્યું કે... 

કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી છે. જેમાં તેમણે લખ્યું કે 



શિક્ષણ થી વંચિત રહીને દેશ ક્યારેય વિશ્વગુરુ બની જ નહિ શકે.

ગુજરાત મોડેલ ના નામે બણગાઓ ફૂંકતી ભાજપ સરકાર ખોટો દેખાવો કરી બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરવાનું બંધ કરો અને #કાયમી_શિક્ષકોની_ભરતી_કરો

સરકાર ધારે તો ખાનગી શાળાઓના દૂષણો ને અટકાવી શકે અને સરકારી શાળાથી કાયમી શિક્ષકો ની ભરતી કરી બાળકો ને પુસ્તકો,મધ્યાહ્ન ભોજન, યુનિફોર્મ જેવી સુવિધાઓ આપી ઉચ્ચ કક્ષા નું શિક્ષણ પૂરું પાડી શકે અને શિક્ષકો ની ઘટ પણ પુરી  કરી શકે.

દેશમાં સમાનતા સાથે વિકાસ અને સમૃદ્ધિ લાવવામાં શિક્ષણ સૌથી મહત્વનો કિરદાર અદા કરે છે. જે સરકાર ઉત્તમ શિક્ષણ માટે ની વ્યવસ્થા ગોઠવે તે ઉત્તમ સરકાર, બાકી #શિક્ષણના_સોદાગરો કહેવાય.


હવે #ગુજરાત_માંગે_કાયમી_શિક્ષક

#ધો_૧_થી_૧૨_ની_કાયમી_ભરતી_કરો બાકી ખુરશી ખાલી કરો. મહત્વનું છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ અનેક વખત ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે. એક ઓડિયો ક્લીપ પણ સામે આવ્યો હતો જેમાં ઉમેદવારે સી.આર.પાટીલને રજૂઆત કરવા માટે ફોન કર્યો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.