Botadના AAPના ધારાસભ્ય Umesh Makwanaએ નંબર જાહેર કર્યો, નંબર જાહેર કરતા જણાવ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-01-11 16:53:38

ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થવાનો છે. સાંસદ તેમજ ધારાસભ્યો સત્ર દરમિયાન પોતાના મત વિસ્તારને રજૂ કરતા હોય છે. લાખો લોકોનુ પ્રતિનિધિત્વ સાંસદ તેમજ ધારાસભ્ય કરતા હોય છે. ત્યારે સત્ર પહેલા આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્યે એક નંબર જાહેર કર્યો છે જેમાં લોકોને થતી સમસ્યા સાંભળવામાં આવશે. ખુબ ઓછા ધારાસભ્યો અને નેતાઓ હશે જે સામાન્ય જનતાની પરેશાની અને વાત સાંભળવા તેમને આમંત્રણ આપતા હશે. આવા જ એક ધારાસભ્ય છે જેમણે લોકોને કહ્યું છે કે વિસ્તારમાં બાકી રહેલ વિકાસકાર્યો અને આપના વિસ્તારના કોઈપણ પ્રશ્નો બાબતે મને કહી શકો છો


લોકો સાથે જોડાવાનો ઉમેશ મકવાણા કરી રહ્યા છે પ્રયાસ 

ફરી એક વખત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા ચર્ચામાં આવ્યા છે. ગ્લોબલ સમિટને લઈ તેમણે નિવદેન આપ્યું હતું ત્યારે ફરી એક વખત ધારાસભ્ય ચર્ચામાં આવ્યા છે. નેતાઓ સમાચારોમાં બન્યા રહેવા માટે અવનવા ગતકડાં કરતા હોય છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા પણ અલગ અલગ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી લોકો વચ્ચે છવાયેલા રહેવા માટેના પ્રયાસો કરે છે. આ વખતે તેમણે કહ્યું છે કે આપણા વિસ્તારના જે વિકાસના કાર્યો થવાના બાકી હોય અથવા આપણા વિસ્તારમાં કોઈ વિકાસના કાર્યોના સૂચનો કરવા હોય તો મને સંપર્ક કરવો. બજેટના જે પણ રૂપિયા છે એ જનતાના જ છે અને તેમના માટે જ વાપરવા જોઈએ..      

આ નંબર ઉમેશ મકવાણા દ્વારા કરાયો જાહેર 

બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં વિસ્તારમાં કોઈ પણ કામ બાકી રહ્યા હોય તો તે નંબર પર જાણ કરવા માટે આહ્વાન કર્યું છે. જે નંબર જાહેર કરવામાં આવ્યો છે તે આ પ્રમાણે છે - 9898989693/ 8799677046/ 8160150023 નંબર ઉપર વોટ્સએપ કરી શકાશે. કોંગ્રેસ દ્વારા પણ એક નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે પ્રશ્નો તમારા, રજૂઆત અમારી. અમિત ચાવડાએ એક ફોટો ટ્વિટ કર્યો છે.

અમિત ચાવડાએ પણ નંબર કર્યો જાહેર 

 ફોટામાં લખવામાં આવ્યું છે કે 2 ફેબ્રુઆરી 2024થી વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું છે. આપના ગામ-શહેરની સમસ્યાઓ , સરકારનો ગેરવહીવટ, ભ્રષ્ટાચારને લગતા પ્રશ્નો, નીતિવિષયક નિર્ણયો સંદર્ભે આપની રજૂઆત વિધાનસભામાં કરવા માગતા હોય તો વિધાનસભા કોંગ્રેસ પક્ષ સકારાત્મક વિરોધપક્ષ તરીકે આપના પ્રશ્નો-રજૂઆતોને વિધાનસભામાં ઉઠાવશે. જે નંબર જાહેર કરવામાં આવ્યો છે તે આ છે - 9313140803.    



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.