Botadના AAPના ધારાસભ્ય Umesh Makwanaએ નંબર જાહેર કર્યો, નંબર જાહેર કરતા જણાવ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-01-11 16:53:38

ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થવાનો છે. સાંસદ તેમજ ધારાસભ્યો સત્ર દરમિયાન પોતાના મત વિસ્તારને રજૂ કરતા હોય છે. લાખો લોકોનુ પ્રતિનિધિત્વ સાંસદ તેમજ ધારાસભ્ય કરતા હોય છે. ત્યારે સત્ર પહેલા આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્યે એક નંબર જાહેર કર્યો છે જેમાં લોકોને થતી સમસ્યા સાંભળવામાં આવશે. ખુબ ઓછા ધારાસભ્યો અને નેતાઓ હશે જે સામાન્ય જનતાની પરેશાની અને વાત સાંભળવા તેમને આમંત્રણ આપતા હશે. આવા જ એક ધારાસભ્ય છે જેમણે લોકોને કહ્યું છે કે વિસ્તારમાં બાકી રહેલ વિકાસકાર્યો અને આપના વિસ્તારના કોઈપણ પ્રશ્નો બાબતે મને કહી શકો છો


લોકો સાથે જોડાવાનો ઉમેશ મકવાણા કરી રહ્યા છે પ્રયાસ 

ફરી એક વખત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા ચર્ચામાં આવ્યા છે. ગ્લોબલ સમિટને લઈ તેમણે નિવદેન આપ્યું હતું ત્યારે ફરી એક વખત ધારાસભ્ય ચર્ચામાં આવ્યા છે. નેતાઓ સમાચારોમાં બન્યા રહેવા માટે અવનવા ગતકડાં કરતા હોય છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા પણ અલગ અલગ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી લોકો વચ્ચે છવાયેલા રહેવા માટેના પ્રયાસો કરે છે. આ વખતે તેમણે કહ્યું છે કે આપણા વિસ્તારના જે વિકાસના કાર્યો થવાના બાકી હોય અથવા આપણા વિસ્તારમાં કોઈ વિકાસના કાર્યોના સૂચનો કરવા હોય તો મને સંપર્ક કરવો. બજેટના જે પણ રૂપિયા છે એ જનતાના જ છે અને તેમના માટે જ વાપરવા જોઈએ..      

આ નંબર ઉમેશ મકવાણા દ્વારા કરાયો જાહેર 

બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં વિસ્તારમાં કોઈ પણ કામ બાકી રહ્યા હોય તો તે નંબર પર જાણ કરવા માટે આહ્વાન કર્યું છે. જે નંબર જાહેર કરવામાં આવ્યો છે તે આ પ્રમાણે છે - 9898989693/ 8799677046/ 8160150023 નંબર ઉપર વોટ્સએપ કરી શકાશે. કોંગ્રેસ દ્વારા પણ એક નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે પ્રશ્નો તમારા, રજૂઆત અમારી. અમિત ચાવડાએ એક ફોટો ટ્વિટ કર્યો છે.

અમિત ચાવડાએ પણ નંબર કર્યો જાહેર 

 ફોટામાં લખવામાં આવ્યું છે કે 2 ફેબ્રુઆરી 2024થી વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું છે. આપના ગામ-શહેરની સમસ્યાઓ , સરકારનો ગેરવહીવટ, ભ્રષ્ટાચારને લગતા પ્રશ્નો, નીતિવિષયક નિર્ણયો સંદર્ભે આપની રજૂઆત વિધાનસભામાં કરવા માગતા હોય તો વિધાનસભા કોંગ્રેસ પક્ષ સકારાત્મક વિરોધપક્ષ તરીકે આપના પ્રશ્નો-રજૂઆતોને વિધાનસભામાં ઉઠાવશે. જે નંબર જાહેર કરવામાં આવ્યો છે તે આ છે - 9313140803.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.