Botadના AAPના ધારાસભ્ય Umesh Makwanaએ નંબર જાહેર કર્યો, નંબર જાહેર કરતા જણાવ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-01-11 16:53:38

ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થવાનો છે. સાંસદ તેમજ ધારાસભ્યો સત્ર દરમિયાન પોતાના મત વિસ્તારને રજૂ કરતા હોય છે. લાખો લોકોનુ પ્રતિનિધિત્વ સાંસદ તેમજ ધારાસભ્ય કરતા હોય છે. ત્યારે સત્ર પહેલા આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્યે એક નંબર જાહેર કર્યો છે જેમાં લોકોને થતી સમસ્યા સાંભળવામાં આવશે. ખુબ ઓછા ધારાસભ્યો અને નેતાઓ હશે જે સામાન્ય જનતાની પરેશાની અને વાત સાંભળવા તેમને આમંત્રણ આપતા હશે. આવા જ એક ધારાસભ્ય છે જેમણે લોકોને કહ્યું છે કે વિસ્તારમાં બાકી રહેલ વિકાસકાર્યો અને આપના વિસ્તારના કોઈપણ પ્રશ્નો બાબતે મને કહી શકો છો


લોકો સાથે જોડાવાનો ઉમેશ મકવાણા કરી રહ્યા છે પ્રયાસ 

ફરી એક વખત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા ચર્ચામાં આવ્યા છે. ગ્લોબલ સમિટને લઈ તેમણે નિવદેન આપ્યું હતું ત્યારે ફરી એક વખત ધારાસભ્ય ચર્ચામાં આવ્યા છે. નેતાઓ સમાચારોમાં બન્યા રહેવા માટે અવનવા ગતકડાં કરતા હોય છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા પણ અલગ અલગ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી લોકો વચ્ચે છવાયેલા રહેવા માટેના પ્રયાસો કરે છે. આ વખતે તેમણે કહ્યું છે કે આપણા વિસ્તારના જે વિકાસના કાર્યો થવાના બાકી હોય અથવા આપણા વિસ્તારમાં કોઈ વિકાસના કાર્યોના સૂચનો કરવા હોય તો મને સંપર્ક કરવો. બજેટના જે પણ રૂપિયા છે એ જનતાના જ છે અને તેમના માટે જ વાપરવા જોઈએ..      

આ નંબર ઉમેશ મકવાણા દ્વારા કરાયો જાહેર 

બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં વિસ્તારમાં કોઈ પણ કામ બાકી રહ્યા હોય તો તે નંબર પર જાણ કરવા માટે આહ્વાન કર્યું છે. જે નંબર જાહેર કરવામાં આવ્યો છે તે આ પ્રમાણે છે - 9898989693/ 8799677046/ 8160150023 નંબર ઉપર વોટ્સએપ કરી શકાશે. કોંગ્રેસ દ્વારા પણ એક નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે પ્રશ્નો તમારા, રજૂઆત અમારી. અમિત ચાવડાએ એક ફોટો ટ્વિટ કર્યો છે.

અમિત ચાવડાએ પણ નંબર કર્યો જાહેર 

 ફોટામાં લખવામાં આવ્યું છે કે 2 ફેબ્રુઆરી 2024થી વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું છે. આપના ગામ-શહેરની સમસ્યાઓ , સરકારનો ગેરવહીવટ, ભ્રષ્ટાચારને લગતા પ્રશ્નો, નીતિવિષયક નિર્ણયો સંદર્ભે આપની રજૂઆત વિધાનસભામાં કરવા માગતા હોય તો વિધાનસભા કોંગ્રેસ પક્ષ સકારાત્મક વિરોધપક્ષ તરીકે આપના પ્રશ્નો-રજૂઆતોને વિધાનસભામાં ઉઠાવશે. જે નંબર જાહેર કરવામાં આવ્યો છે તે આ છે - 9313140803.    



ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.

થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી