Botadના AAPના ધારાસભ્ય Umesh Makwanaએ નંબર જાહેર કર્યો, નંબર જાહેર કરતા જણાવ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-01-11 16:53:38

ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થવાનો છે. સાંસદ તેમજ ધારાસભ્યો સત્ર દરમિયાન પોતાના મત વિસ્તારને રજૂ કરતા હોય છે. લાખો લોકોનુ પ્રતિનિધિત્વ સાંસદ તેમજ ધારાસભ્ય કરતા હોય છે. ત્યારે સત્ર પહેલા આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્યે એક નંબર જાહેર કર્યો છે જેમાં લોકોને થતી સમસ્યા સાંભળવામાં આવશે. ખુબ ઓછા ધારાસભ્યો અને નેતાઓ હશે જે સામાન્ય જનતાની પરેશાની અને વાત સાંભળવા તેમને આમંત્રણ આપતા હશે. આવા જ એક ધારાસભ્ય છે જેમણે લોકોને કહ્યું છે કે વિસ્તારમાં બાકી રહેલ વિકાસકાર્યો અને આપના વિસ્તારના કોઈપણ પ્રશ્નો બાબતે મને કહી શકો છો


લોકો સાથે જોડાવાનો ઉમેશ મકવાણા કરી રહ્યા છે પ્રયાસ 

ફરી એક વખત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા ચર્ચામાં આવ્યા છે. ગ્લોબલ સમિટને લઈ તેમણે નિવદેન આપ્યું હતું ત્યારે ફરી એક વખત ધારાસભ્ય ચર્ચામાં આવ્યા છે. નેતાઓ સમાચારોમાં બન્યા રહેવા માટે અવનવા ગતકડાં કરતા હોય છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા પણ અલગ અલગ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી લોકો વચ્ચે છવાયેલા રહેવા માટેના પ્રયાસો કરે છે. આ વખતે તેમણે કહ્યું છે કે આપણા વિસ્તારના જે વિકાસના કાર્યો થવાના બાકી હોય અથવા આપણા વિસ્તારમાં કોઈ વિકાસના કાર્યોના સૂચનો કરવા હોય તો મને સંપર્ક કરવો. બજેટના જે પણ રૂપિયા છે એ જનતાના જ છે અને તેમના માટે જ વાપરવા જોઈએ..      

આ નંબર ઉમેશ મકવાણા દ્વારા કરાયો જાહેર 

બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં વિસ્તારમાં કોઈ પણ કામ બાકી રહ્યા હોય તો તે નંબર પર જાણ કરવા માટે આહ્વાન કર્યું છે. જે નંબર જાહેર કરવામાં આવ્યો છે તે આ પ્રમાણે છે - 9898989693/ 8799677046/ 8160150023 નંબર ઉપર વોટ્સએપ કરી શકાશે. કોંગ્રેસ દ્વારા પણ એક નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે પ્રશ્નો તમારા, રજૂઆત અમારી. અમિત ચાવડાએ એક ફોટો ટ્વિટ કર્યો છે.

અમિત ચાવડાએ પણ નંબર કર્યો જાહેર 

 ફોટામાં લખવામાં આવ્યું છે કે 2 ફેબ્રુઆરી 2024થી વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું છે. આપના ગામ-શહેરની સમસ્યાઓ , સરકારનો ગેરવહીવટ, ભ્રષ્ટાચારને લગતા પ્રશ્નો, નીતિવિષયક નિર્ણયો સંદર્ભે આપની રજૂઆત વિધાનસભામાં કરવા માગતા હોય તો વિધાનસભા કોંગ્રેસ પક્ષ સકારાત્મક વિરોધપક્ષ તરીકે આપના પ્રશ્નો-રજૂઆતોને વિધાનસભામાં ઉઠાવશે. જે નંબર જાહેર કરવામાં આવ્યો છે તે આ છે - 9313140803.    



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.