જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ કરવા AAPના ધારાસભ્યો મેદાને, સરકારને આંદોલનની ચિમકી


  • Published By :
  • Published Date : 2023-08-30 19:09:13

રાજ્યમાં ટેટ-ટાટ જેવી પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ટેટ-ટાટ પાસ ઉમેદવારો  કરાર આધારિત જ્ઞાન સહાયકોની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવા માગ કરી રહ્યા છે. હવે આ ઉમેદવારોને રાજકીય પક્ષોનું પણ સમર્થન મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યએ ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસે જ્ઞાન સહાયક કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવા માગ કરી હતી. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આપના ધારાસભ્યોએ કહ્યું હતું કે ગુજરાતના તમામ ટેટ/ટાટ પાસ થયેલ ઉમેદવારો તથા બીએડ કરતા ઉમેદવારો આ વ્યવસ્થાથી નારાજ છે. અને અમે આનો સખત વિરોધ કરીએ છીએ.

 

આંદોલનની ચિમકી


આપના નેતા અને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ કરતા તેમણે સરકારને ગર્ભીત ચિમકી આપતા કહ્યું હતું કે 'જો રાજ્ય સરકાર તેમની માંગણી મુદ્દે યોગ્ય નિર્ણય નહીં લે તો પંદર દિવસ બાદ ગાંધીનગરમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે'


જ્ઞાન સહાયક ભરતીનો સખત વિરોધ 


ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે તે નજીકના ભવિષ્યમાં કોન્ટ્રાક્ટ શિક્ષકોની ભરતી કરશે, એટલે કે જ્ઞાન સહાયક તેમજ ખેલ સહાયકની ભરતી કરશે. ગુજરાતના તમામ ટેટ/ટાટ પાસ થયેલ ઉમેદવારો તથા બીએડ કરતા ઉમેદવારો આ વ્યવસ્થાથી નારાજ છે. અને અમે આનો સખત વિરોધ કરી રહ્યા છે.


શિક્ષણ વિભાગ દ્વારા કાયમી શિક્ષકોની ભરતીનો જાણે સાવ છેદ ઉડાડી દેવાયો છે. શિક્ષણ વિભાગે સ્કુલોમાં મંજૂર શિક્ષકોની જગ્યાઓ પૈકી ખાલી જગ્યાઓ નિયમિત રીતે નહીં - ભરાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય અટકે નહિં તે હેતુથી તાસદીઠ માનદ વેતનથી શૈક્ષણિક કાર્ય કરાવવાની યોજના 2015થી અમલમાં મૂકી હતી. ત્યારથી માંડીને આજદિન સુધી શિક્ષણ વિભાગે જાણે કે પ્રવાસી શિક્ષકોની જ ભરતી કરવાનું મુનાસિબ સમજીને પ્રવાસી શિક્ષક નિમણુંકની પરંપરા બનાવી દીધી છે.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે