જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ કરવા AAPના ધારાસભ્યો મેદાને, સરકારને આંદોલનની ચિમકી


  • Published By :
  • Published Date : 2023-08-30 19:09:13

રાજ્યમાં ટેટ-ટાટ જેવી પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ટેટ-ટાટ પાસ ઉમેદવારો  કરાર આધારિત જ્ઞાન સહાયકોની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવા માગ કરી રહ્યા છે. હવે આ ઉમેદવારોને રાજકીય પક્ષોનું પણ સમર્થન મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યએ ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસે જ્ઞાન સહાયક કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવા માગ કરી હતી. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આપના ધારાસભ્યોએ કહ્યું હતું કે ગુજરાતના તમામ ટેટ/ટાટ પાસ થયેલ ઉમેદવારો તથા બીએડ કરતા ઉમેદવારો આ વ્યવસ્થાથી નારાજ છે. અને અમે આનો સખત વિરોધ કરીએ છીએ.

 

આંદોલનની ચિમકી


આપના નેતા અને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ કરતા તેમણે સરકારને ગર્ભીત ચિમકી આપતા કહ્યું હતું કે 'જો રાજ્ય સરકાર તેમની માંગણી મુદ્દે યોગ્ય નિર્ણય નહીં લે તો પંદર દિવસ બાદ ગાંધીનગરમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે'


જ્ઞાન સહાયક ભરતીનો સખત વિરોધ 


ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે તે નજીકના ભવિષ્યમાં કોન્ટ્રાક્ટ શિક્ષકોની ભરતી કરશે, એટલે કે જ્ઞાન સહાયક તેમજ ખેલ સહાયકની ભરતી કરશે. ગુજરાતના તમામ ટેટ/ટાટ પાસ થયેલ ઉમેદવારો તથા બીએડ કરતા ઉમેદવારો આ વ્યવસ્થાથી નારાજ છે. અને અમે આનો સખત વિરોધ કરી રહ્યા છે.


શિક્ષણ વિભાગ દ્વારા કાયમી શિક્ષકોની ભરતીનો જાણે સાવ છેદ ઉડાડી દેવાયો છે. શિક્ષણ વિભાગે સ્કુલોમાં મંજૂર શિક્ષકોની જગ્યાઓ પૈકી ખાલી જગ્યાઓ નિયમિત રીતે નહીં - ભરાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય અટકે નહિં તે હેતુથી તાસદીઠ માનદ વેતનથી શૈક્ષણિક કાર્ય કરાવવાની યોજના 2015થી અમલમાં મૂકી હતી. ત્યારથી માંડીને આજદિન સુધી શિક્ષણ વિભાગે જાણે કે પ્રવાસી શિક્ષકોની જ ભરતી કરવાનું મુનાસિબ સમજીને પ્રવાસી શિક્ષક નિમણુંકની પરંપરા બનાવી દીધી છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી