જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ કરવા AAPના ધારાસભ્યો મેદાને, સરકારને આંદોલનની ચિમકી


  • Published By :
  • Published Date : 2023-08-30 19:09:13

રાજ્યમાં ટેટ-ટાટ જેવી પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ટેટ-ટાટ પાસ ઉમેદવારો  કરાર આધારિત જ્ઞાન સહાયકોની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવા માગ કરી રહ્યા છે. હવે આ ઉમેદવારોને રાજકીય પક્ષોનું પણ સમર્થન મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યએ ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસે જ્ઞાન સહાયક કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવા માગ કરી હતી. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આપના ધારાસભ્યોએ કહ્યું હતું કે ગુજરાતના તમામ ટેટ/ટાટ પાસ થયેલ ઉમેદવારો તથા બીએડ કરતા ઉમેદવારો આ વ્યવસ્થાથી નારાજ છે. અને અમે આનો સખત વિરોધ કરીએ છીએ.

 

આંદોલનની ચિમકી


આપના નેતા અને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ કરતા તેમણે સરકારને ગર્ભીત ચિમકી આપતા કહ્યું હતું કે 'જો રાજ્ય સરકાર તેમની માંગણી મુદ્દે યોગ્ય નિર્ણય નહીં લે તો પંદર દિવસ બાદ ગાંધીનગરમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે'


જ્ઞાન સહાયક ભરતીનો સખત વિરોધ 


ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે તે નજીકના ભવિષ્યમાં કોન્ટ્રાક્ટ શિક્ષકોની ભરતી કરશે, એટલે કે જ્ઞાન સહાયક તેમજ ખેલ સહાયકની ભરતી કરશે. ગુજરાતના તમામ ટેટ/ટાટ પાસ થયેલ ઉમેદવારો તથા બીએડ કરતા ઉમેદવારો આ વ્યવસ્થાથી નારાજ છે. અને અમે આનો સખત વિરોધ કરી રહ્યા છે.


શિક્ષણ વિભાગ દ્વારા કાયમી શિક્ષકોની ભરતીનો જાણે સાવ છેદ ઉડાડી દેવાયો છે. શિક્ષણ વિભાગે સ્કુલોમાં મંજૂર શિક્ષકોની જગ્યાઓ પૈકી ખાલી જગ્યાઓ નિયમિત રીતે નહીં - ભરાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય અટકે નહિં તે હેતુથી તાસદીઠ માનદ વેતનથી શૈક્ષણિક કાર્ય કરાવવાની યોજના 2015થી અમલમાં મૂકી હતી. ત્યારથી માંડીને આજદિન સુધી શિક્ષણ વિભાગે જાણે કે પ્રવાસી શિક્ષકોની જ ભરતી કરવાનું મુનાસિબ સમજીને પ્રવાસી શિક્ષક નિમણુંકની પરંપરા બનાવી દીધી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.