જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ કરવા AAPના ધારાસભ્યો મેદાને, સરકારને આંદોલનની ચિમકી


  • Published By :
  • Published Date : 2023-08-30 19:09:13

રાજ્યમાં ટેટ-ટાટ જેવી પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ટેટ-ટાટ પાસ ઉમેદવારો  કરાર આધારિત જ્ઞાન સહાયકોની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવા માગ કરી રહ્યા છે. હવે આ ઉમેદવારોને રાજકીય પક્ષોનું પણ સમર્થન મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યએ ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસે જ્ઞાન સહાયક કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવા માગ કરી હતી. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આપના ધારાસભ્યોએ કહ્યું હતું કે ગુજરાતના તમામ ટેટ/ટાટ પાસ થયેલ ઉમેદવારો તથા બીએડ કરતા ઉમેદવારો આ વ્યવસ્થાથી નારાજ છે. અને અમે આનો સખત વિરોધ કરીએ છીએ.

 

આંદોલનની ચિમકી


આપના નેતા અને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ કરતા તેમણે સરકારને ગર્ભીત ચિમકી આપતા કહ્યું હતું કે 'જો રાજ્ય સરકાર તેમની માંગણી મુદ્દે યોગ્ય નિર્ણય નહીં લે તો પંદર દિવસ બાદ ગાંધીનગરમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે'


જ્ઞાન સહાયક ભરતીનો સખત વિરોધ 


ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે તે નજીકના ભવિષ્યમાં કોન્ટ્રાક્ટ શિક્ષકોની ભરતી કરશે, એટલે કે જ્ઞાન સહાયક તેમજ ખેલ સહાયકની ભરતી કરશે. ગુજરાતના તમામ ટેટ/ટાટ પાસ થયેલ ઉમેદવારો તથા બીએડ કરતા ઉમેદવારો આ વ્યવસ્થાથી નારાજ છે. અને અમે આનો સખત વિરોધ કરી રહ્યા છે.


શિક્ષણ વિભાગ દ્વારા કાયમી શિક્ષકોની ભરતીનો જાણે સાવ છેદ ઉડાડી દેવાયો છે. શિક્ષણ વિભાગે સ્કુલોમાં મંજૂર શિક્ષકોની જગ્યાઓ પૈકી ખાલી જગ્યાઓ નિયમિત રીતે નહીં - ભરાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય અટકે નહિં તે હેતુથી તાસદીઠ માનદ વેતનથી શૈક્ષણિક કાર્ય કરાવવાની યોજના 2015થી અમલમાં મૂકી હતી. ત્યારથી માંડીને આજદિન સુધી શિક્ષણ વિભાગે જાણે કે પ્રવાસી શિક્ષકોની જ ભરતી કરવાનું મુનાસિબ સમજીને પ્રવાસી શિક્ષક નિમણુંકની પરંપરા બનાવી દીધી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.