તો શું આપ MLA સુધીર વાઘાણીની વિકેટ પાક્કી?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-03 15:55:44

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી  પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી . 

Sudhir Vaghani (@SudhirVaghani_) / X

વિસાવદર બેઠકની જીત પછી , આમ આદમી પાર્ટીમા જબરદસ્ત ઉત્સાહનો માહોલ છે. તો હવે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા છે . અમદાવાદમાં આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સદસ્યતા અભિયાનનો આરંભ કરાવડાવ્યો છે. તો આ પ્રસંગે ભાવનગર જિલ્લાની ગારિયાધાર બેઠકના MLA સુધીર વાઘાણીની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી . તો આ બાબતે આમ આદમી પાર્ટીના વધુ એક ધારાસભ્યનો ખેલ પડી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. કેમ કે , આમ આદમી પાર્ટીના અમદાવાદના કાર્યક્રમમાં હાજરી તો ઠીક પણ કાર્યક્રમના બેનરમાં પણ સુધીર વાઘાણીનો ચેહરો ગાયબ હતો . માત્ર ચાર જ ચેહરાઓ ચમક્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી , ગોપાલ ઇટાલિયા , હેમંત ખવા અને ચૈતર વસાવા દેખાયા હતા. ગારિયાધારના MLA સુધીર વાઘાણી પાર્ટીથી અંતર બનાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. થોડાક સમય પેહલા બોટાદના MLA ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટી સામે વાંધો પડ્યો હતો , તેમણે પક્ષમાંથી તમામ પદેથી રાજીનામુ આપી દીધું હતું , જોકે MLA પદેથી રાજીનામુ નહોતું આપ્યું . હવે આમ આદમી પાર્ટીએ પાંચ વર્ષ માટે તેમને તમામ પદેથી સસ્પેન્ડ કરી નાખ્યા છે. તો હવે ગારિયાધારના MLA સુધીર વાઘાણીની ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી છે. 

Isudan Gadhvi appointed as AAP president in Gujarat - The Hindu

 આ બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું છે કે , "ગારિયાધારના માનનીય ધારાસભ્ય સુધીર વાઘાણી અમારી જોડે જ હતા . એમને સામાજિક કામના કારણે સુરત જવાનું હતું . એટલે કોઈ ખોટી અફવા ફેલાવવાની જરૂર નથી. ગારિયાધારના ધારાસભ્યશ્રી અમારી જોડે છે , મજબૂત છે અને ગારિયાધારના મુદ્દાઓ ઉઠાવે છે. આખી પાર્ટી પણ એમની સાથે છે. એ મુદ્દા પર ખુદ સુધીરભાઈ અહીંયા પરમ દિવસે આવ્યા હતા. અરવિંદ કેજરીવાલને પણ મળ્યા છે સાથે જ અમને પણ મળ્યા છે. મજબૂતાઈથી આગામી સમયમાં પાર્ટીને મજબૂત કરશે."  આવનારા સમયમાં ગુજરાતમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે. આ પછી ૨૦૨૭માં વિધાનસભાની ચૂંટણીઓ આવશે. તો હવે , આમ આદમી પાર્ટીએ અત્યારથી જ તૈયારી શરુ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. એટલુંજ નહિ  , આમ આદમી પાર્ટીની નજર બીજા રાજ્યોમાં પણ કોંગ્રેસના ઘટતા જનાધાર પર છે. જેમ કે , આ વર્ષના ઓક્ટોબર , નવેમ્બર મહિનામાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ છે ત્યારે , આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણીઓ લડવા જઈ રહી છે. તો હવે એ તો સમય જ બતાવશે કે , આમ આદમી પાર્ટી ગુજરાત સહીત દેશના અન્ય રાજ્યોની રાજનીતિમાં કેટલું કાઠુ કાઢે છે? 




સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.