તો શું આપ MLA સુધીર વાઘાણીની વિકેટ પાક્કી?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-03 15:55:44

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી  પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી . 

Sudhir Vaghani (@SudhirVaghani_) / X

વિસાવદર બેઠકની જીત પછી , આમ આદમી પાર્ટીમા જબરદસ્ત ઉત્સાહનો માહોલ છે. તો હવે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા છે . અમદાવાદમાં આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સદસ્યતા અભિયાનનો આરંભ કરાવડાવ્યો છે. તો આ પ્રસંગે ભાવનગર જિલ્લાની ગારિયાધાર બેઠકના MLA સુધીર વાઘાણીની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી . તો આ બાબતે આમ આદમી પાર્ટીના વધુ એક ધારાસભ્યનો ખેલ પડી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. કેમ કે , આમ આદમી પાર્ટીના અમદાવાદના કાર્યક્રમમાં હાજરી તો ઠીક પણ કાર્યક્રમના બેનરમાં પણ સુધીર વાઘાણીનો ચેહરો ગાયબ હતો . માત્ર ચાર જ ચેહરાઓ ચમક્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી , ગોપાલ ઇટાલિયા , હેમંત ખવા અને ચૈતર વસાવા દેખાયા હતા. ગારિયાધારના MLA સુધીર વાઘાણી પાર્ટીથી અંતર બનાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. થોડાક સમય પેહલા બોટાદના MLA ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટી સામે વાંધો પડ્યો હતો , તેમણે પક્ષમાંથી તમામ પદેથી રાજીનામુ આપી દીધું હતું , જોકે MLA પદેથી રાજીનામુ નહોતું આપ્યું . હવે આમ આદમી પાર્ટીએ પાંચ વર્ષ માટે તેમને તમામ પદેથી સસ્પેન્ડ કરી નાખ્યા છે. તો હવે ગારિયાધારના MLA સુધીર વાઘાણીની ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી છે. 

Isudan Gadhvi appointed as AAP president in Gujarat - The Hindu

 આ બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું છે કે , "ગારિયાધારના માનનીય ધારાસભ્ય સુધીર વાઘાણી અમારી જોડે જ હતા . એમને સામાજિક કામના કારણે સુરત જવાનું હતું . એટલે કોઈ ખોટી અફવા ફેલાવવાની જરૂર નથી. ગારિયાધારના ધારાસભ્યશ્રી અમારી જોડે છે , મજબૂત છે અને ગારિયાધારના મુદ્દાઓ ઉઠાવે છે. આખી પાર્ટી પણ એમની સાથે છે. એ મુદ્દા પર ખુદ સુધીરભાઈ અહીંયા પરમ દિવસે આવ્યા હતા. અરવિંદ કેજરીવાલને પણ મળ્યા છે સાથે જ અમને પણ મળ્યા છે. મજબૂતાઈથી આગામી સમયમાં પાર્ટીને મજબૂત કરશે."  આવનારા સમયમાં ગુજરાતમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે. આ પછી ૨૦૨૭માં વિધાનસભાની ચૂંટણીઓ આવશે. તો હવે , આમ આદમી પાર્ટીએ અત્યારથી જ તૈયારી શરુ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. એટલુંજ નહિ  , આમ આદમી પાર્ટીની નજર બીજા રાજ્યોમાં પણ કોંગ્રેસના ઘટતા જનાધાર પર છે. જેમ કે , આ વર્ષના ઓક્ટોબર , નવેમ્બર મહિનામાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ છે ત્યારે , આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણીઓ લડવા જઈ રહી છે. તો હવે એ તો સમય જ બતાવશે કે , આમ આદમી પાર્ટી ગુજરાત સહીત દેશના અન્ય રાજ્યોની રાજનીતિમાં કેટલું કાઠુ કાઢે છે? 




ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.