તો શું આપ MLA સુધીર વાઘાણીની વિકેટ પાક્કી?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-03 15:55:44

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી  પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી . 

Sudhir Vaghani (@SudhirVaghani_) / X

વિસાવદર બેઠકની જીત પછી , આમ આદમી પાર્ટીમા જબરદસ્ત ઉત્સાહનો માહોલ છે. તો હવે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા છે . અમદાવાદમાં આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સદસ્યતા અભિયાનનો આરંભ કરાવડાવ્યો છે. તો આ પ્રસંગે ભાવનગર જિલ્લાની ગારિયાધાર બેઠકના MLA સુધીર વાઘાણીની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી . તો આ બાબતે આમ આદમી પાર્ટીના વધુ એક ધારાસભ્યનો ખેલ પડી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. કેમ કે , આમ આદમી પાર્ટીના અમદાવાદના કાર્યક્રમમાં હાજરી તો ઠીક પણ કાર્યક્રમના બેનરમાં પણ સુધીર વાઘાણીનો ચેહરો ગાયબ હતો . માત્ર ચાર જ ચેહરાઓ ચમક્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી , ગોપાલ ઇટાલિયા , હેમંત ખવા અને ચૈતર વસાવા દેખાયા હતા. ગારિયાધારના MLA સુધીર વાઘાણી પાર્ટીથી અંતર બનાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. થોડાક સમય પેહલા બોટાદના MLA ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટી સામે વાંધો પડ્યો હતો , તેમણે પક્ષમાંથી તમામ પદેથી રાજીનામુ આપી દીધું હતું , જોકે MLA પદેથી રાજીનામુ નહોતું આપ્યું . હવે આમ આદમી પાર્ટીએ પાંચ વર્ષ માટે તેમને તમામ પદેથી સસ્પેન્ડ કરી નાખ્યા છે. તો હવે ગારિયાધારના MLA સુધીર વાઘાણીની ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી છે. 

Isudan Gadhvi appointed as AAP president in Gujarat - The Hindu

 આ બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું છે કે , "ગારિયાધારના માનનીય ધારાસભ્ય સુધીર વાઘાણી અમારી જોડે જ હતા . એમને સામાજિક કામના કારણે સુરત જવાનું હતું . એટલે કોઈ ખોટી અફવા ફેલાવવાની જરૂર નથી. ગારિયાધારના ધારાસભ્યશ્રી અમારી જોડે છે , મજબૂત છે અને ગારિયાધારના મુદ્દાઓ ઉઠાવે છે. આખી પાર્ટી પણ એમની સાથે છે. એ મુદ્દા પર ખુદ સુધીરભાઈ અહીંયા પરમ દિવસે આવ્યા હતા. અરવિંદ કેજરીવાલને પણ મળ્યા છે સાથે જ અમને પણ મળ્યા છે. મજબૂતાઈથી આગામી સમયમાં પાર્ટીને મજબૂત કરશે."  આવનારા સમયમાં ગુજરાતમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે. આ પછી ૨૦૨૭માં વિધાનસભાની ચૂંટણીઓ આવશે. તો હવે , આમ આદમી પાર્ટીએ અત્યારથી જ તૈયારી શરુ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. એટલુંજ નહિ  , આમ આદમી પાર્ટીની નજર બીજા રાજ્યોમાં પણ કોંગ્રેસના ઘટતા જનાધાર પર છે. જેમ કે , આ વર્ષના ઓક્ટોબર , નવેમ્બર મહિનામાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ છે ત્યારે , આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણીઓ લડવા જઈ રહી છે. તો હવે એ તો સમય જ બતાવશે કે , આમ આદમી પાર્ટી ગુજરાત સહીત દેશના અન્ય રાજ્યોની રાજનીતિમાં કેટલું કાઠુ કાઢે છે? 




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .