તો શું આપ MLA સુધીર વાઘાણીની વિકેટ પાક્કી?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-03 15:55:44

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી  પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી . 

Sudhir Vaghani (@SudhirVaghani_) / X

વિસાવદર બેઠકની જીત પછી , આમ આદમી પાર્ટીમા જબરદસ્ત ઉત્સાહનો માહોલ છે. તો હવે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા છે . અમદાવાદમાં આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સદસ્યતા અભિયાનનો આરંભ કરાવડાવ્યો છે. તો આ પ્રસંગે ભાવનગર જિલ્લાની ગારિયાધાર બેઠકના MLA સુધીર વાઘાણીની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી . તો આ બાબતે આમ આદમી પાર્ટીના વધુ એક ધારાસભ્યનો ખેલ પડી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. કેમ કે , આમ આદમી પાર્ટીના અમદાવાદના કાર્યક્રમમાં હાજરી તો ઠીક પણ કાર્યક્રમના બેનરમાં પણ સુધીર વાઘાણીનો ચેહરો ગાયબ હતો . માત્ર ચાર જ ચેહરાઓ ચમક્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી , ગોપાલ ઇટાલિયા , હેમંત ખવા અને ચૈતર વસાવા દેખાયા હતા. ગારિયાધારના MLA સુધીર વાઘાણી પાર્ટીથી અંતર બનાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. થોડાક સમય પેહલા બોટાદના MLA ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટી સામે વાંધો પડ્યો હતો , તેમણે પક્ષમાંથી તમામ પદેથી રાજીનામુ આપી દીધું હતું , જોકે MLA પદેથી રાજીનામુ નહોતું આપ્યું . હવે આમ આદમી પાર્ટીએ પાંચ વર્ષ માટે તેમને તમામ પદેથી સસ્પેન્ડ કરી નાખ્યા છે. તો હવે ગારિયાધારના MLA સુધીર વાઘાણીની ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી છે. 

Isudan Gadhvi appointed as AAP president in Gujarat - The Hindu

 આ બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું છે કે , "ગારિયાધારના માનનીય ધારાસભ્ય સુધીર વાઘાણી અમારી જોડે જ હતા . એમને સામાજિક કામના કારણે સુરત જવાનું હતું . એટલે કોઈ ખોટી અફવા ફેલાવવાની જરૂર નથી. ગારિયાધારના ધારાસભ્યશ્રી અમારી જોડે છે , મજબૂત છે અને ગારિયાધારના મુદ્દાઓ ઉઠાવે છે. આખી પાર્ટી પણ એમની સાથે છે. એ મુદ્દા પર ખુદ સુધીરભાઈ અહીંયા પરમ દિવસે આવ્યા હતા. અરવિંદ કેજરીવાલને પણ મળ્યા છે સાથે જ અમને પણ મળ્યા છે. મજબૂતાઈથી આગામી સમયમાં પાર્ટીને મજબૂત કરશે."  આવનારા સમયમાં ગુજરાતમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે. આ પછી ૨૦૨૭માં વિધાનસભાની ચૂંટણીઓ આવશે. તો હવે , આમ આદમી પાર્ટીએ અત્યારથી જ તૈયારી શરુ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. એટલુંજ નહિ  , આમ આદમી પાર્ટીની નજર બીજા રાજ્યોમાં પણ કોંગ્રેસના ઘટતા જનાધાર પર છે. જેમ કે , આ વર્ષના ઓક્ટોબર , નવેમ્બર મહિનામાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ છે ત્યારે , આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણીઓ લડવા જઈ રહી છે. તો હવે એ તો સમય જ બતાવશે કે , આમ આદમી પાર્ટી ગુજરાત સહીત દેશના અન્ય રાજ્યોની રાજનીતિમાં કેટલું કાઠુ કાઢે છે? 




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.