AAPના ધારાસભ્ય Umesh Makwanaએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, લખ્યું કે PM-CMના પગારમાંથી ખર્ચ ચૂકવો!


  • Published By :
  • Published Date : 2024-01-10 15:11:17

ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઈ રહ્યું છે. આ સમિટમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી મહેમાનો ગુજરાત આવ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ સમિટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સમિટને સફળ કરવા માટે કરોડોનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે. ત્યારે સમિટમાં કરવામાં આવેલો ખર્ચો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પગારમાંથી ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરતો પત્ર આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ લખ્યો છે. 

સમિટના ખર્ચ અંગે ઉમેશ મકવાણાએ કહી આ વાત  

ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવતું હોય છે. દેશ વિદેશના ઈન્વેશ્ટર ગુજરાતમાં રોકાણ કરે તે હેતુ સાથે આ વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આ વખતે પણ આ સમિટનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. 10થી 12 જાન્યુઆરી દરમિયાન ચાલવાવાળા આ સમિટમાં કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે સમિટમાં કરવામાં આવતા ખર્ચા પીએમ મોદી તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલના પગારમાંથી ચૂકવવામાં આવે તેવી માગ સાથેનો પત્ર આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ લખ્યો છે. મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. 


થોડા સમય પહેલા પણ ઉમેશ મકવાણાએ લખ્યો હતો પત્ર 

મહત્વનું છે કે બોટાદના ધારાસભ્યએ થોડા ટાઈમ પહેલા પણ એક પત્ર લખ્યો હતો અને રજૂઆત કરી હતી કે તેમના સંપત્તિની તપાસ કરવામાં આવે. તે અંગે કોઈ એક્શન ન લેવાતા ધારાસભ્યએ પોતે જ પોતાની મિલકત અંગેની માહિતી આપી. તેમણે એ પણ જણાવ્યું હતું કે જ્યાં સુધી હું ધારાસભ્ય રહીશ, ત્યાં સુધી જનતાને મારી આવક અને સંપત્તિનો હિસાબ દર વર્ષે આપતો રહીશ. ત્યારે ફરી એક વખત ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.