AAPના ધારાસભ્ય Umesh Makwanaએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, લખ્યું કે PM-CMના પગારમાંથી ખર્ચ ચૂકવો!


  • Published By :
  • Published Date : 2024-01-10 15:11:17

ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઈ રહ્યું છે. આ સમિટમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી મહેમાનો ગુજરાત આવ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ સમિટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સમિટને સફળ કરવા માટે કરોડોનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે. ત્યારે સમિટમાં કરવામાં આવેલો ખર્ચો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પગારમાંથી ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરતો પત્ર આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ લખ્યો છે. 

સમિટના ખર્ચ અંગે ઉમેશ મકવાણાએ કહી આ વાત  

ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવતું હોય છે. દેશ વિદેશના ઈન્વેશ્ટર ગુજરાતમાં રોકાણ કરે તે હેતુ સાથે આ વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આ વખતે પણ આ સમિટનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. 10થી 12 જાન્યુઆરી દરમિયાન ચાલવાવાળા આ સમિટમાં કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે સમિટમાં કરવામાં આવતા ખર્ચા પીએમ મોદી તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલના પગારમાંથી ચૂકવવામાં આવે તેવી માગ સાથેનો પત્ર આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ લખ્યો છે. મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. 


થોડા સમય પહેલા પણ ઉમેશ મકવાણાએ લખ્યો હતો પત્ર 

મહત્વનું છે કે બોટાદના ધારાસભ્યએ થોડા ટાઈમ પહેલા પણ એક પત્ર લખ્યો હતો અને રજૂઆત કરી હતી કે તેમના સંપત્તિની તપાસ કરવામાં આવે. તે અંગે કોઈ એક્શન ન લેવાતા ધારાસભ્યએ પોતે જ પોતાની મિલકત અંગેની માહિતી આપી. તેમણે એ પણ જણાવ્યું હતું કે જ્યાં સુધી હું ધારાસભ્ય રહીશ, ત્યાં સુધી જનતાને મારી આવક અને સંપત્તિનો હિસાબ દર વર્ષે આપતો રહીશ. ત્યારે ફરી એક વખત ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે