AAPના ધારાસભ્ય Umesh Makwanaએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, લખ્યું કે PM-CMના પગારમાંથી ખર્ચ ચૂકવો!


  • Published By :
  • Published Date : 2024-01-10 15:11:17

ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઈ રહ્યું છે. આ સમિટમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી મહેમાનો ગુજરાત આવ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ સમિટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સમિટને સફળ કરવા માટે કરોડોનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે. ત્યારે સમિટમાં કરવામાં આવેલો ખર્ચો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પગારમાંથી ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરતો પત્ર આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ લખ્યો છે. 

સમિટના ખર્ચ અંગે ઉમેશ મકવાણાએ કહી આ વાત  

ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવતું હોય છે. દેશ વિદેશના ઈન્વેશ્ટર ગુજરાતમાં રોકાણ કરે તે હેતુ સાથે આ વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આ વખતે પણ આ સમિટનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. 10થી 12 જાન્યુઆરી દરમિયાન ચાલવાવાળા આ સમિટમાં કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે સમિટમાં કરવામાં આવતા ખર્ચા પીએમ મોદી તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલના પગારમાંથી ચૂકવવામાં આવે તેવી માગ સાથેનો પત્ર આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ લખ્યો છે. મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. 


થોડા સમય પહેલા પણ ઉમેશ મકવાણાએ લખ્યો હતો પત્ર 

મહત્વનું છે કે બોટાદના ધારાસભ્યએ થોડા ટાઈમ પહેલા પણ એક પત્ર લખ્યો હતો અને રજૂઆત કરી હતી કે તેમના સંપત્તિની તપાસ કરવામાં આવે. તે અંગે કોઈ એક્શન ન લેવાતા ધારાસભ્યએ પોતે જ પોતાની મિલકત અંગેની માહિતી આપી. તેમણે એ પણ જણાવ્યું હતું કે જ્યાં સુધી હું ધારાસભ્ય રહીશ, ત્યાં સુધી જનતાને મારી આવક અને સંપત્તિનો હિસાબ દર વર્ષે આપતો રહીશ. ત્યારે ફરી એક વખત ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.