Ram Mandir Pratishtha Mahotsavને લઈ બોલ્યા AAPના સાંસદ હરભજનસિંહ, પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું અયોધ્યા જઈશ... સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-20 12:29:13

22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. અનેક લોકો વર્ષોથી એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થાય. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અનુષ્ઠાનનો આજે પાંચમો દિવસ છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. અનેક વિપક્ષી પાર્ટીઓએ આ કાર્યક્રમમાં ન આવવાની જાહેરાત કરી છે. આ બધા વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ હરભજનસિંહ આ કાર્યક્રમમાં જશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમમાં કોઈ જાય કે ના જાય પરંતુ તે આ કાર્યક્રમમાં ભાગ લેશે. 

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા અપાયું આમંત્રણ

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. કોંગ્રેસે આ મહોત્સવને ભાજપની ઈવેન્ટ ગણાવી છે. ઉપરાંત અનેક વિપક્ષી પાર્ટીઓ દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ નિવેદનો આપવામાં આવ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ અનેક તર્ક-વિતર્ક થયા. અલગ અલગ પાર્ટી દ્વારા આ કાર્યક્રમને લઈ અલગ અલગ જાહેરાતો કરવામાં આવી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા અનેક હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેને લઈ તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. આ બધા વચ્ચે આપના રાજ્યસભા સાંસદ હરભજનસિંહ દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ નિવેદન આપવામાં આવ્યું છે. 


આપના સાંસદ હરભજનસિંહે પ્રતિષ્ઠા મહોત્સવને લઈ આપી પ્રતિક્રિયા

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવા અનેક ક્રિકેટરોને આમંત્રણ આપવામાં આવ્યું છે. મહેન્દ્રસિંહ ધોની, સચિન તેંડુલકર, વિરાટ કોહલી સહિત અનેક ક્રિકેટરોને આમંત્રણ આપવામાં આવ્યું છે. હરભજનસિંહે કહ્યું કે 'કોણ કહે છે એ અલગ વાત છે... રામમંદિરના કાર્યક્રમમાં કોણે જવું છે કે નહીં, કોંગ્રેસે જવું કે નહીં, અન્ય પક્ષો જવા માગે કે ન જાય તેનાથી મને કોઈ ફરક પડતો નથી, પણ હું ચોક્કસપણે જશે. આ મારો પરિપ્રેક્ષ્ય છે અને ભગવાનમાં વિશ્વાસ રાખનાર વ્યક્તિ તરીકે ઊભો છું. જો કોઈને મારા (રામ મંદિર) જવાથી કોઈ સમસ્યા હોય તો તેઓ જે ઈચ્છે તે કરી શકે છે.



There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.