Ram Mandir Pratishtha Mahotsavને લઈ બોલ્યા AAPના સાંસદ હરભજનસિંહ, પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું અયોધ્યા જઈશ... સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-20 12:29:13

22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. અનેક લોકો વર્ષોથી એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થાય. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અનુષ્ઠાનનો આજે પાંચમો દિવસ છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. અનેક વિપક્ષી પાર્ટીઓએ આ કાર્યક્રમમાં ન આવવાની જાહેરાત કરી છે. આ બધા વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ હરભજનસિંહ આ કાર્યક્રમમાં જશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમમાં કોઈ જાય કે ના જાય પરંતુ તે આ કાર્યક્રમમાં ભાગ લેશે. 

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા અપાયું આમંત્રણ

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. કોંગ્રેસે આ મહોત્સવને ભાજપની ઈવેન્ટ ગણાવી છે. ઉપરાંત અનેક વિપક્ષી પાર્ટીઓ દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ નિવેદનો આપવામાં આવ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ અનેક તર્ક-વિતર્ક થયા. અલગ અલગ પાર્ટી દ્વારા આ કાર્યક્રમને લઈ અલગ અલગ જાહેરાતો કરવામાં આવી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા અનેક હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેને લઈ તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. આ બધા વચ્ચે આપના રાજ્યસભા સાંસદ હરભજનસિંહ દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ નિવેદન આપવામાં આવ્યું છે. 


આપના સાંસદ હરભજનસિંહે પ્રતિષ્ઠા મહોત્સવને લઈ આપી પ્રતિક્રિયા

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવા અનેક ક્રિકેટરોને આમંત્રણ આપવામાં આવ્યું છે. મહેન્દ્રસિંહ ધોની, સચિન તેંડુલકર, વિરાટ કોહલી સહિત અનેક ક્રિકેટરોને આમંત્રણ આપવામાં આવ્યું છે. હરભજનસિંહે કહ્યું કે 'કોણ કહે છે એ અલગ વાત છે... રામમંદિરના કાર્યક્રમમાં કોણે જવું છે કે નહીં, કોંગ્રેસે જવું કે નહીં, અન્ય પક્ષો જવા માગે કે ન જાય તેનાથી મને કોઈ ફરક પડતો નથી, પણ હું ચોક્કસપણે જશે. આ મારો પરિપ્રેક્ષ્ય છે અને ભગવાનમાં વિશ્વાસ રાખનાર વ્યક્તિ તરીકે ઊભો છું. જો કોઈને મારા (રામ મંદિર) જવાથી કોઈ સમસ્યા હોય તો તેઓ જે ઈચ્છે તે કરી શકે છે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.