Ram Mandir Pratishtha Mahotsavને લઈ બોલ્યા AAPના સાંસદ હરભજનસિંહ, પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું અયોધ્યા જઈશ... સાંભળો શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-20 12:29:13

22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. અનેક લોકો વર્ષોથી એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થાય. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અનુષ્ઠાનનો આજે પાંચમો દિવસ છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. અનેક વિપક્ષી પાર્ટીઓએ આ કાર્યક્રમમાં ન આવવાની જાહેરાત કરી છે. આ બધા વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ હરભજનસિંહ આ કાર્યક્રમમાં જશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમમાં કોઈ જાય કે ના જાય પરંતુ તે આ કાર્યક્રમમાં ભાગ લેશે. 

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા અપાયું આમંત્રણ

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. કોંગ્રેસે આ મહોત્સવને ભાજપની ઈવેન્ટ ગણાવી છે. ઉપરાંત અનેક વિપક્ષી પાર્ટીઓ દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ નિવેદનો આપવામાં આવ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ અનેક તર્ક-વિતર્ક થયા. અલગ અલગ પાર્ટી દ્વારા આ કાર્યક્રમને લઈ અલગ અલગ જાહેરાતો કરવામાં આવી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા અનેક હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેને લઈ તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. આ બધા વચ્ચે આપના રાજ્યસભા સાંસદ હરભજનસિંહ દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ નિવેદન આપવામાં આવ્યું છે. 


આપના સાંસદ હરભજનસિંહે પ્રતિષ્ઠા મહોત્સવને લઈ આપી પ્રતિક્રિયા

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવા અનેક ક્રિકેટરોને આમંત્રણ આપવામાં આવ્યું છે. મહેન્દ્રસિંહ ધોની, સચિન તેંડુલકર, વિરાટ કોહલી સહિત અનેક ક્રિકેટરોને આમંત્રણ આપવામાં આવ્યું છે. હરભજનસિંહે કહ્યું કે 'કોણ કહે છે એ અલગ વાત છે... રામમંદિરના કાર્યક્રમમાં કોણે જવું છે કે નહીં, કોંગ્રેસે જવું કે નહીં, અન્ય પક્ષો જવા માગે કે ન જાય તેનાથી મને કોઈ ફરક પડતો નથી, પણ હું ચોક્કસપણે જશે. આ મારો પરિપ્રેક્ષ્ય છે અને ભગવાનમાં વિશ્વાસ રાખનાર વ્યક્તિ તરીકે ઊભો છું. જો કોઈને મારા (રામ મંદિર) જવાથી કોઈ સમસ્યા હોય તો તેઓ જે ઈચ્છે તે કરી શકે છે.



લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.