Modasa પહોંચશે AAPની Dandi Yatra2.0, TET-TAT ઉમેદવારોના સમર્થનમાં નિકળેલી યુવા અધિકાર યાત્રાને મળતો જન પ્રતિસાદ!


  • Published By :
  • Published Date : 2023-10-18 12:15:38

પાંચ દિવસ પહેલા દાંડીથી જ્ઞાન સહાયક યોજના નાબુદ કરવામાં આવે તે માટે આમ આદમી પાર્ટીએ યુવા અધિકાર યાત્રા નિકાળી હતી. કરાર આધારિત ભરતી નહીં પરંતુ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે. સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ ગયા છે. આંદોલન કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી આવી છે. કોંગ્રેસે પણ ઉમેદવારોના સમર્થનમાં આવી ધરણાનું આયોજન કર્યું હતું ત્યારે આમ આદમી પાર્ટીએ દાંડી યાત્રા 2.0 નિકાળી છે.

    

દાંડી યાત્રા 2.0 આજે મોડાસા પહોંચશે 

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભાવિ શિક્ષકો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. આંદોલનો કરી સરકાર દ્વારા લાવવામાં આવેલા જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી રહ્યા છે. સરકાર પોતાના વાત પર, પોતાના આ નિર્ણય પર મક્કમ છે તેવું લાગી રહ્યું છે. સરકાર તરફથી તો કોઈ વાત નથી સાંભળતું પરંતુ રાજકીય પક્ષના ઉમેદવારોને સહકાર, સમર્થન મળી રહ્યું છે. જ્ઞાન સહાયકને નાબુદ કરવામાં આવે તેવી માગ સાથે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે. શિક્ષણને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દાંડી યાત્રા 2.0નો આજે પાંચમો દિવસ છે. મોડાસા ખાતે આજે યાત્રા પહોંચવાની છે. 

આંદોલનનું શું આવશે પરિણામ? 

દાંડીથી નીકળેલી યુવા અધિકાર યાત્રામાં યુવરાજસિંહ, ચૈતર વસાવા ઉપરાંત હજારો ટેટ-ટાટ પાસ ઉમેદવારો છે. જ્યાં જ્યાંથી આ યાત્રા પસાર થઈ રહી છે ત્યાં આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ યાત્રા દરમિયાન યુવરાજસિંહ તેમજ ચૈતર વસાવાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. મહત્વનું છે કે ઉમેદવારો પણ આ વખતે લડી લેવાના મૂડમાં છે જ્યારે સરકાર પણ પોતાની વાત પર મક્કમ છે. ત્યારે જોવું રહ્યું કે આ આંદોલનનું પરિણામ આવનાર સમયમાં શું આવે છે?         



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.