Modasa પહોંચશે AAPની Dandi Yatra2.0, TET-TAT ઉમેદવારોના સમર્થનમાં નિકળેલી યુવા અધિકાર યાત્રાને મળતો જન પ્રતિસાદ!


  • Published By :
  • Published Date : 2023-10-18 12:15:38

પાંચ દિવસ પહેલા દાંડીથી જ્ઞાન સહાયક યોજના નાબુદ કરવામાં આવે તે માટે આમ આદમી પાર્ટીએ યુવા અધિકાર યાત્રા નિકાળી હતી. કરાર આધારિત ભરતી નહીં પરંતુ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે. સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ ગયા છે. આંદોલન કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી આવી છે. કોંગ્રેસે પણ ઉમેદવારોના સમર્થનમાં આવી ધરણાનું આયોજન કર્યું હતું ત્યારે આમ આદમી પાર્ટીએ દાંડી યાત્રા 2.0 નિકાળી છે.

    

દાંડી યાત્રા 2.0 આજે મોડાસા પહોંચશે 

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભાવિ શિક્ષકો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. આંદોલનો કરી સરકાર દ્વારા લાવવામાં આવેલા જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી રહ્યા છે. સરકાર પોતાના વાત પર, પોતાના આ નિર્ણય પર મક્કમ છે તેવું લાગી રહ્યું છે. સરકાર તરફથી તો કોઈ વાત નથી સાંભળતું પરંતુ રાજકીય પક્ષના ઉમેદવારોને સહકાર, સમર્થન મળી રહ્યું છે. જ્ઞાન સહાયકને નાબુદ કરવામાં આવે તેવી માગ સાથે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે. શિક્ષણને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દાંડી યાત્રા 2.0નો આજે પાંચમો દિવસ છે. મોડાસા ખાતે આજે યાત્રા પહોંચવાની છે. 

આંદોલનનું શું આવશે પરિણામ? 

દાંડીથી નીકળેલી યુવા અધિકાર યાત્રામાં યુવરાજસિંહ, ચૈતર વસાવા ઉપરાંત હજારો ટેટ-ટાટ પાસ ઉમેદવારો છે. જ્યાં જ્યાંથી આ યાત્રા પસાર થઈ રહી છે ત્યાં આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ યાત્રા દરમિયાન યુવરાજસિંહ તેમજ ચૈતર વસાવાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. મહત્વનું છે કે ઉમેદવારો પણ આ વખતે લડી લેવાના મૂડમાં છે જ્યારે સરકાર પણ પોતાની વાત પર મક્કમ છે. ત્યારે જોવું રહ્યું કે આ આંદોલનનું પરિણામ આવનાર સમયમાં શું આવે છે?         



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.