જોર-શોરથી ગુજરાતમાં ચાલતો AAPનો ચૂંટણી પ્રચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 16:23:45

ગુજરાતમાં આમ આદમી પાર્ટી પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહી છે. ચૂંટણી નજીક આવતા આપના અનેક નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે યુવાઓને આકર્ષવા માટે આપ રાજ્યસભાના સાંસદ અને આપ ગુજરાતના સહપ્રભારી રાઘવ ચડ્ડા ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રાઘવ ચડ્ડાએ કહ્યું કે ગુજરાતમાં લોકો ભાજપથી નારાજ છે. લોકો આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. 

MP Raghav Chadha appointed AAP's Gujarat co-incharge for state polls |  India News – India TV


આપનો પ્રચાર કરી રહ્યા છે રાઘવ ચડ્ડા

ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ચૂંટણીમાં જંગ જામવાનો છે. કોઈ પણ પાર્ટી પ્રચારમાં કાચુ કાપવા નથી માંગતું. દરેક પાર્ટી પોતાના વરિષ્ઠ અને પ્રભાવશાળી નેતાઓને પ્રચાર માટે ઉતારી રહી છે. ત્યારે આપે પણ રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાને ચૂંટણી પ્રચાર માટે પસંદ કર્યા છે. રાઘવ ચડ્ડા હાલ ગુજરાતના પ્રવાસે છે. ઉપરાંત અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, ભગવંત માન પણ હાલ ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેમણે કહ્યું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે હું સાચા માર્ગે ચાલીને અને પ્રામાણિક્તાના માર્ગે ચાલીને મારી જવાબદારી નિભાવી શકું. ગુજરાતમાં 27 વર્ષના શાસન બાદ લોકો ભાજપથી કંટાળી ગયા છે. 


AAP aims for Gujarat after Punjab win, to kick off 'tiranga yatra' in April  - India News


ગુજરાત માંગે પરિવર્તન - રાઘવ ચડ્ડા

વધુમાં તેમણે કહ્યું હતું કે આજે દરેક ગુજરાતીના મનમાં ત્રણ વાત છે. પ્રથમ વસ્તુ છે પરિવર્તન, બીજુ છે પરિવર્તન અને ત્રીજી વસ્તુ પણ છે પરિવર્તન. કોંગ્રેસ પાર્ટી પરિવર્તન નથી આપી શકી. લોકો અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પાસે અપેક્ષા રાખી રહ્યા છે. દિલ્હીમાં પણ ગુજરાતની જેમ 15 વર્ષ સુધી એક જ પક્ષના સરકાર હતી. 15 વર્ષ પછી ચૂંટણી થઈ ત્યારે આમ આદમી પાર્ટી પહેલીવાર ચૂંટણી લડી હતી અને દિલ્હીની જનતાએ 15 વર્ષ જૂની સરકારને ફગાવી નાખી હતી. અરવિંદ કેજરીવાલની ગેરેંટીની વાત પર પ્રતિક્રિયા આપતા રાઘવ ચડ્ડાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલે ગુજરાતના યુવાનોને રોજગારની ગેરેંટી આપી છે. નોકરીઓ ન મળે ત્યાં સુધી દર મહિને 3000 રુપિયા બેરોજગારી ભથ્થું આપવાની ખાતરી આપી છે તે પૂરી કરશે. ઉપરાંત ગુજરાતના લોકોને પણ દિલ્હી અને પંજાબની જેમ મફતમાં વીજળી આપવામાં આવશે.        



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .