જોર-શોરથી ગુજરાતમાં ચાલતો AAPનો ચૂંટણી પ્રચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 16:23:45

ગુજરાતમાં આમ આદમી પાર્ટી પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહી છે. ચૂંટણી નજીક આવતા આપના અનેક નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે યુવાઓને આકર્ષવા માટે આપ રાજ્યસભાના સાંસદ અને આપ ગુજરાતના સહપ્રભારી રાઘવ ચડ્ડા ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રાઘવ ચડ્ડાએ કહ્યું કે ગુજરાતમાં લોકો ભાજપથી નારાજ છે. લોકો આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. 

MP Raghav Chadha appointed AAP's Gujarat co-incharge for state polls |  India News – India TV


આપનો પ્રચાર કરી રહ્યા છે રાઘવ ચડ્ડા

ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ચૂંટણીમાં જંગ જામવાનો છે. કોઈ પણ પાર્ટી પ્રચારમાં કાચુ કાપવા નથી માંગતું. દરેક પાર્ટી પોતાના વરિષ્ઠ અને પ્રભાવશાળી નેતાઓને પ્રચાર માટે ઉતારી રહી છે. ત્યારે આપે પણ રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાને ચૂંટણી પ્રચાર માટે પસંદ કર્યા છે. રાઘવ ચડ્ડા હાલ ગુજરાતના પ્રવાસે છે. ઉપરાંત અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, ભગવંત માન પણ હાલ ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેમણે કહ્યું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે હું સાચા માર્ગે ચાલીને અને પ્રામાણિક્તાના માર્ગે ચાલીને મારી જવાબદારી નિભાવી શકું. ગુજરાતમાં 27 વર્ષના શાસન બાદ લોકો ભાજપથી કંટાળી ગયા છે. 


AAP aims for Gujarat after Punjab win, to kick off 'tiranga yatra' in April  - India News


ગુજરાત માંગે પરિવર્તન - રાઘવ ચડ્ડા

વધુમાં તેમણે કહ્યું હતું કે આજે દરેક ગુજરાતીના મનમાં ત્રણ વાત છે. પ્રથમ વસ્તુ છે પરિવર્તન, બીજુ છે પરિવર્તન અને ત્રીજી વસ્તુ પણ છે પરિવર્તન. કોંગ્રેસ પાર્ટી પરિવર્તન નથી આપી શકી. લોકો અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પાસે અપેક્ષા રાખી રહ્યા છે. દિલ્હીમાં પણ ગુજરાતની જેમ 15 વર્ષ સુધી એક જ પક્ષના સરકાર હતી. 15 વર્ષ પછી ચૂંટણી થઈ ત્યારે આમ આદમી પાર્ટી પહેલીવાર ચૂંટણી લડી હતી અને દિલ્હીની જનતાએ 15 વર્ષ જૂની સરકારને ફગાવી નાખી હતી. અરવિંદ કેજરીવાલની ગેરેંટીની વાત પર પ્રતિક્રિયા આપતા રાઘવ ચડ્ડાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલે ગુજરાતના યુવાનોને રોજગારની ગેરેંટી આપી છે. નોકરીઓ ન મળે ત્યાં સુધી દર મહિને 3000 રુપિયા બેરોજગારી ભથ્થું આપવાની ખાતરી આપી છે તે પૂરી કરશે. ઉપરાંત ગુજરાતના લોકોને પણ દિલ્હી અને પંજાબની જેમ મફતમાં વીજળી આપવામાં આવશે.        



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.