AAPના જગમલવાળા- કોંગ્રેસના Vimal Chudasama વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-05 19:43:08

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે... બંને પાર્ટીના નેતાઓ એકબીજા સાથે અનેક વખત દેખાતા હોય છે.. પરંતુ જૂનાગઢ લોકસભા બેઠક પરથી જે દ્રશ્યો સામે આવ્યા તેની ચર્ચા થઈ રહી છે.. વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...  

વેરાવળમાં ગઈકાલે મળી હતી સભા

જૂનાગઢ લોકસભા બેઠક પર ખરાખરીનો જંગ જામ્યો છે. ભાજપના સાંસદ રાજેશ ચૂડાસમા અને કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા વચ્ચે.. લોકસભાની ચૂંટણીમાં તમામ પાર્ટીઓ જોરશોરથી મહેનત કરી રહી છે... એવામાં વેરાવળમાં ગઈકાલે ટાવરચોકમાં એક સભા રાખવામાં આવી હતી અને આમ આદમી પાર્ટીના નેતા જગમલભાઈ વાળા કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા... ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત બંને પાર્ટીઓ એકબીજાના સહયોગથી લડી રહી છે.... પણ જગમલવાળાએ તો કોંગ્રેસના નેતા પર જ પ્રહાર કરી દીધા... કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા એક ધારાસભ્યને ગદ્દાર તો એકને અર્ધસરકારી ગણાવી દીધા છે.... જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવ્યો છે....તાલાળાથી ધારાસભ્ય અને કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા ભગા બારડ પર આકરા પ્રહારો કર્યા તેમણે કોંગ્રેસ સાથે 3 વર્ષ ગદ્દારી કરી.. 


જગમલવાળા અને વિમલ ચૂડાસમા આવ્યા આમને સામને!

તેમણે કહ્યું કે અમારો હીરો ચૂંટણી લડી રહ્યો છે... એક હીરો અહીં છે એક વાસ્તિવક હીરો ક્યાંય જડતો નથી... એટલે કે વિમલ ચૂડાસમા પર સૌરાષ્ટ્રમાં જે એકમાત્ર ધારાસભ્ય બચ્યાં છે એ પણ અર્ધ સરકારી થઈ ગયો... એવા જગમલ વાળાએ પ્રહાર કર્યા હતા... તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલવાળાને વળતો જવાબ આપ્યો છે... તેમણે કહ્યું કે, 2022માં મારી સામે હારેલા છે એના કારણે આવા નિવેદન કરે છે.. અને આમેય જગમલભાઈ તો ભાજપના માણસ છે... ભાજપના ઈશારે જગમલભાઈ કામ કરે છે... 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.