ગોપાલ ઈટાલિયાની હકાલપટ્ટી કે પ્રમોશન, આમ આદમી પાર્ટીએ આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-01-05 18:15:21

આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયાને હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે.  ગોપાલ ઈટાલિયાની હકાલપટ્ટી થઈ કે પ્રમોશન તે અંગે પાર્ટીમાં અને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી છે. જો કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય મહાસચિવ (સંગઠન) અને રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકે ખુલાસો કરતા કહ્યું કે ગોપાલ ઈટાલિયાને રાષ્ટ્રિય રાજકારણમાં લાવવામાં આવ્યા છે.


ગોપાલ ઈટાલિયા મુદ્દે પાર્ટીની સ્પષ્ટતા


AAPના રાષ્ટ્રિય મહાસચિવ (સંગઠન) સંદીપ પાઠકે મીડીયા સાથેની મુલાકાતમાં પાર્ટીની ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. સંદીપ પાઠકે ગોપાલ ઈટાલિયા અંગેના સવાલનો જવાબ આપતા કહ્યું કે પાર્ટી રાષ્ટ્રીય ફલક પર ફેલાઈ રહી છે. પાર્ટીના કાર્યકરોની આશાઓ મુજબ થયેલ આ એક નિયમિત ફેરબદલ છે. ગોપાલ ઈટાાલિયાની ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે હલાકપટ્ટી નહીં પણ તેમને રાષ્ટ્રિય રાજનિતીમાં લાવવામાં આવ્યા છે અને તેમને મોટી ભૂમિકા આપવામાં આવી છે.


તમામ 9 રાજ્યોમાં ચૂંટણી લડશે


સંદીપ પાઠકો આમ આદમી પાર્ટીની ચૂંટણી રણનિતી અંગે જણાવ્યું કે પાર્ટી તમામ 9 રાજ્યોમાં ઉમેદવારો ઉતારશે. વર્ષ 2023માં યોજાનારી વિવિધ ચૂંટણી માટે પાર્ટી તેની સંભાવનાઓનું વિષ્લષણ કરી રહી છે. આ માટે કેટલાક રાજ્યોમાં પાર્ટી આંતરિક સર્વે પણ કરાવી રહી છે. એક મહિના બાદ તેની યોજનાઓ અંગે જાહેરાત કરશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.