ગોપાલ ઈટાલિયાની હકાલપટ્ટી કે પ્રમોશન, આમ આદમી પાર્ટીએ આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-01-05 18:15:21

આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયાને હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે.  ગોપાલ ઈટાલિયાની હકાલપટ્ટી થઈ કે પ્રમોશન તે અંગે પાર્ટીમાં અને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી છે. જો કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય મહાસચિવ (સંગઠન) અને રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકે ખુલાસો કરતા કહ્યું કે ગોપાલ ઈટાલિયાને રાષ્ટ્રિય રાજકારણમાં લાવવામાં આવ્યા છે.


ગોપાલ ઈટાલિયા મુદ્દે પાર્ટીની સ્પષ્ટતા


AAPના રાષ્ટ્રિય મહાસચિવ (સંગઠન) સંદીપ પાઠકે મીડીયા સાથેની મુલાકાતમાં પાર્ટીની ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. સંદીપ પાઠકે ગોપાલ ઈટાલિયા અંગેના સવાલનો જવાબ આપતા કહ્યું કે પાર્ટી રાષ્ટ્રીય ફલક પર ફેલાઈ રહી છે. પાર્ટીના કાર્યકરોની આશાઓ મુજબ થયેલ આ એક નિયમિત ફેરબદલ છે. ગોપાલ ઈટાાલિયાની ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે હલાકપટ્ટી નહીં પણ તેમને રાષ્ટ્રિય રાજનિતીમાં લાવવામાં આવ્યા છે અને તેમને મોટી ભૂમિકા આપવામાં આવી છે.


તમામ 9 રાજ્યોમાં ચૂંટણી લડશે


સંદીપ પાઠકો આમ આદમી પાર્ટીની ચૂંટણી રણનિતી અંગે જણાવ્યું કે પાર્ટી તમામ 9 રાજ્યોમાં ઉમેદવારો ઉતારશે. વર્ષ 2023માં યોજાનારી વિવિધ ચૂંટણી માટે પાર્ટી તેની સંભાવનાઓનું વિષ્લષણ કરી રહી છે. આ માટે કેટલાક રાજ્યોમાં પાર્ટી આંતરિક સર્વે પણ કરાવી રહી છે. એક મહિના બાદ તેની યોજનાઓ અંગે જાહેરાત કરશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.