વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસની સાથે AAP પણ ઝંપલાવશે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનનું શું?


  • Published By :
  • Published Date : 2024-10-16 15:26:30

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે... 13મી નવેમ્બરે વાવમાં પેટાચૂંટણીનું મતદાન થશે. જ્યારે 23મી નવેમ્બરે મતગણતરી થશે...કોંગ્રેસ ભાજપ માટે વર્ચસ્વની લડાઈ હવે બની ગઈ છે... એવુ કહેવાય પણ એમાંય આમ આદમી પાર્ટી ઉમેરાણી છે... 

વાવ બેઠક માટે આપ અને કોંગ્રેસ વચ્ચે નહીં થાય ગઠબંધન

આમ આદમી પાર્ટી વાવ વિધાનસભા બેઠક પર પોતાનો ઉમેદવાર ઉતારી શકે છે. ડૉ. રમેશ પટેલને AAP વાવ વિધાનસભા બેઠક પર પોતાના ઉમેદવાર બનાવે તેવી ચર્ચા છે. વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના સાંસદ બનતા આ બેઠક ખાલી થઇ હતી. લોકસભા ચૂંટણી બેઠક વખતે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું... પરંતુ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પોતાના ઉમેદવારને અલગ ઉમેદવાર ઉતારશે.. 



વાવ બેઠક પર જામશે ત્રિ પાંખીયો જંગ

મહત્વનું છે કે વાવ માટે કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેની બેન ઠાકોરને ટિકીટ આપી હતી.. લોકસભાની ચૂંટણીમાં ગેનીબેનની જીત થતા આ બેઠક ખાલી હતી જેને કારણે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે... વાવ બેઠક પર ત્રિ પાંખીયો જંગ થવાનો છે... હવે કોણ ઉમેદવાર હશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.. તમારા હિસાબથી કોને ટિકીટ મળવી જોઈએ તે અમને કમેન્ટમાં જણાવજો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.