Sanjay Singh Arrest : ઠેર-ઠેર AAPના કાર્યકર્તાઓ કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન, અરવિંદ કેજરીવાલે કહ્યું - 2024 સુધી અનેક લોકોની ધરપકડ થશે


  • Published By :
  • Published Date : 2023-10-05 16:00:08

ગઈકાલે જ્યારે દિલ્હીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહને ત્યાં ઈડીના દરોડા પડ્યા ત્યારથી આ મુદ્દો સતત ચર્ચામાં છે. અનેક કલાકો સુધી દિલ્હી ખાતે આવેલા સંજય સિંહના ઘરે તપાસ કરવામાં આવી અને સાંજે તેમની ધરપકડ કરવામાં આવી. આ કાર્યવાહી બાદ રાજકારણ ગરમાયું છે. અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. ત્યારે સંજય સિંહની ધરપકડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ચૂંટણી આવી રહી છે અને 2024 સુધી અનેક લોકોની ધરપકડ કરી લેવાશે.

  

અલગ અલગ જગ્યાઓ પર આપના કાર્યકર્તાઓએ કર્યો હતો વિરોધ

દિલ્હીમાં દારૂના કથિત કૌભાંડમાં આમ આદમી પાર્ટીના અન્ય એક મોટા નેતા સંજય સિંહની ધરપકડ કરવામાં આવી છે. સંજય સિંહની ધરપકડ બાદ રાજધાની દિલ્હીમાં રાજકારણ ગરમાયં છે. સોશિયલ મીડિયા પર પણ આમ આદમી પાર્ટી તેમજ ભારતીય જનતા પાર્ટી એક બીજા પર નિશાન સાધી રહી છે.  આજે સંજય સિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સંજય સિંહની ધરપકડના વિરોધમાં દિલ્હી કાર્યાલય પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પ્રદર્શન કરી રહ્યા છે. આ ધરપકડનો વિરોધ ન માત્ર દિલ્હીમાં પરંતુ મુંબઈ અને પુણેમાં પણ AAP કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે..

સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સીને કર્યો સવાલ 

આપના સાંસદ સંજય સિંહની ધરપકડનો વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓનું ઘર્ષણ પોલીસ સાથે થયું હતું. પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતા. કાર્યકર્તાઓ સંજય સિંહની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે. મહત્વનું છે કે 4 ઓક્ટોબરના રોજ એવા સમાચાર સામે આવ્યા હતા કે ઈડી સુપ્રીમ કોર્ટને બતાવશે કે તે આમ આદમી પાર્ટીને દારૂના કૌભાંડમાં આરોપી બનાવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટે ઈડી અને સીબીઆઈને સવાલ કર્યો છે કે આ ઘોટાળામાં સીધો આમ આદમી પાર્ટીને ફાયદો થયો છે તો હજી સુધી એજન્સીએ પાર્ટીને આરોપી કેમ નથી બનાવ્યા? મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટમાં મનીષ સિસોદિયાની જમાનતની અરજી પર ચર્ચા થઈ રહી હતી.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.