AAP એકબાજુ ભેગી થાય, નીચેથી વિખેરાતી જાય! ખેડામાં સંગઠન વિખેરાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 16:37:48

અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે ઈસુદાને કહ્યું છે કે કેટલાય નવા નેતાઓ પાર્ટીમાં જોડાશે, પણ જે નેતાઓ પહેલેથી જ જોડાયા છે પણ ચૂંટણી આવતા જ કેજરીવાલ પર આરોપો લગાવીને પક્ષ છોડી દે છે તેમને કેવી રીતે સાચવશે!

ખેડાના હોદ્દેદારોએ કહ્યું અમને જય શ્રી રામ બોલતા રોકે છે!

 ખેડા જિલ્લાના આપના કાર્યકર્તાઓએ ગંભીર આક્ષેપો લગાવી પોતાના પદથી રાજીનામાં આપી દીધા છે . હોદ્દેદારોએ પાર્ટી પર આક્ષેપ લગાવતા કહ્યું છે કે ‘પાર્ટી હિન્દુ વિરોધી છે’ અને જય શ્રી રામ બોલવાની મનાઈ છે.ખેડા જિલ્લા પાંચુંભા સીસોદિયા અને દિલીપ ગઢવીએ આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો લગવતા કહ્યું છે કે આમ આદમી પાર્ટી હિન્દુ વિરોધી પાર્ટી છે ‘અમને જય શ્રી રામ બોલવા ની પણ મનાય છે’ દિલીપ ભાઈ ખેડા જિલ્લાના આપના પૂર્વ મહામંત્રીએ જણાવ્યુ હતું કે “ મને પેહલા લાગતું હતું આપનો એજન્ડા સારા દવાખાના , સ્કૂલો બનવાનો છે પણ ના એમનો એજનડા હિન્દુ વિરોધી છે’ તેમણે આક્ષેપ કરતાં કહ્યું કે, એમને જય શ્રી રામ બોલવાની પાર્ટીએ ના પડી હતી. દિલીપ ભાઈએ ગોપાલ ઇટાલિયાને ચાલેન્જ કરી કે ‘જો હિન્દુ વિરોધી ના હોવ તો 4 રાજ્યોમાં ભાષણ જય શ્રી રામથી શરૂ કરો’ પાંચુભાઈ સિસોદીઆએ ખુલાસો કર્યો કે પ્રભારી શિવ કુમારે જય શ્રી રામ બોલવાની ના પડી આટલે અમે અમારા પદથી રાજીનામાં આપ્યા છે


એક સાંધો અને તેર તૂટી જાય!

એક તરફ આમ આદમી પાર્ટી કહે છે કે સંગઠનના તમામ કાર્યકર્તા મહત્વના છે પાર્ટી માટે તેમનું સંગઠન ખૂબ મહત્વ નું છે. તેમના તમામ કાર્યકર્તા યોદ્ધા છે અને આજ સંગઠનથી તેઓ ભાજપને હરાવશે પરંતુ આ ચિત્ર ચૂંટણી પહેલાજ બદલાય રહ્યું છે ક્યાંક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવે અને નવા લોકો જોડાય છે. તો કેટલાક જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તા પાર્ટીથી નારાજ છે રાજીનામાં આપી રહ્યા છે અને રાજીનામાં આપતા-આપતા પાર્ટી પર ગંભીર આક્ષેપો લગવતા જાય છે તો શું આ યોદ્ધાઓ ચૂંટણી સુધી ટકશે?



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.