AAP એકબાજુ ભેગી થાય, નીચેથી વિખેરાતી જાય! ખેડામાં સંગઠન વિખેરાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 16:37:48

અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે ઈસુદાને કહ્યું છે કે કેટલાય નવા નેતાઓ પાર્ટીમાં જોડાશે, પણ જે નેતાઓ પહેલેથી જ જોડાયા છે પણ ચૂંટણી આવતા જ કેજરીવાલ પર આરોપો લગાવીને પક્ષ છોડી દે છે તેમને કેવી રીતે સાચવશે!

ખેડાના હોદ્દેદારોએ કહ્યું અમને જય શ્રી રામ બોલતા રોકે છે!

 ખેડા જિલ્લાના આપના કાર્યકર્તાઓએ ગંભીર આક્ષેપો લગાવી પોતાના પદથી રાજીનામાં આપી દીધા છે . હોદ્દેદારોએ પાર્ટી પર આક્ષેપ લગાવતા કહ્યું છે કે ‘પાર્ટી હિન્દુ વિરોધી છે’ અને જય શ્રી રામ બોલવાની મનાઈ છે.ખેડા જિલ્લા પાંચુંભા સીસોદિયા અને દિલીપ ગઢવીએ આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો લગવતા કહ્યું છે કે આમ આદમી પાર્ટી હિન્દુ વિરોધી પાર્ટી છે ‘અમને જય શ્રી રામ બોલવા ની પણ મનાય છે’ દિલીપ ભાઈ ખેડા જિલ્લાના આપના પૂર્વ મહામંત્રીએ જણાવ્યુ હતું કે “ મને પેહલા લાગતું હતું આપનો એજન્ડા સારા દવાખાના , સ્કૂલો બનવાનો છે પણ ના એમનો એજનડા હિન્દુ વિરોધી છે’ તેમણે આક્ષેપ કરતાં કહ્યું કે, એમને જય શ્રી રામ બોલવાની પાર્ટીએ ના પડી હતી. દિલીપ ભાઈએ ગોપાલ ઇટાલિયાને ચાલેન્જ કરી કે ‘જો હિન્દુ વિરોધી ના હોવ તો 4 રાજ્યોમાં ભાષણ જય શ્રી રામથી શરૂ કરો’ પાંચુભાઈ સિસોદીઆએ ખુલાસો કર્યો કે પ્રભારી શિવ કુમારે જય શ્રી રામ બોલવાની ના પડી આટલે અમે અમારા પદથી રાજીનામાં આપ્યા છે


એક સાંધો અને તેર તૂટી જાય!

એક તરફ આમ આદમી પાર્ટી કહે છે કે સંગઠનના તમામ કાર્યકર્તા મહત્વના છે પાર્ટી માટે તેમનું સંગઠન ખૂબ મહત્વ નું છે. તેમના તમામ કાર્યકર્તા યોદ્ધા છે અને આજ સંગઠનથી તેઓ ભાજપને હરાવશે પરંતુ આ ચિત્ર ચૂંટણી પહેલાજ બદલાય રહ્યું છે ક્યાંક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવે અને નવા લોકો જોડાય છે. તો કેટલાક જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તા પાર્ટીથી નારાજ છે રાજીનામાં આપી રહ્યા છે અને રાજીનામાં આપતા-આપતા પાર્ટી પર ગંભીર આક્ષેપો લગવતા જાય છે તો શું આ યોદ્ધાઓ ચૂંટણી સુધી ટકશે?



થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી

૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.