પક્ષ પલટું કરનાર આપના કોર્પોરેટરે અરવિંદ કેજરીવાલ વિશે કહી દીધી આ વાત! અરવિંદ કેજરીવાલની કરી રાક્ષસ સાથે તુલના!


  • Published By :
  • Published Date : 2023-04-29 15:50:29

દેશનું રાજકારણ ધીરે ધીરે ગરમાઈ રહ્યું છે. એક બીજા પર આરોપ પ્રતિઆરોપો થઈ રહ્યા છે. ત્યારે સુરતનું રાજકારણ પણ શાબ્દિક પ્રહારને લઈ ગરમાઈ રહ્યું છે. એક તરફ કર્ણાટકમાં વિષ કન્યા તેમજ ઝેરી સાપ જેવા શબ્દોનો ઉપયોગ થયો હતો ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીથી ભાજપમાં ગયેલા કોર્પોરેટરોએ પણ આમ આદમી પાર્ટી તેમજ અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યા છે. સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં પક્ષ પલટુ કરનાર કોર્પોરેટર કનુ ગેડિયાએ દિલ્હીના મુખ્યમંત્રીની સરખામણી હિરણ્ય કશ્યપ સાથે કરી હતી. 


ભાજપમાં જોડાયા બાદ કોર્પોરેટરના બદલાયેલા જોવા મળ્યા રંગ!

સુરતમાં થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે આપનો સાથે છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા. પક્ષ પલટુ કરનારના બોલ બીજી પાર્ટીમાં આવીને બદલાઈ જતા હોય છે. જે પાર્ટીમાં તમે કામ કર્યું હોય તો તે જ પાર્ટી માટે અપશબ્દો બોલતા હોય છે જ્યારે તે બીજી પાર્ટીમાં જોડાઈ જતા હોય છે. ત્યારે આપનો છેડો ફાડી ભાજપમાં જોડાનાર સુરતના કોર્પોરેટરોએ આ વાતને સાચી પાડી છે. સુરત મહાનગરની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં પક્ષ પલટુ કરનાર કોર્પોરેટરનો અલગ જ રંગ જોવા મળ્યો હતો. 


આપ વિરૂદ્ધ બોલ્યા આપના પૂર્વ કોર્પોરેટર!

સામાન્ય સભા શરૂ થઈ તે પહેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટી પ્રત્યે પોતાનો આક્રોશ ઠાલલ્યો હતો. જે કોર્પોરેટરો અત્યાર સુધી આ સભાખંડમાં આમ આદમી પાર્ટી તરફથી બોલતા હતા તે હવે આમ આદમી પાર્ટી વિરૂદ્ધ બોલવા લાગ્યા હતા. આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યા બાદ આપ વિરૂદ્ધ કોર્પોરેટરોએ પોતાની ભડાસ કાઢી હતી. 


અરવિંદ કેજરીવાલની સરખામણી હિરણ્ય કશ્યપ સાથે કરી!

આક્રોશમાં આવેલા કનુ ગોરડિયાએ કહ્યું કે અત્યાર સુધી હું ઉંધી લાઈનમાં ચાલતો હતો હવે વિકાસની ગંગામાં જોડાયો છું. આપના મેનેજરો અમારૂં શોષણ કરતા હતા. અજ્ઞાનતાની પટ્ટી જ્યાં સુધી આંખ પર હોય ત્યાં સુધી સત્ય દેખાતું ન હતું. હદ તો ત્યાં થઈ જ્યારે કનુ ગેડિયાએ અરવિંદ કેજરીવાલની સરખામણી હિરણ્ય કશ્યપ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે આજે એક રાક્ષસ આવ્યો છે. તેનું નામ અરવિંદ કેજરીવાલ છે. જે પોતે ભગવાન છે. તેવો વીડિયો બનાવ્યો છે. 


આપના નેતાએ વીડિયો અંગે આપી પ્રતિક્રિયા!

આ વાત પર આમ આદમી પાર્ટીના નેતાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે પક્ષ પલટો કરનાર કોર્પોરેટરોને માત્ર ગુલાબી નોટો જ દેખાય છે. અરવિંદ કેજરીવાલ માટે જે કૃષ્ણ ભગવાનના વીડિયોની વાત કરી રહ્યા છે, તેવો કોઈ વીડિયો તેમણે બનાવ્યો નથી  અને અમે કે અમારા કોઈ કાર્યકર્તાઓએ પ્રચારમાં ઉપયોગ કર્યો નથી. આ માત્ર હવા હવાઈ વાતો છે. 


રાજકારણમાં શરૂ થયું word war! 

રાજકારણીઓ દ્વારા આપવામાં આવતા નિવેદનોને લઈને લાગે છે કે કેવા નીચલા સ્તરની રાજનીતિ થઈ ગઈ છે. કર્ણાટકમાં થોડા દિવસ પહેલા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને ઝેરી સાપ કહ્યા હતા તો કર્ણાટકના ભાજપના ધારાસભ્યે સોનિયા ગાંધી માટે વિષ કન્યા શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા કોર્પોરેટરોએ પક્ષપલટો કરી લીધા બાદ એજ પાર્ટીના નેશનલ કન્વીનર માટે આવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.