પક્ષ પલટું કરનાર આપના કોર્પોરેટરે અરવિંદ કેજરીવાલ વિશે કહી દીધી આ વાત! અરવિંદ કેજરીવાલની કરી રાક્ષસ સાથે તુલના!


  • Published By :
  • Published Date : 2023-04-29 15:50:29

દેશનું રાજકારણ ધીરે ધીરે ગરમાઈ રહ્યું છે. એક બીજા પર આરોપ પ્રતિઆરોપો થઈ રહ્યા છે. ત્યારે સુરતનું રાજકારણ પણ શાબ્દિક પ્રહારને લઈ ગરમાઈ રહ્યું છે. એક તરફ કર્ણાટકમાં વિષ કન્યા તેમજ ઝેરી સાપ જેવા શબ્દોનો ઉપયોગ થયો હતો ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીથી ભાજપમાં ગયેલા કોર્પોરેટરોએ પણ આમ આદમી પાર્ટી તેમજ અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યા છે. સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં પક્ષ પલટુ કરનાર કોર્પોરેટર કનુ ગેડિયાએ દિલ્હીના મુખ્યમંત્રીની સરખામણી હિરણ્ય કશ્યપ સાથે કરી હતી. 


ભાજપમાં જોડાયા બાદ કોર્પોરેટરના બદલાયેલા જોવા મળ્યા રંગ!

સુરતમાં થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે આપનો સાથે છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા. પક્ષ પલટુ કરનારના બોલ બીજી પાર્ટીમાં આવીને બદલાઈ જતા હોય છે. જે પાર્ટીમાં તમે કામ કર્યું હોય તો તે જ પાર્ટી માટે અપશબ્દો બોલતા હોય છે જ્યારે તે બીજી પાર્ટીમાં જોડાઈ જતા હોય છે. ત્યારે આપનો છેડો ફાડી ભાજપમાં જોડાનાર સુરતના કોર્પોરેટરોએ આ વાતને સાચી પાડી છે. સુરત મહાનગરની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં પક્ષ પલટુ કરનાર કોર્પોરેટરનો અલગ જ રંગ જોવા મળ્યો હતો. 


આપ વિરૂદ્ધ બોલ્યા આપના પૂર્વ કોર્પોરેટર!

સામાન્ય સભા શરૂ થઈ તે પહેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટી પ્રત્યે પોતાનો આક્રોશ ઠાલલ્યો હતો. જે કોર્પોરેટરો અત્યાર સુધી આ સભાખંડમાં આમ આદમી પાર્ટી તરફથી બોલતા હતા તે હવે આમ આદમી પાર્ટી વિરૂદ્ધ બોલવા લાગ્યા હતા. આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યા બાદ આપ વિરૂદ્ધ કોર્પોરેટરોએ પોતાની ભડાસ કાઢી હતી. 


અરવિંદ કેજરીવાલની સરખામણી હિરણ્ય કશ્યપ સાથે કરી!

આક્રોશમાં આવેલા કનુ ગોરડિયાએ કહ્યું કે અત્યાર સુધી હું ઉંધી લાઈનમાં ચાલતો હતો હવે વિકાસની ગંગામાં જોડાયો છું. આપના મેનેજરો અમારૂં શોષણ કરતા હતા. અજ્ઞાનતાની પટ્ટી જ્યાં સુધી આંખ પર હોય ત્યાં સુધી સત્ય દેખાતું ન હતું. હદ તો ત્યાં થઈ જ્યારે કનુ ગેડિયાએ અરવિંદ કેજરીવાલની સરખામણી હિરણ્ય કશ્યપ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે આજે એક રાક્ષસ આવ્યો છે. તેનું નામ અરવિંદ કેજરીવાલ છે. જે પોતે ભગવાન છે. તેવો વીડિયો બનાવ્યો છે. 


આપના નેતાએ વીડિયો અંગે આપી પ્રતિક્રિયા!

આ વાત પર આમ આદમી પાર્ટીના નેતાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે પક્ષ પલટો કરનાર કોર્પોરેટરોને માત્ર ગુલાબી નોટો જ દેખાય છે. અરવિંદ કેજરીવાલ માટે જે કૃષ્ણ ભગવાનના વીડિયોની વાત કરી રહ્યા છે, તેવો કોઈ વીડિયો તેમણે બનાવ્યો નથી  અને અમે કે અમારા કોઈ કાર્યકર્તાઓએ પ્રચારમાં ઉપયોગ કર્યો નથી. આ માત્ર હવા હવાઈ વાતો છે. 


રાજકારણમાં શરૂ થયું word war! 

રાજકારણીઓ દ્વારા આપવામાં આવતા નિવેદનોને લઈને લાગે છે કે કેવા નીચલા સ્તરની રાજનીતિ થઈ ગઈ છે. કર્ણાટકમાં થોડા દિવસ પહેલા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને ઝેરી સાપ કહ્યા હતા તો કર્ણાટકના ભાજપના ધારાસભ્યે સોનિયા ગાંધી માટે વિષ કન્યા શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા કોર્પોરેટરોએ પક્ષપલટો કરી લીધા બાદ એજ પાર્ટીના નેશનલ કન્વીનર માટે આવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે