AAPના દહેગામના ઉમેદવાર યુવરાજસિંહ ભાજપ-કોંગ્રેસને પડી શકે છે ભારે


  • Published By :
  • Published Date : 2022-11-01 13:50:54

આમ આદમી પાર્ટીએ આજે પોતાની આઠમી ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી દીધી છે. ત્યારે આ લિસ્ટમાં એવા નામો પણ છે જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની ચિંતા વધારી શકે છે. દહેગામ ખાતે યુવરાજસિંહ જાડેજા, ભાવનગર પશ્ચિમમાં રાજુ સોલંકી અને માતર ખાતે મહિપતસિંહ ચૌહાણ ભાજપ કોંગ્રેસને માથાનો દુખાવો બની શકે છે. વિસ્તારથી સમજીએ દહેગામ વિધાનસભા ક્ષેત્રના યુવરાજસિંહ જાડેજા Yuvrajsinh Jadeja કેવી રીતે ભાજપ કોંગ્રેસની ચિંતા વધારી શકે છે અને શું છે દહેગામ વિધાનસભા ક્ષેત્રનું રાજકારણ....  


દહેગામથી યુવરાજસિંહ જાડેજા AAPના ઉમેદવાર 

આમ આદમી પાર્ટીએ દહેગામથી યુવરાજસિંહ જાડેજાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. યુવરાજસિંહ જાડેજા યુવાઓમાં ફેમસ નેતા છે. ગુજરાતના યુવાને તેમને ફોલો કરે છે અને ખાસ કરીને સ્પર્ધાત્મ પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ યુવરાજસિંહ જાડેજાને ફોલો કરતા હોય છે કારણ કે યુવરાજસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના ઘણા મુદ્દાઓ ઉઠાવ્યા છે. પરંતુ બીજી બાજુ એ વાત છે કે દહેગામથી યુવરાજસિંહ જાડેજાને ઉમેદવાર તો બનાવી દીધા પણ આમ આદમી પાર્ટીના ગ્રાઉન્ડ પર કામ કરતા કાર્યકરો એટલા સક્રિય છે કે નહીં તે ચર્ચાનો વિષય છે. કારણ કે નેતાઓની પાછળ એક આખી ટીમ હોય છે જે જનતાના કામ કરતી હોય ચે અને પાર્ટીની પાસે એક ગ્રાઉન્ડ પર કામ કરતી ટીમ હોય છે જે બુથ લેવલ પર કામ કરતી હોય છે. પરંતુ દહેગામ પાસે આમ આદમી પાર્ટી પાસે બુથ લેવલ પર કામ કરતા કાર્યકર્તાઓ મજબૂત હશે તો જ આપ તેમના ઉમેદવારોને જીતાવી શકશે.


દહેગામથી આ લોકો હોઈ શકે છે કોંગ્રેસ ભાજપના સંભવિત ઉમેદવારો 

2008ન સીમાંકન બાદ દહેગામને વિધાનસભા ક્ષેત્ર તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. કોંગ્રેસ અને ભાજપના સંભવિત ઉમેદવારોની વાત કરીએ તો દહેગામ બેઠક પર ભાજપ પોતાના હાલના દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને ફરીવાર ભાજપના ઉમેદવાર જાહેર કરી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસમાં દહેગામથી 2012ના કોંગ્રેસના ધારાસભ્ય કામીનીબા રાઠોડ કોંગ્રેસના ઉમેદવાર હોઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જો કે હજુ ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો નથી જાહેર કર્યા પરંતુ સંભાવનાઓ મુજબ આ નેતાઓ અથવા અન્ય નેતાઓ ભાજપ અને કોંગ્રેસ જાહેર કરી શકે છે. 


દહેગામની 2017ની ચૂંટણી અને રાજકીય સમિકરણો

ગુજરાતની 182 વિધાનસભામાંની એક બેઠક એટલે કે દહેગામ. આ બેઠક પર ભાજપના બલરાજસિંહ ચૌહાણે 2017ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. બલરાજસિંહ ચૌહાણને ગઈ ચૂંટણીમાં દહેગામમાંથી 74 હજાર 445 મત મળ્યા હતા. ભાજપનો વોટ શેર ગઈ ચૂંટણીમાં 50.88 ટકા હતો. જ્યારે કોંગ્રેસના કામિનિબા રાઠોડે ભાજપના બલરાજસિંહ ચૌહાણને ભારે ટક્કર આપી હતી. કોંગ્રેસને ગઈ વિધાનસભા ચૂંટણીમાં 63 હજાર 585 મત મળ્યા હતા જ્યારે વોટશેર 43.46 ટકા હતા. દહેગામ વિસ્તારના રાજકીય સમિકરણોમાં જોવા જઈએ તો આ વિધાનસભા સીટમાં ક્ષત્રિયો અને ઠાકોરોને નિર્ણયાક મત માનવામાં આવે છે કારણ કે તેમની સંખ્યા આ વિસ્તારમાં વધારે છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં આ સીટ કોંગ્રેસના હાથમાં ગઈ હતી જેમાં કામિનિબા રાઠોડે 61 હજાર 43 મત મેળવ્યા હતા. 


દહેગામ સીટ પર આ પૂર્વ મુખ્યમંત્રી બન્યા હતા ધારાસભ્ય 

દહેગામ વિધાનસભા સીટ એટલે આપણા પૂર્વ મુખ્યમંત્રી ઘનશ્યામભાઈ ઓઝાની સીટ. ગુજરાતના ચોથા મુખ્યમંત્રી ઘનશ્યામભાઈ ઓઝા વર્ષ 1972માં આ સીટ પરથી ધારાસભ્ય બન્યા હતા. ત્યાર બાદ મોટા નેતાની વાત કરીએ તો ગાભાજી ઠાકોર દહેગામ વિધાનસભા ક્ષેત્રથી ત્રણવાર ધારાસભ્ય બની ચૂક્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હાલના અધ્યક્ષ એટલે કે જગદીશ ઠાકોર વર્ષ 2002 અને વર્ષ 2007માં દહેગામ સીટ પરથી જ ધારાસભ્ય બન્યા હતા. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.