AAPના દહેગામના ઉમેદવાર યુવરાજસિંહ ભાજપ-કોંગ્રેસને પડી શકે છે ભારે


  • Published By :
  • Published Date : 2022-11-01 13:50:54

આમ આદમી પાર્ટીએ આજે પોતાની આઠમી ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી દીધી છે. ત્યારે આ લિસ્ટમાં એવા નામો પણ છે જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની ચિંતા વધારી શકે છે. દહેગામ ખાતે યુવરાજસિંહ જાડેજા, ભાવનગર પશ્ચિમમાં રાજુ સોલંકી અને માતર ખાતે મહિપતસિંહ ચૌહાણ ભાજપ કોંગ્રેસને માથાનો દુખાવો બની શકે છે. વિસ્તારથી સમજીએ દહેગામ વિધાનસભા ક્ષેત્રના યુવરાજસિંહ જાડેજા Yuvrajsinh Jadeja કેવી રીતે ભાજપ કોંગ્રેસની ચિંતા વધારી શકે છે અને શું છે દહેગામ વિધાનસભા ક્ષેત્રનું રાજકારણ....  


દહેગામથી યુવરાજસિંહ જાડેજા AAPના ઉમેદવાર 

આમ આદમી પાર્ટીએ દહેગામથી યુવરાજસિંહ જાડેજાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. યુવરાજસિંહ જાડેજા યુવાઓમાં ફેમસ નેતા છે. ગુજરાતના યુવાને તેમને ફોલો કરે છે અને ખાસ કરીને સ્પર્ધાત્મ પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ યુવરાજસિંહ જાડેજાને ફોલો કરતા હોય છે કારણ કે યુવરાજસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના ઘણા મુદ્દાઓ ઉઠાવ્યા છે. પરંતુ બીજી બાજુ એ વાત છે કે દહેગામથી યુવરાજસિંહ જાડેજાને ઉમેદવાર તો બનાવી દીધા પણ આમ આદમી પાર્ટીના ગ્રાઉન્ડ પર કામ કરતા કાર્યકરો એટલા સક્રિય છે કે નહીં તે ચર્ચાનો વિષય છે. કારણ કે નેતાઓની પાછળ એક આખી ટીમ હોય છે જે જનતાના કામ કરતી હોય ચે અને પાર્ટીની પાસે એક ગ્રાઉન્ડ પર કામ કરતી ટીમ હોય છે જે બુથ લેવલ પર કામ કરતી હોય છે. પરંતુ દહેગામ પાસે આમ આદમી પાર્ટી પાસે બુથ લેવલ પર કામ કરતા કાર્યકર્તાઓ મજબૂત હશે તો જ આપ તેમના ઉમેદવારોને જીતાવી શકશે.


દહેગામથી આ લોકો હોઈ શકે છે કોંગ્રેસ ભાજપના સંભવિત ઉમેદવારો 

2008ન સીમાંકન બાદ દહેગામને વિધાનસભા ક્ષેત્ર તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. કોંગ્રેસ અને ભાજપના સંભવિત ઉમેદવારોની વાત કરીએ તો દહેગામ બેઠક પર ભાજપ પોતાના હાલના દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને ફરીવાર ભાજપના ઉમેદવાર જાહેર કરી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસમાં દહેગામથી 2012ના કોંગ્રેસના ધારાસભ્ય કામીનીબા રાઠોડ કોંગ્રેસના ઉમેદવાર હોઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જો કે હજુ ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો નથી જાહેર કર્યા પરંતુ સંભાવનાઓ મુજબ આ નેતાઓ અથવા અન્ય નેતાઓ ભાજપ અને કોંગ્રેસ જાહેર કરી શકે છે. 


દહેગામની 2017ની ચૂંટણી અને રાજકીય સમિકરણો

ગુજરાતની 182 વિધાનસભામાંની એક બેઠક એટલે કે દહેગામ. આ બેઠક પર ભાજપના બલરાજસિંહ ચૌહાણે 2017ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. બલરાજસિંહ ચૌહાણને ગઈ ચૂંટણીમાં દહેગામમાંથી 74 હજાર 445 મત મળ્યા હતા. ભાજપનો વોટ શેર ગઈ ચૂંટણીમાં 50.88 ટકા હતો. જ્યારે કોંગ્રેસના કામિનિબા રાઠોડે ભાજપના બલરાજસિંહ ચૌહાણને ભારે ટક્કર આપી હતી. કોંગ્રેસને ગઈ વિધાનસભા ચૂંટણીમાં 63 હજાર 585 મત મળ્યા હતા જ્યારે વોટશેર 43.46 ટકા હતા. દહેગામ વિસ્તારના રાજકીય સમિકરણોમાં જોવા જઈએ તો આ વિધાનસભા સીટમાં ક્ષત્રિયો અને ઠાકોરોને નિર્ણયાક મત માનવામાં આવે છે કારણ કે તેમની સંખ્યા આ વિસ્તારમાં વધારે છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં આ સીટ કોંગ્રેસના હાથમાં ગઈ હતી જેમાં કામિનિબા રાઠોડે 61 હજાર 43 મત મેળવ્યા હતા. 


દહેગામ સીટ પર આ પૂર્વ મુખ્યમંત્રી બન્યા હતા ધારાસભ્ય 

દહેગામ વિધાનસભા સીટ એટલે આપણા પૂર્વ મુખ્યમંત્રી ઘનશ્યામભાઈ ઓઝાની સીટ. ગુજરાતના ચોથા મુખ્યમંત્રી ઘનશ્યામભાઈ ઓઝા વર્ષ 1972માં આ સીટ પરથી ધારાસભ્ય બન્યા હતા. ત્યાર બાદ મોટા નેતાની વાત કરીએ તો ગાભાજી ઠાકોર દહેગામ વિધાનસભા ક્ષેત્રથી ત્રણવાર ધારાસભ્ય બની ચૂક્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હાલના અધ્યક્ષ એટલે કે જગદીશ ઠાકોર વર્ષ 2002 અને વર્ષ 2007માં દહેગામ સીટ પરથી જ ધારાસભ્ય બન્યા હતા. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.