અયોધ્યા માટે ચલાવવામાં આવશે 'આસ્થા સ્પેશિયલ' ટ્રેન, એર કનેક્ટિવિટી પણ વધારવામાં આવશે


  • Published By :
  • Published Date : 2024-01-18 13:25:28

લોકો રામલલાના દર્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે લોકો માટે શ્રી રામની નગરી અયોધ્યા(Ayodhya Ram Mandir) પહોંચવું વધુ સરળ બનશે. અયોધ્યા માટે આસ્થા સ્પેશિયલ ટ્રેન  (Aastha Special Train) અને ફ્લાઈટ શરૂ થવાની છે. કોલકાતા અને બેંગલુરુના ભક્તો હવે ફ્લાઈટ દ્વારા શ્રી રામની નગરી અયોધ્યા જઈ શકશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોલકાતા અને બેંગલુરુથી અયોધ્યા માટે એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ શરૂ કરી છે. રેલ્વે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી 22 જાન્યુઆરીની આસપાસ અને તે પછી દર્શન માટે ટ્રેન દ્વારા અયોધ્યા જવા ઇચ્છતા લોકો માટે મોટા પાયે આયોજન કરી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે આ માટે આસ્થા સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી શકે છે. આ ટ્રેનોમાં કોઈ એક વ્યક્તિ બુકિંગ કરી શકશે નહીં, બલ્કે ગ્રુપમાં બુકિંગ થશે. કોઈ પણ સંસ્થા બુકિંગ કરી શકશે. 


IRCTCને સોંપાઈ જવાબદારી


બુકિંગની જવાબદારી પણ IRCTCને સોંપવામાં આવી રહી છે. IRCTC (ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) દ્વારા શ્રદ્ધાળુઓ માટે આ તૈયારીઓ કરવામાં આવી રહી છે. કુલ 48 સ્પેશિયલ ટ્રેનો પ્રયાગરાજ ડિવિઝનમાંથી પસાર થશે જે પ્રયાગરાજ જંક્શન, છિવકી અને કાનપુર રેલ્વે સ્ટેશનોથી ચલાવવામાં આવશે. રેલવે બોર્ડ તરફથી તેની સંમતિ મળી ગઈ છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી પણ આ ટ્રેન મુસાફરોને અયોધ્યા લઈ જશે અને પછી તેમને તેમના પ્રારંભિક સ્ટેશન પર પાછા લઈ જવાની જવાબદારી પણ આ ટ્રેનની હશે. જે ધાર્મિક, સામાજિક કે અન્ય કોઈપણ પ્રકારની સંસ્થાની વિનંતી પર આસ્થા વિશેષ ટ્રેન બુક કરાવશે. આ માટે મોટા પાયે યોજના તૈયાર કરવામાં આવી રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે આ યોજના હજુ જાહેર કરવામાં આવી નથી. પરંતુ પહેલાથી જ દોડતી ટ્રેનો સિવાય કેટલીક આસ્થા સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાના રાજ્યાભિષેકના દિવસે દેશના 8300થી વધુ રેલવે સ્ટેશન રોશનીથી સજાવેલા જોવા મળશે.


એર કનેક્ટિવિટી વધારવામાં આવી


શ્રધ્ધાળુંઓને હવાઈ માર્ગે અયોધ્યા પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે એર કનેક્ટિવિટી વધારવા પર પણ ફોક્સ આપવામાં આવી રહ્યું છે. કોલકાતા અને બેંગલુરુના ભક્તો હવે ફ્લાઈટ દ્વારા અયોધ્યા આવી શકશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે તેમના સત્તાવાર નિવાસસ્થાનથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોલકાતા અને બેંગલુરુથી અયોધ્યા માટે એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ્સ શરૂ કરી હતી. કોલકાતા અને બેંગલુરુથી અયોધ્યા સુધી હવાઈ સેવા શરૂ કરવાના પ્રસંગે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે જ્યાં રામનું નામ આવે છે, ત્યાં કામ પૂર્ણ થઈ જાય છે. તેમણે કહ્યું કે અયોધ્યાને દિલ્હી અને અમદાવાદ સાથે જોડ્યા બાદ આજે તેને બેંગલુરુ અને કોલકાતા સાથે જોડવામાં આવી રહ્યું છે. 30 ડિસેમ્બરથી 17 જાન્યુઆરી સુધીના ઉદ્ઘાટનથી લઈને અમે માત્ર 17 દિવસમાં અયોધ્યાને દેશના ચારેય ખૂણેથી જોડી દીધું છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.