મધર્સ-ડે પર ત્યજાયેલી બાળકીએ ત્યજી દુનિયા! રાજકોટની હોસ્પિટલના પારણાંમાં પોઢાડીને ફરાર થયેલી વ્યક્તિ અને માતાની થઈ રહી છે શોધખોળ!


  • Published By :
  • Published Date : 2023-05-17 14:44:01

થોડા દિવસ પહેલા રાજકોટથી મધર્સ ડેના દિવસે એક એવી ઘટના સામે આવી હતી જે રૂંવાડા ઉભા કરી દે તેવી હતી. રાજકોટ શહેરની એક હોસ્પિટલમાં કોઈ નવજાત બાળકીને અજાણી વ્યક્તિ પારણામાં મૂકી ફરાર થઈ ગઈ હતી. ત્યારે જન્મના ગણતરીના દિવસોમાં જ બાળકીએ સ્વાર્થી દુનિયાને ત્યાગી દીધી છે. પરંતુ બાળકીની કમનસીબી તો જોઓ કે જ્યારે દુનિયાને છોડી ત્યારે તેની સાથે ન હતી માતા કે ન હતા પિતા. ત્યારે આ બાળકીના અંતિમ સંસ્કાર કોણ કરશે તે અંગે અસમંજસ છે. 


માતાને અપાયો છે ભગવાન સમાન દરજ્જો!

થોડા દિવસો પહેલા આપણે મધર્સ ડેની ઉજવણી કરી હતી. એ દિવસે લગભગ દેરકના સ્ટેટ્સમાં માતા પ્રત્યેની લાગણી ઉભરી ઉભરીને સામે આવતી હતી. માતા માટે સાહિત્યમાં અનેક લખાયું છે. મા તે મા બીજા બધા વગડાના વા, જનની જોડ સખી નહીં જડે રે લોલ વગેરે.. શાસ્ત્રોમાં પણ લખવામાં આવ્યું છે કે પુત્ર કુપુત્ર થાય પરંતુ માતા કુમાતા થતી નથી. માતાને આપણે ભગવાન કરતા પણ ઉંચો દરજ્જો આપતા હોઈએ છીએ. 


નવજાત બાળકીને તરછોડી દેવાઈ! 

માતા માટે કહેવામાં આવતા વાક્યો અનેક વખત આજની પરિસ્થિતિને અનુરૂપ નથી હોતા. આજ કાલ એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં માતાની ભૂલની સજા બાળકોને ભોગવવી પડતી હોય છે. અનેક વખત અનૈતિક સંબંધોથી જન્મેલા બાળકને ત્યજી દેવામાં આવતા હોય છે. બાળકને તરછોડી દેતા પણ માતા સંકોચાતી નથી. મધર્સ ડેના દિવસે તરછોડાયેલી બાળકીનું મોત ટૂંકી સારવાર બાદ થઈ ગયું છે. પોલીસે માતા સામે ગુનો નોંધી માતાને શોધવાની તજવીજ હાથ ધરી છે. 


બાળકીની માતાને શોધવાની થઈ રહી છે કામગીરી!

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર બાળકીનું મોત રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલા કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં મધર્સ ડેની પૂર્વ સંધ્યાએ રાત્રીના પારણામાંથી તરછોડી દેવાયેલી નવજાત બાળકી મળી આવી હતી. નવજાત બાળકી કોની હતી તે જાણી શકાયું નથી. રાજકોટ પોલીસે નવજાત બાળકીની માતાની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે કોઈ વ્યક્તિ પારણામાં બાળકીને મૂકી ફરાર થઈ જાય છે. 


ટૂંકી સારવાર બાદ બાળકીનું થયું મોત!

બાળકીની સારવાર હોસ્પિટલમાં કરવામાં આવી રહી હતી. ઈમરજન્સીમાં સારવાર આપવામાં આવતી હતી. બાળકીની સ્થિતિ સ્થિર હોવાથી સંભાળ માટે બાલાશ્રમ મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પરંતુ બાળકીની તબિયત અચાનક ખરાબ થઈ હતી. અને 17મેના રોજ બાળકીનું નિધન થઈ ગયું છે. જ્યારે બાળકી મળી આવી ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેને લઈ તેની સારવાર કરવામાં આવી હતી. ત્યારે ટૂંકી સારવાર બાદ બાળકીએ જાલીમ દુનિયાને છોડી દીધી છે. પોલીસે બાળકીના મૃતદેહનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટ મોર્ટમ કરવાની કાર્યવાહી ધરી છે. તો બીજી બાજુ બાળકીની માતાને શોધવાની તજવીજ હાથ ધરી છે.    






ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.