મધર્સ-ડે પર ત્યજાયેલી બાળકીએ ત્યજી દુનિયા! રાજકોટની હોસ્પિટલના પારણાંમાં પોઢાડીને ફરાર થયેલી વ્યક્તિ અને માતાની થઈ રહી છે શોધખોળ!


  • Published By :
  • Published Date : 2023-05-17 14:44:01

થોડા દિવસ પહેલા રાજકોટથી મધર્સ ડેના દિવસે એક એવી ઘટના સામે આવી હતી જે રૂંવાડા ઉભા કરી દે તેવી હતી. રાજકોટ શહેરની એક હોસ્પિટલમાં કોઈ નવજાત બાળકીને અજાણી વ્યક્તિ પારણામાં મૂકી ફરાર થઈ ગઈ હતી. ત્યારે જન્મના ગણતરીના દિવસોમાં જ બાળકીએ સ્વાર્થી દુનિયાને ત્યાગી દીધી છે. પરંતુ બાળકીની કમનસીબી તો જોઓ કે જ્યારે દુનિયાને છોડી ત્યારે તેની સાથે ન હતી માતા કે ન હતા પિતા. ત્યારે આ બાળકીના અંતિમ સંસ્કાર કોણ કરશે તે અંગે અસમંજસ છે. 


માતાને અપાયો છે ભગવાન સમાન દરજ્જો!

થોડા દિવસો પહેલા આપણે મધર્સ ડેની ઉજવણી કરી હતી. એ દિવસે લગભગ દેરકના સ્ટેટ્સમાં માતા પ્રત્યેની લાગણી ઉભરી ઉભરીને સામે આવતી હતી. માતા માટે સાહિત્યમાં અનેક લખાયું છે. મા તે મા બીજા બધા વગડાના વા, જનની જોડ સખી નહીં જડે રે લોલ વગેરે.. શાસ્ત્રોમાં પણ લખવામાં આવ્યું છે કે પુત્ર કુપુત્ર થાય પરંતુ માતા કુમાતા થતી નથી. માતાને આપણે ભગવાન કરતા પણ ઉંચો દરજ્જો આપતા હોઈએ છીએ. 


નવજાત બાળકીને તરછોડી દેવાઈ! 

માતા માટે કહેવામાં આવતા વાક્યો અનેક વખત આજની પરિસ્થિતિને અનુરૂપ નથી હોતા. આજ કાલ એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં માતાની ભૂલની સજા બાળકોને ભોગવવી પડતી હોય છે. અનેક વખત અનૈતિક સંબંધોથી જન્મેલા બાળકને ત્યજી દેવામાં આવતા હોય છે. બાળકને તરછોડી દેતા પણ માતા સંકોચાતી નથી. મધર્સ ડેના દિવસે તરછોડાયેલી બાળકીનું મોત ટૂંકી સારવાર બાદ થઈ ગયું છે. પોલીસે માતા સામે ગુનો નોંધી માતાને શોધવાની તજવીજ હાથ ધરી છે. 


બાળકીની માતાને શોધવાની થઈ રહી છે કામગીરી!

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર બાળકીનું મોત રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલા કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં મધર્સ ડેની પૂર્વ સંધ્યાએ રાત્રીના પારણામાંથી તરછોડી દેવાયેલી નવજાત બાળકી મળી આવી હતી. નવજાત બાળકી કોની હતી તે જાણી શકાયું નથી. રાજકોટ પોલીસે નવજાત બાળકીની માતાની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે કોઈ વ્યક્તિ પારણામાં બાળકીને મૂકી ફરાર થઈ જાય છે. 


ટૂંકી સારવાર બાદ બાળકીનું થયું મોત!

બાળકીની સારવાર હોસ્પિટલમાં કરવામાં આવી રહી હતી. ઈમરજન્સીમાં સારવાર આપવામાં આવતી હતી. બાળકીની સ્થિતિ સ્થિર હોવાથી સંભાળ માટે બાલાશ્રમ મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પરંતુ બાળકીની તબિયત અચાનક ખરાબ થઈ હતી. અને 17મેના રોજ બાળકીનું નિધન થઈ ગયું છે. જ્યારે બાળકી મળી આવી ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેને લઈ તેની સારવાર કરવામાં આવી હતી. ત્યારે ટૂંકી સારવાર બાદ બાળકીએ જાલીમ દુનિયાને છોડી દીધી છે. પોલીસે બાળકીના મૃતદેહનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટ મોર્ટમ કરવાની કાર્યવાહી ધરી છે. તો બીજી બાજુ બાળકીની માતાને શોધવાની તજવીજ હાથ ધરી છે.    






ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.