મધર્સ-ડે પર ત્યજાયેલી બાળકીએ ત્યજી દુનિયા! રાજકોટની હોસ્પિટલના પારણાંમાં પોઢાડીને ફરાર થયેલી વ્યક્તિ અને માતાની થઈ રહી છે શોધખોળ!


  • Published By :
  • Published Date : 2023-05-17 14:44:01

થોડા દિવસ પહેલા રાજકોટથી મધર્સ ડેના દિવસે એક એવી ઘટના સામે આવી હતી જે રૂંવાડા ઉભા કરી દે તેવી હતી. રાજકોટ શહેરની એક હોસ્પિટલમાં કોઈ નવજાત બાળકીને અજાણી વ્યક્તિ પારણામાં મૂકી ફરાર થઈ ગઈ હતી. ત્યારે જન્મના ગણતરીના દિવસોમાં જ બાળકીએ સ્વાર્થી દુનિયાને ત્યાગી દીધી છે. પરંતુ બાળકીની કમનસીબી તો જોઓ કે જ્યારે દુનિયાને છોડી ત્યારે તેની સાથે ન હતી માતા કે ન હતા પિતા. ત્યારે આ બાળકીના અંતિમ સંસ્કાર કોણ કરશે તે અંગે અસમંજસ છે. 


માતાને અપાયો છે ભગવાન સમાન દરજ્જો!

થોડા દિવસો પહેલા આપણે મધર્સ ડેની ઉજવણી કરી હતી. એ દિવસે લગભગ દેરકના સ્ટેટ્સમાં માતા પ્રત્યેની લાગણી ઉભરી ઉભરીને સામે આવતી હતી. માતા માટે સાહિત્યમાં અનેક લખાયું છે. મા તે મા બીજા બધા વગડાના વા, જનની જોડ સખી નહીં જડે રે લોલ વગેરે.. શાસ્ત્રોમાં પણ લખવામાં આવ્યું છે કે પુત્ર કુપુત્ર થાય પરંતુ માતા કુમાતા થતી નથી. માતાને આપણે ભગવાન કરતા પણ ઉંચો દરજ્જો આપતા હોઈએ છીએ. 


નવજાત બાળકીને તરછોડી દેવાઈ! 

માતા માટે કહેવામાં આવતા વાક્યો અનેક વખત આજની પરિસ્થિતિને અનુરૂપ નથી હોતા. આજ કાલ એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં માતાની ભૂલની સજા બાળકોને ભોગવવી પડતી હોય છે. અનેક વખત અનૈતિક સંબંધોથી જન્મેલા બાળકને ત્યજી દેવામાં આવતા હોય છે. બાળકને તરછોડી દેતા પણ માતા સંકોચાતી નથી. મધર્સ ડેના દિવસે તરછોડાયેલી બાળકીનું મોત ટૂંકી સારવાર બાદ થઈ ગયું છે. પોલીસે માતા સામે ગુનો નોંધી માતાને શોધવાની તજવીજ હાથ ધરી છે. 


બાળકીની માતાને શોધવાની થઈ રહી છે કામગીરી!

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર બાળકીનું મોત રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલા કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં મધર્સ ડેની પૂર્વ સંધ્યાએ રાત્રીના પારણામાંથી તરછોડી દેવાયેલી નવજાત બાળકી મળી આવી હતી. નવજાત બાળકી કોની હતી તે જાણી શકાયું નથી. રાજકોટ પોલીસે નવજાત બાળકીની માતાની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે કોઈ વ્યક્તિ પારણામાં બાળકીને મૂકી ફરાર થઈ જાય છે. 


ટૂંકી સારવાર બાદ બાળકીનું થયું મોત!

બાળકીની સારવાર હોસ્પિટલમાં કરવામાં આવી રહી હતી. ઈમરજન્સીમાં સારવાર આપવામાં આવતી હતી. બાળકીની સ્થિતિ સ્થિર હોવાથી સંભાળ માટે બાલાશ્રમ મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પરંતુ બાળકીની તબિયત અચાનક ખરાબ થઈ હતી. અને 17મેના રોજ બાળકીનું નિધન થઈ ગયું છે. જ્યારે બાળકી મળી આવી ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેને લઈ તેની સારવાર કરવામાં આવી હતી. ત્યારે ટૂંકી સારવાર બાદ બાળકીએ જાલીમ દુનિયાને છોડી દીધી છે. પોલીસે બાળકીના મૃતદેહનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટ મોર્ટમ કરવાની કાર્યવાહી ધરી છે. તો બીજી બાજુ બાળકીની માતાને શોધવાની તજવીજ હાથ ધરી છે.    






ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.