મુસ્લિમ દંપતીએ તિરુપતિ મંદિરને 1.02 કરોડનું દાન આપ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 18:17:14


દેશમાં એકતરફ ધાર્મિક વિદ્વેષ વધી રહ્યો છે. ત્યાં એક મુસ્લિમ દંપતીએ તિરુપતિમાં 1.02 કરોડનું દાન આપી ધાર્મિક સૌહાર્દનું ઉત્તમ દ્રષ્ટાંત રજૂ કર્યું છે. ઉદ્યોગપતિ અબ્દુલ ગની અને તેમની પત્ની નુબીના બાનોએ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ને ચેક સોંપ્યો હતો. આ દંપતિ  અગાઉ પણ  35 લાખનું ફ્રિજ દાન સ્વરૂપે આપી ચુક્યું છે. 


તિરુપતિ મંદિરને અવારનાર દાન કરી ચુક્યો છે પરિવાર


ચેન્નાઈના મુસ્લિમ દંપતીએ આંધ્ર પ્રદેશના તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વરના તિરુપતિ મંદિરમાં 1.02 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.  જો કે ઉદ્યોગપતિ અબ્દુલ ગની અને તેમની પત્ની સુબીના બાનો આ પહેલા પણ અનેક વખત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ને દાન આપી ચુક્યો છે. આ પહેલા સુબીના બાનો અને અબ્દુલ ગનીએ શાકભાજીના પરિવહન માટે મંદિરને 35 લાખ રૂપિયાની કિંમતનું રેફ્રિજરેટર ટ્રક દાનમાં આપ્યું હતું. અબ્દુલ ગનીએ વર્ષ 2020માં કોરોના રોગચાળા દરમિયાન મંદિર પરિસરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે ટ્રેક્ટર-માઉન્ટ સ્પ્રેયરનું પણ દાન કર્યું હતું.  


યાત્રિકોની સુવિધાઓ વધારવા કરાશે દાનનો ઉપયોગ


મુસ્લિમ પરિવાર પ્રથમ વખત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના (TTD) ઓફિસર એવી ધર્મા રેડ્ડીને મળ્યો હતો. જે બાદ ચેક તેમને સોંપવામાં આવ્યો હતો. અધિકારીઓએ અબ્દુલ ગની અને તેમના પરિવારના સભ્યોને મંદિરની પ્રસાદી આપી હતી.


તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ  ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું કે, 87 લાખ રૂપિયાનું દાન નવા બનેલા પદ્માવતી રેસ્ટ હાઉસના ફર્નિચર અને વાસણો માટે થશે, જેથી ત્યાંની સુવિધાઓમાં વધારો કરી શકાય. SV અન્ના પ્રસાદમ ટ્રસ્ટ માટે રૂ. 15 લાખના ડિમાન્ડ ડ્રાફ્ટનો પણ સમાવેશ થાય છે, જે દરરોજ મંદિરમાં આવતા હજારો ભક્તોને મફત ભોજન પૂરું પાડે છે.   



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.