મુસ્લિમ દંપતીએ તિરુપતિ મંદિરને 1.02 કરોડનું દાન આપ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 18:17:14


દેશમાં એકતરફ ધાર્મિક વિદ્વેષ વધી રહ્યો છે. ત્યાં એક મુસ્લિમ દંપતીએ તિરુપતિમાં 1.02 કરોડનું દાન આપી ધાર્મિક સૌહાર્દનું ઉત્તમ દ્રષ્ટાંત રજૂ કર્યું છે. ઉદ્યોગપતિ અબ્દુલ ગની અને તેમની પત્ની નુબીના બાનોએ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ને ચેક સોંપ્યો હતો. આ દંપતિ  અગાઉ પણ  35 લાખનું ફ્રિજ દાન સ્વરૂપે આપી ચુક્યું છે. 


તિરુપતિ મંદિરને અવારનાર દાન કરી ચુક્યો છે પરિવાર


ચેન્નાઈના મુસ્લિમ દંપતીએ આંધ્ર પ્રદેશના તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વરના તિરુપતિ મંદિરમાં 1.02 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.  જો કે ઉદ્યોગપતિ અબ્દુલ ગની અને તેમની પત્ની સુબીના બાનો આ પહેલા પણ અનેક વખત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ને દાન આપી ચુક્યો છે. આ પહેલા સુબીના બાનો અને અબ્દુલ ગનીએ શાકભાજીના પરિવહન માટે મંદિરને 35 લાખ રૂપિયાની કિંમતનું રેફ્રિજરેટર ટ્રક દાનમાં આપ્યું હતું. અબ્દુલ ગનીએ વર્ષ 2020માં કોરોના રોગચાળા દરમિયાન મંદિર પરિસરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે ટ્રેક્ટર-માઉન્ટ સ્પ્રેયરનું પણ દાન કર્યું હતું.  


યાત્રિકોની સુવિધાઓ વધારવા કરાશે દાનનો ઉપયોગ


મુસ્લિમ પરિવાર પ્રથમ વખત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના (TTD) ઓફિસર એવી ધર્મા રેડ્ડીને મળ્યો હતો. જે બાદ ચેક તેમને સોંપવામાં આવ્યો હતો. અધિકારીઓએ અબ્દુલ ગની અને તેમના પરિવારના સભ્યોને મંદિરની પ્રસાદી આપી હતી.


તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ  ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું કે, 87 લાખ રૂપિયાનું દાન નવા બનેલા પદ્માવતી રેસ્ટ હાઉસના ફર્નિચર અને વાસણો માટે થશે, જેથી ત્યાંની સુવિધાઓમાં વધારો કરી શકાય. SV અન્ના પ્રસાદમ ટ્રસ્ટ માટે રૂ. 15 લાખના ડિમાન્ડ ડ્રાફ્ટનો પણ સમાવેશ થાય છે, જે દરરોજ મંદિરમાં આવતા હજારો ભક્તોને મફત ભોજન પૂરું પાડે છે.   



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.