CAT 2023ની પરીક્ષામાં Jamnagarના Abhishekનો ડંકો, પરીક્ષામાં 99.98 પર્સન્ટાઈલ કરી Gujaratમાં બીજો નંબર હાંસલ કર્યો


  • Published By :
  • Published Date : 2024-01-04 18:00:38

અનેક પરીક્ષાઓ એવી હોય છે જો તેમાં સારું પરિણામ આવી જાય તો જીવનમાં સફળતા હાંસલ કરી શકાય છે. અનેક પરીક્ષાઓ એવી હોય છે જે અઘરી હોય છે પરંતુ પરીક્ષાર્થી પોતાની મહેનતથી અઘરી પરીક્ષાઓમાં સારૂ પ્રદર્શન કરતા હોય છે. ત્યારે જામનગરના યુવકે CAT 2023માં જામનગરનો ડંકો વગાડ્યો છે. પોતાની મહેનતથી સમગ્ર ગુજરાતમાં અભિષેકે બીજો નંબર હાંસલ કર્યો છે. અભિષેકે પરીક્ષામાં 99.98 પર્સન્ટાઈલ મેળવીને સિદ્ધી પ્રાપ્ત કરી છે. 


બાળકની સફળતા જોઈ માતા પિતા થાય છે સૌથી વધારે ખુશ! 

કહેવાય છે જ્યારે બાળક સફળ થાય છે ત્યારે સૌથી વધારે ખુશી તેના માતા પિતાને થતી હોય છે. માતા પિતા જ હોય છે જે બાળક તેમનાથી વધારે સફળ થાય તેવી ઈચ્છા રાખે છે. ત્યારે અભિષેકના આ પરિણામને લઈને તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. અભિષેકે પોતાની સફળતાનો શ્રેય પોતાના માતા-પિતાને આપ્યો છે. અભિષેક ન માત્ર ભણવામાં આગળ છે પરંતુ તે સ્પોર્ટ્સમાં પણ મોખરે છે.  


CAT પરિણામમાં અભિષેકે મેળવ્યા 99.98 પર્સન્ટાઈલ 

અભિષેકે જણાવ્યું કે તે અત્યારે કેમિકલ એન્જીનિયરિંગના ફાઈનલ યરમાં છે. અત્યારે તેનું CAT 2023નું પરિણામ આવ્યું છે. પરીક્ષામાં તેણે 99.92 પર્સન્ટાઈલ મેળવ્યા છે. તેમણે જણાવ્યું કે આ એક્ઝામ માટે કોઈ ખાસ આયોજનબંધ મહેનત ન કરી હતી. પરંતુ જે વિષય અઘરો લાગે તેમાં વધુ સમય ફળવ્યો હતો. ગુરુજનો, મિત્ર અને માતાપિતાના સહકારથી આ સિદ્ધિ મળી છે. મહત્વનું છે કે અનેક વિદ્યાર્થીઓ એવા હોય છે જે અઘરો ટોપિક, અઘરો વિષય હોય તેને છોડી દેતા હોય છે. જ્યારે અભિષેક જેવા વિદ્યાર્થીઓ અઘરા ટોપિકને પહેલા લેતા હોય છે.  




અભિષેકને મળ્યો પરિવારનો ફૂલ સપોર્ટ

વધુમાં અભિષેકે જણાવ્યું કે તે નેશનલમાં કરાટેનો પ્લેયર છે. અભિષેકને ફ્રી સમયમાં સ્કેટિંગ કરવું ખુબ જ ગમે છે. પરીક્ષા વિશે વાત કરતા કહ્યું કે તેને પહેલેથી જ મેનેજમેન્ટમાં આગળ વધવું હતું..જેથી તેણે ગયા વર્ષથી જ કેટની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી.. બાળકની સફળતા પાછળ તેના માતા પિતાનો ફાળો મોટો હોય છે. અભિષેકે કહ્યું કે મને પહેલેથી જ પરિવારમાંથી ખુબ જ સપોર્ટ મળ્યો છે. મારા મમ્મીએ નાનપણથી જ મારી પાછળ ખુબ જ મહેનત કરી છે અને મારા પપ્પાએ પણ મને ફુલ સપોર્ટ કર્યો છે અને જે કરવું હોય તે કરવાની  છુટ આપી હતી.. એટલા માટે જ આજે હું અહિંયા પહોંચ્યો છું. 



ગુજરાતમાં અભિષેકનો આવ્યો બીજો ક્રમ

અભિષેક ઉપરાંત તેમના પિતા નરેન્દ્રભાઈ બારૈયાએ કહ્યું કે મારો દીકરો અભિષેક બારૈયાએ CAT 2023ની પરીક્ષામાં 99.98 પર્સન્ટાઈલ સાથે ગુજરાતમાં બીજા નંબર પર આવ્યો છે. આ પરીક્ષા પોણા બે લાખ વિદ્યાર્થીઓએ આપી હતી.. જેમાં અભિષેકે ગુજરાતમાં બીજા નંબર મેળવ્યો છે.. જે પરિવાર માટે ખુબ જ ગૌરવની વાત છે. મહત્વનું છે કે જો પરિવારમાંથી સપોર્ટ મળે તો બાળકો આસાનીથી સિદ્ધિ હાંસલ કરી શકે છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.