ACBએ નવસારીમાં લાંચિયો અધિકારી ઝડપ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 20:56:34

નવસારીના ગણદેવી રોડ પર આવેલા ઈટાળવા ગામના રાજહંસ થીએટરના પાર્કિંગમાં પુરવઠા વિભાગના ક્લાસ વન અધિકારી વિશાલ રાજકુમાર યાદવને 1 લાખ રૂપિયાની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી લીધા હતા. 


કાગળિયા હોવા છતાં ગાડી રોકી તોડ કર્યો 

ફરિયાદી લાઈટ અને ઓઈલનો વેપાર કરે છે. લાંચિયા અધિકારીએ ફરિયાદીની ગાડી રોકી કાગળિયા વગેરે ચેક કર્યા હતા. કાગળિયા ચેક કર્યા બાદ અધિકારી વિશાલ રાજકુમાર યાદવે ફરિયાદી પાસેથી 1 લાખ રૂપિયાની લાંચ માગી હતી પરંતુ ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ કરી દીધી હતી. 


ACBએ છટકું ગોઠવી અધિકારીની અટકાયત કરી 

ફરિયાદીએ ACBને લાંચ મામલે ફરિયાદ કરતા ACBએ નવસારીના ગણદેવી રોડ પર આવેલા ઈટાળવા ગામના રાજહંસ થીએટરના પાર્કિંગમાં છટકું ગોઠવ્યું હતું. ફરિયાદીએ લાંચની રકમ લેવા અધિકારીને બોલાવ્યો હતો જ્યાં એસીબીએ અધિકારીને ઝડપી લીધો હતો. ACBએ લાંચની રકમ ફરિયાદીને પરત કરી હતી અને લાંચિયા અધિકારીની અટકાયત કરી હતી. 




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"