ACBએ નવસારીમાં લાંચિયો અધિકારી ઝડપ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 20:56:34

નવસારીના ગણદેવી રોડ પર આવેલા ઈટાળવા ગામના રાજહંસ થીએટરના પાર્કિંગમાં પુરવઠા વિભાગના ક્લાસ વન અધિકારી વિશાલ રાજકુમાર યાદવને 1 લાખ રૂપિયાની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી લીધા હતા. 


કાગળિયા હોવા છતાં ગાડી રોકી તોડ કર્યો 

ફરિયાદી લાઈટ અને ઓઈલનો વેપાર કરે છે. લાંચિયા અધિકારીએ ફરિયાદીની ગાડી રોકી કાગળિયા વગેરે ચેક કર્યા હતા. કાગળિયા ચેક કર્યા બાદ અધિકારી વિશાલ રાજકુમાર યાદવે ફરિયાદી પાસેથી 1 લાખ રૂપિયાની લાંચ માગી હતી પરંતુ ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ કરી દીધી હતી. 


ACBએ છટકું ગોઠવી અધિકારીની અટકાયત કરી 

ફરિયાદીએ ACBને લાંચ મામલે ફરિયાદ કરતા ACBએ નવસારીના ગણદેવી રોડ પર આવેલા ઈટાળવા ગામના રાજહંસ થીએટરના પાર્કિંગમાં છટકું ગોઠવ્યું હતું. ફરિયાદીએ લાંચની રકમ લેવા અધિકારીને બોલાવ્યો હતો જ્યાં એસીબીએ અધિકારીને ઝડપી લીધો હતો. ACBએ લાંચની રકમ ફરિયાદીને પરત કરી હતી અને લાંચિયા અધિકારીની અટકાયત કરી હતી. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.