બનાસકાંઠામાં લાંચીયા તલાટી કમ મંત્રી અધિકારીને પકડવા ACBએ ગોઠવ્યું છટકું, કોન્ટ્રાક્ટર પાસેથી માગી હતી આટલા હજારની લાંચ!


  • Published By :
  • Published Date : 2023-06-20 09:42:53

ભ્રષ્ટાચાર ખતમ થઈ ગયો છે જો તેવી વાત કોઈ કરે તો આપણને હસવું આવે છે, કારણ કે આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં સરકારી અધિકારી લાંચ લેતા પકડાયા હોય છે. થોડા દિવસો પહેલા મહિલા કર્મચારીને પાંચ હજારની લાંચ લેતા એસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા. ત્યારે ફરી એક વખત લાંચિયા અધિકારીને પકડી પાડવામાં આવ્યો છે. આ ઘટના છે બનાસકાંઠા જિલ્લાની. એસીબીએ કર્મચારીને પચાસ હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે.  


કોન્ટ્રાક્ટર પાસેથી સરકારી અધિકારીએ માગ્યા 50 હજાર!

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં શિરવાડા ગામ આવેલું છે. જ્યાંના તલાટી કમ મંત્રી છે ભાવેશ પ્રજાપતિ. ગામડામાં વિવિધ વિકાસ કાર્યો માટે ગ્રાન્ટ પણ આવતી હોય છે અને અમુક મંજૂર પણ કરાવવાની હોય છે. તો શિરવાડા ગામમાં રસ્તાનું કામ કરવાનું હતું. તલાટી કમ મંત્રી ભાવેશ પ્રજાપતિએ કોન્ટ્રાક્ટર પાસે 50 હજાર રૂપિયાની લાંચ માગી હતી. કામનું બિલ જલદી મંજૂર કરવા અને જલ્દીથી નાણાની ચૂકવણીની પ્રક્રિયા પૂરી કરવા માટે  તેમણે કોન્ટ્રાક્ટર પાસે 50 હજાર રૂપિયા માગ્યા હતા. 


લાંચીયા અધિકારીને પકડી પાડવા એસીબીએ છટકું!

કોન્ટ્રાક્ટરે એન્ટી કરપ્શન બ્યૂરોને ફરિયાદ કરી દીધી કે તલાટી કમ મંત્રી તો લાંચ માગી રહ્યા છે. એસીબીએ તલાટી કમ મંત્રીને લાંચ લેતા પકડવા માટે છટકું ગોઠવ્યું. અંતે પાલનપુર એન્ટી કરપ્શન બ્યૂરોએ શિરવાડા ગ્રામ પંચાયત કચેરીમાં જ તલાટી કમ મંત્રી ભાવેશ પ્રજાપતિને પચાસ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો. હાલ બનાસકાંઠા પોલીસે તલાટી સામે કાયદેસરની કાર્યવાહી કરી અટકાયત કરી લીધી છે. 


સારો પગાર હોવા છતાંય કેમ અધિકારીઓ લેતા હોય છે લાંચ?

અવાર નવાર આવા સમાચાર સામે આવી જાય છે. સરકારી અધિકારી એ ભૂલે છે કે તમે સરકારી અધિકારી છો યાર. તમારે લાંચની શું જરુર છે. ઓલરેડી સરકાર તમને આટલો પગાર આપે છે, કેટકેટલીય સરકારી સુવિધાઓ આપે છે જે ખાનગી સંસ્થામાં તો સપને પણ ન મળે. આ બધુ બંધ થવું જોઈએ. જો તમારી આસપાસ પણ કોઈ આવા કામ કરતું હોય તો તરત એન્ટી કરપ્શન બ્યૂરોનો સંપર્ક કરો. ગામ વચ્ચે બદનામ થશે અને પોલીસના સળિયા ગણશે  ને ત્યારે ભાન આવી જશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.