બનાસકાંઠામાં લાંચીયા તલાટી કમ મંત્રી અધિકારીને પકડવા ACBએ ગોઠવ્યું છટકું, કોન્ટ્રાક્ટર પાસેથી માગી હતી આટલા હજારની લાંચ!


  • Published By :
  • Published Date : 2023-06-20 09:42:53

ભ્રષ્ટાચાર ખતમ થઈ ગયો છે જો તેવી વાત કોઈ કરે તો આપણને હસવું આવે છે, કારણ કે આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં સરકારી અધિકારી લાંચ લેતા પકડાયા હોય છે. થોડા દિવસો પહેલા મહિલા કર્મચારીને પાંચ હજારની લાંચ લેતા એસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા. ત્યારે ફરી એક વખત લાંચિયા અધિકારીને પકડી પાડવામાં આવ્યો છે. આ ઘટના છે બનાસકાંઠા જિલ્લાની. એસીબીએ કર્મચારીને પચાસ હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે.  


કોન્ટ્રાક્ટર પાસેથી સરકારી અધિકારીએ માગ્યા 50 હજાર!

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં શિરવાડા ગામ આવેલું છે. જ્યાંના તલાટી કમ મંત્રી છે ભાવેશ પ્રજાપતિ. ગામડામાં વિવિધ વિકાસ કાર્યો માટે ગ્રાન્ટ પણ આવતી હોય છે અને અમુક મંજૂર પણ કરાવવાની હોય છે. તો શિરવાડા ગામમાં રસ્તાનું કામ કરવાનું હતું. તલાટી કમ મંત્રી ભાવેશ પ્રજાપતિએ કોન્ટ્રાક્ટર પાસે 50 હજાર રૂપિયાની લાંચ માગી હતી. કામનું બિલ જલદી મંજૂર કરવા અને જલ્દીથી નાણાની ચૂકવણીની પ્રક્રિયા પૂરી કરવા માટે  તેમણે કોન્ટ્રાક્ટર પાસે 50 હજાર રૂપિયા માગ્યા હતા. 


લાંચીયા અધિકારીને પકડી પાડવા એસીબીએ છટકું!

કોન્ટ્રાક્ટરે એન્ટી કરપ્શન બ્યૂરોને ફરિયાદ કરી દીધી કે તલાટી કમ મંત્રી તો લાંચ માગી રહ્યા છે. એસીબીએ તલાટી કમ મંત્રીને લાંચ લેતા પકડવા માટે છટકું ગોઠવ્યું. અંતે પાલનપુર એન્ટી કરપ્શન બ્યૂરોએ શિરવાડા ગ્રામ પંચાયત કચેરીમાં જ તલાટી કમ મંત્રી ભાવેશ પ્રજાપતિને પચાસ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો. હાલ બનાસકાંઠા પોલીસે તલાટી સામે કાયદેસરની કાર્યવાહી કરી અટકાયત કરી લીધી છે. 


સારો પગાર હોવા છતાંય કેમ અધિકારીઓ લેતા હોય છે લાંચ?

અવાર નવાર આવા સમાચાર સામે આવી જાય છે. સરકારી અધિકારી એ ભૂલે છે કે તમે સરકારી અધિકારી છો યાર. તમારે લાંચની શું જરુર છે. ઓલરેડી સરકાર તમને આટલો પગાર આપે છે, કેટકેટલીય સરકારી સુવિધાઓ આપે છે જે ખાનગી સંસ્થામાં તો સપને પણ ન મળે. આ બધુ બંધ થવું જોઈએ. જો તમારી આસપાસ પણ કોઈ આવા કામ કરતું હોય તો તરત એન્ટી કરપ્શન બ્યૂરોનો સંપર્ક કરો. ગામ વચ્ચે બદનામ થશે અને પોલીસના સળિયા ગણશે  ને ત્યારે ભાન આવી જશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.