લદ્દાખમાં ગમખ્વાર દુર્ઘટના, સેનાની ટ્રક ખાઈમાં ખાબકી, 9 જવાન શહીદ, PM મોદીએ વ્યક્ત કર્યો શોક


  • Published By :
  • Published Date : 2023-08-20 11:05:03

લદ્દાખના લેહ પાસે સેનાની એક ટ્રક ઉંડી ખીણમાં ખાબકતા આ ટ્રકમાં સવાર એક જુનિયર કમિશન્ડ ઓફિસર અને 8 જવાન શહીદ થયા હતા. જ્યારે એક જવાન ઘાયલ થયો છે.  ઘાયલ જવાનને સેનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અકસ્માત ક્યારી વિસ્તાર પાસે થયો હતો. સેના સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર સેનાની ટ્રકની સાથે એમ્બ્યુલન્સ અને યુએસવી પણ જઈ રહી હતી. આ તમામ વાહનોમાં કુલ 34 સેનાના જવાનો હતા. સેનાની ટ્રકને શનિવારે સાંજે 6.30 કલાકે અકસ્માત નડ્યો હતો. 


ALS વાહનમાં 10 જવાન હતા


આ ગમખ્વાર દુર્ઘટના વિશે લદ્દાખના એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટના ક્યારી શહેરથી 7 કિમી દૂર થઈ હતી. સેનાનું વાહન ખાડામાં પડી ગયું હતું. સૈનિકો કારુ ગેરિસનથી લેહ નજીક ક્યારી તરફ જઈ રહ્યા હતા.ભારતીય સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, એક ALS વાહન લેહથી ન્યોમા તરફ કાફલા સાથે જઈ રહ્યું હતું. શનિવારે સાંજે 5:45-6:00 વાગ્યાની વચ્ચે, ક્યારીથી 7 કિલોમીટર પહેલાં, તે ખીણમાં લપસી ગયું હતું. વાહનમાં 10 જવાન હતા, જેમાંથી 9ના મોત થયા હતા અને એક ઘાયલ થયો હતો. ઘાયલ જવાનોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.


8 સૈનિકોના ઘટના સ્થળે જ મોત


8 સૈનિકોના ઘટના સ્થળે જ મોત, એકનું હોસ્પિટલમાં મોત લેહના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) પીડી નિત્યાએ જણાવ્યું કે સેનાના વાહનમાં 10 સૈનિકો હતા. આ વાહન લેહથી ન્યોમા તરફ જઈ રહ્યું હતું. ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો અને ખાડામાં પડી ગયો. પોલીસની એક ટીમ અકસ્માત સ્થળે પહોંચી હતી અને તમામ ઘાયલ જવાનોને સેનાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં આઠ જવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદ અન્ય એક જવાનનું મોત થયું હતું. એક જવાનની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.


PM મોદી સહિતના નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું 


રાષ્ટ્ર પતિ દ્રોપદી મુર્મુ, PM નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ તથા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું, લેહ પાસે થયેલા અકસ્માતથી હું દુ:ખી છું. આપણે ભારતીય સેનાના જવાનો ગુમાવ્યા છે. રાષ્ટ્ર પ્રત્યેની તેમની સમૃદ્ધ સેવા હંમેશા યાદ રાખવામાં આવશે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. જેઓ ઘાયલ છે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .