લદ્દાખમાં ગમખ્વાર દુર્ઘટના, સેનાની ટ્રક ખાઈમાં ખાબકી, 9 જવાન શહીદ, PM મોદીએ વ્યક્ત કર્યો શોક


  • Published By :
  • Published Date : 2023-08-20 11:05:03

લદ્દાખના લેહ પાસે સેનાની એક ટ્રક ઉંડી ખીણમાં ખાબકતા આ ટ્રકમાં સવાર એક જુનિયર કમિશન્ડ ઓફિસર અને 8 જવાન શહીદ થયા હતા. જ્યારે એક જવાન ઘાયલ થયો છે.  ઘાયલ જવાનને સેનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અકસ્માત ક્યારી વિસ્તાર પાસે થયો હતો. સેના સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર સેનાની ટ્રકની સાથે એમ્બ્યુલન્સ અને યુએસવી પણ જઈ રહી હતી. આ તમામ વાહનોમાં કુલ 34 સેનાના જવાનો હતા. સેનાની ટ્રકને શનિવારે સાંજે 6.30 કલાકે અકસ્માત નડ્યો હતો. 


ALS વાહનમાં 10 જવાન હતા


આ ગમખ્વાર દુર્ઘટના વિશે લદ્દાખના એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટના ક્યારી શહેરથી 7 કિમી દૂર થઈ હતી. સેનાનું વાહન ખાડામાં પડી ગયું હતું. સૈનિકો કારુ ગેરિસનથી લેહ નજીક ક્યારી તરફ જઈ રહ્યા હતા.ભારતીય સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, એક ALS વાહન લેહથી ન્યોમા તરફ કાફલા સાથે જઈ રહ્યું હતું. શનિવારે સાંજે 5:45-6:00 વાગ્યાની વચ્ચે, ક્યારીથી 7 કિલોમીટર પહેલાં, તે ખીણમાં લપસી ગયું હતું. વાહનમાં 10 જવાન હતા, જેમાંથી 9ના મોત થયા હતા અને એક ઘાયલ થયો હતો. ઘાયલ જવાનોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.


8 સૈનિકોના ઘટના સ્થળે જ મોત


8 સૈનિકોના ઘટના સ્થળે જ મોત, એકનું હોસ્પિટલમાં મોત લેહના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) પીડી નિત્યાએ જણાવ્યું કે સેનાના વાહનમાં 10 સૈનિકો હતા. આ વાહન લેહથી ન્યોમા તરફ જઈ રહ્યું હતું. ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો અને ખાડામાં પડી ગયો. પોલીસની એક ટીમ અકસ્માત સ્થળે પહોંચી હતી અને તમામ ઘાયલ જવાનોને સેનાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં આઠ જવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદ અન્ય એક જવાનનું મોત થયું હતું. એક જવાનની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.


PM મોદી સહિતના નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું 


રાષ્ટ્ર પતિ દ્રોપદી મુર્મુ, PM નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ તથા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું, લેહ પાસે થયેલા અકસ્માતથી હું દુ:ખી છું. આપણે ભારતીય સેનાના જવાનો ગુમાવ્યા છે. રાષ્ટ્ર પ્રત્યેની તેમની સમૃદ્ધ સેવા હંમેશા યાદ રાખવામાં આવશે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. જેઓ ઘાયલ છે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .