રાજકોટમાં ગમખ્વાર અકસ્માત, મહિલા તબીબ પર ડમ્પરનું વ્હીલ ફરી વળ્યું, ડમ્પરચાલક ફરાર


  • Published By :
  • Published Date : 2023-06-25 12:17:19

વાહનો ચાલકો કોઈ પણ પ્રકારના ભય વગર જે રીતે બેફામ ડ્રાઈવિંગ કરે છે તેનાથી રસ્તા પર ચાલવું કે નાનું વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. રાજકોટમાં એક ડમ્પરે મહિલા તબીબને અડફેટે લેતાં ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું. શહેરના કોઠારીયા રોડ પર આવેલા રણુજા મંદિર પાસે આ અકસ્માત બન્યો હતો. જેમાં ડો.આયુષી વડોદરિયાનું મોત થયું હતું. અકસ્માત બાદ ચાલક ડમ્પર મૂકી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે આજી ડેમ પોલીસે ડમ્પર ચાલકને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.


ડમ્પરના ચાલક સામે નોંધાઈ FIR 

આયુષીબેન જગદિશભાઈ વાડોદરીયા નામની 24 વર્ષની ડેન્ટિસ્ટ કોઠારીયા રોડ પર હુડકો ચોકડી પાસે તેમના સ્કુટર પર કોઈ કામ અર્થે જઈ રહ્યા હતા તે દરમિયાન જ ડમ્પર ચાલકે હડફેટે લઈ કચડી નાખતા હાહાકાર મચી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ આયુષીબેનનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આજી ડેમ પોલીસે આ મામલે મૃતકના પિતા જગદીશભાઈની ફરિયાદ આધારે અકસ્માત બાદ ભાગી ગયેલા ડમ્પરના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરવા કાર્યવાહી શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે મૃતક આયુષીબેનના પિતા રત્ન કલાકાર છે, અને તેમને સંતાનમાં એક પુત્રી આયુષી જ હતા.


રત્ન કલાકાર પિતાએ ડોક્ટર પુત્રી ગુમાવી


જગદિશભાઈએ પોલીસને જણાવ્યું કે તે હિરા ઘસવાનું કામ કરે છે. તેને સંતાનમાં એક પુત્રી આયુષી (ઉં.વ.24) છે, જે ડેન્ટિસ્ટ છે. આજે બપોરે તે ઘરે હતા ત્યારે 108ના તબીબે તેની પુત્રીના નંબર પરથી કોલ કરતા તે રિસીવ કર્યો હતો અને કોલ કરનારે 'આ ફોનવાળા બહેનનું કોઠારીયા રોડ પાસે અકસ્માત થયો છે.' તેમ જણાવતા તે ત્યાં તત્કાલ પહોંચી ગયા હતા. ત્યાં જઈને જોતા તેની પુત્રી લોહીલુહાણ હાલતમાં પડેલી જોવા મળી હતી.


મૃતદેહને પી.એમ. માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો  


આ અકસ્માત અંગે ઘટના સ્થળએ હાજર લોકોએ જણાવ્યું કે આયુષી તેનું સ્કુટર લઈને જઈ રહી હતી ત્યારે કોઠારીયા ગામ તરફથી હુડકો ચોકડી તરફ જતી વખતે પુરપાટ વેગે ઘસી આવેલા ડમ્પરના ચાલકે તેને પાછળથી હડફેટે લેતા આયુષી નીચે પડી જતા ડમ્પરનું વ્હીલ તેના પર ફરી વળ્યું હતું. કોઈએ 108ને જાણ કરતા તેના તબીબે આયુષીને મૃત જાહેર કરી હતી. જાણ થતા આજી ડેમ પોલીસના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ. માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. ડેન્ટિસ્ટ આયુષી તબીબી કામ સબબ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાતા નિધન થયું હતું. જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.