અમદાવાદમાં ફરી સર્જાયો અકસ્માત! નશાની હાલતમાં BMW લઈ નીકળેલા યુવકે અથડાવી ગાડી, પોલીસે કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-07-27 14:06:51

હજી સુધી ઈસ્કોનમાં થયેલા અકસ્માતની ચર્ચાઓ શાંત નથી થઈ, ત્યાં તો બીજા અનેક અકસ્માતોની ઘટના સામે આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા મણિનગરમાં એક અકસ્માત સર્જાયો હતો ત્યારે ગઈકાલે ફરી એક નબીરાએ અકસ્માત સર્જ્યો છે. વધુ એક અકસ્માત અમદાવાદના રસ્તા પર સર્જાયો છે. નશાની હાલતમાં ધૂત થયેલા નબીરાએ માણેકબાગ વિસ્તારમાં અકસ્માત સર્જ્યો છે. આ વખતે બીએમડબલ્યુ કારમાં આવેલા યુવકે વસ્ત્રાપુર તરફથી માણેકબાગ અને ત્યાંથી મણિનગર તરફ જતી વખતે એક્સીડન્ટ કર્યો છે. નશામાં ચિક્કાર થયેલા નબીરાએ રસ્તામાં અનેક વાહનો સાથે એક્સીડન્ટ કર્યો.  


નશાની હાલતમાં BMW ગાડી ચલાવતા નબીરાએ સર્જ્યો અકસ્માત  

એક તરફ રાજ્યમાં પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે તો બીજી તરફ અકસ્માતોની સંખ્યા પણ સતત વધતી જઈ રહી છે. હજી એક નબીરા વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી થઈ રહી છે, ત્યાં તો બીજા એક નબીરાની કરતૂત સામે આવી છે. નશાની હાલતમાં પહેલા તો નબીરાએ BMW ગાડી ચલાવી અને પછી અકસ્માત સર્જ્યો. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. બીએમડબલ્યુ કારમાં યુવક વસ્ત્રાપુર તરફથી માણેકબાગ અને ત્યાંથી મણિનગર તરફ જઈ રહ્યો હતો. અકસ્માત કરનાર યુવકે ચિક્કાર દારૂ પીધો હતો. મળતી માહિતી અનુસાર તેણે રસ્તામાં અલગ અલગ જગ્યાએ કારને અથડાવી હતી. આખરે માણેકબાગ પાસે કાર ઝાડ સાથે અથડાઈ. એક્સીડન્ટ થતાં તે નશાની હાલતમાં કારમાંથી બહાર આવ્યો હતો. જેવો તે ગાડીમાંથી બહાર આવ્યો. પોલીસને આ ઘટનાની જાણ થતાં કાર્યવાહી કરવામાં આવી અને તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. 


મણિનગરના રહેવાસીને પોલીસે લીધો કસ્ટડીમાં  

પોશ એરિયામાં મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો જેને કારણે રસ્તા પર ઓછા લોકો હાજર હતા. ઘટનાસમયે જે લોકો હાજર હતા તે ત્યાં ભેગા થઈ ગયા હતા. દારૂ પિધેલી હાલતમાં તે ગાડીમાંથી નીચે ઉતર્યો ત્યારે લોકોએ તેને માર માર્યો હતો. પોલીસને આ અંગે જાણ કરાઈ. મળતી માહિતી અનુસાર આ વ્યક્તિનું નામ કમલેશ બિશ્નોઈ છે અને તે મણિનગરનો રહેવાસી છે. દારૂ પીને ગાડી ચલાવતા નબીરાઓને લઈ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. 


ગાડી તમારા બાપની ભલે હોય પરંતુ રસ્તો તમારા બાપનો નથી  

ઓવરસ્પીડિંગને કારણે તેમજ નશાની હાલતમાં હોવાને કારણે અનેક અકસ્માતો સર્જાય છે. નશામાં ટલ્લી થઈ નબીરાઓ એવી બેફામ રીતે ગાડીઓ ચલાવતા હોય છે કે જાણે રસ્તો તેમના બાપનો હોય. પરંતુ તે ભૂલી જાય છે કે ભલે ગાડી તમારા બાપની હોય પરંતુ રસ્તો તમારા બાપની પ્રોપર્ટી નથી. ત્યાં સામાન્ય લોકો, વાહનચાલકો પોતાના વાહનો ચલાવતા હોય છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ જો જાનહાની થઈ હોત તો? 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.