Jamnagarમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટર અને કાર વચ્ચે ટક્કર થતા થયા આટલા લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-02 11:09:55

અકસ્માતોની વણજાર રાજ્યમાં થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ભીષણ  રોડ અકસ્માતમાં અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હશે. અનેક કિસ્સાઓ તો એવા હોય છે જેમાં આખેઆખો પરિવાર અકસ્માતમાં મોતને ભેટે છે. કોઈ વખત દર્શન કરી પરત ફરી રહેલો પરિવાર કાળનો કોળિયો બનતો હોય છે તો કોઈ વખત પ્રસંગમાં જતા લોકોના મોત અકસ્માતમાં થાય છે. અનેક અકસ્માત તો એટલા ભયંકર હોય છે કે લોકોના મોત ઘટનાસ્થળ પર જ થઈ જાય છે. ત્યારે આજે આવો જ ગંભીર રોડ અકસ્માત જામનગર કાલાવડ હાઈવે પર સર્જાયો છે. કાર અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થતાં 3 લોકોના મોત ઘટના સ્થળ પર જઈ ગયા છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ છે તેવી માહિતી સામે આવી રહી છે.

 કિંજલ કારસરીયા, જામનગર: જામનગર-કાલાવડ હાઇવે રવિવારે રાત્રે રક્તરંજિત થયો છે. મોટી માટલી પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં સૈયદ પરિવારના ત્રણ લોકોના મોત નિપજયા છે. આ સાથે અન્ય બે લોકો ગંભીરરીતે ઘાયલ થયા હતા. જેઓને સ્થાનિકોએ તાત્કાલિક 108ને જાણ કરી જી.જી.હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. જામનગરમાં ગોઝારા અકસ્માતના આ સમાચાર મોડી રાત્રે મળતા જ સમગ્ર મુસ્લિમ સમાજમાં શોક જોવા મળ્યો છે.

 આ ઉપરાંત બે લોકોને ઈજાઓ પણ પહોચી હતી. આ ગોઝારા અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા.

આ દુર્ઘટનામાં થયા ત્રણ લોકોના મોત

રવિવાર રાત્રે જામનગર-કાલાવડ હાઈવે પર ગંભીર રોડ અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળ પર ત્રણ લોકોના મોત થઈ ગયા છે જ્યારે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મોટી માટલી ગામ નજીક ટ્રેક્ટર તેમજ કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. સારવાર માટે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 108ની મદદથી ઈજા પામેલા લોકોને જી.જી. હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં જે લોકોના મોત થયા છે તે એક જ પરિવારના છે. સૈયદ પરિવારના ત્રણ લોકોના મોત આ ઘટનામાં થયા છે.  જામનગર કાલાવડ હાઇવે પર મોટી માટલી ગામ પાસે GJ10DN7264 નંબરની કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

 જામનગર-કાલાવડ હાઇવે પર રવિવારની રાત્રે મોટી માટલી ગામ નજીક અકસ્માતની ગોઝારી દુર્ઘટના ઘટી છે. આ અકસ્માતમાં જામનગર જિલ્લા મુસ્લિમ સમાજના પીર એવા સૈયદ આમનશાબાપુ સિદ્દીકમિયાબાપુ મટારી સહિત તેમના પરિવારના સૈયદ આબેદામાં અને સૈયદ ઝેનબમાંના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા.

 રવિવારે રાત્રે થયેલા ગોઝારા અકસ્માતમાં મસિતિયાના પૂજારી ગણાતા સૈયદ પરિવારના 3 લોકોના મોતના સમાચાર મળતા જ સમગ્ર મુસ્લિમ સમગ્ર સમાજ તેમજ મસિતિયા ગામમાં શોકનો માહોલ છવાયો છે. મોડી રાત્રે જી.જી.હોસ્પિટલ ખાતે મસીતિયા ગામના અગ્રણી હાજી કસમભાઇ ખફી, હનીફભાઇ પતાણી અને ઇકબાલભાઇ ખફી (ભૂરાભાઇ) સહિત લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

અકસ્માતમાં નિર્દોષ લોકો ગુમાવતા હોય છે પોતાનો જીવ

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી અકસ્માતોના ઘણા બનાવો બની રહ્યા છે. અનેક ટક્કર એટલી ગંભીર હોય છે કે સારવાર મળે તે પણ લોકોના નસીબમાં નથી હોતું. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ લોકો દમ તોડી દેતા હોય છે. અનેક લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે પરંતુ સારવાર દરમિયાન તેમનું પણ મોત થઈ જતું હોય છે. ઘરેથી નિકળેલા માણસને નથી ખબર હોતી કે તે પરત ઘરે ફરશે કે નહી. અકસ્માતમાં ઘણી વખત નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે. પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી છે.



સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.