Jamnagarમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટર અને કાર વચ્ચે ટક્કર થતા થયા આટલા લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-02 11:09:55

અકસ્માતોની વણજાર રાજ્યમાં થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ભીષણ  રોડ અકસ્માતમાં અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હશે. અનેક કિસ્સાઓ તો એવા હોય છે જેમાં આખેઆખો પરિવાર અકસ્માતમાં મોતને ભેટે છે. કોઈ વખત દર્શન કરી પરત ફરી રહેલો પરિવાર કાળનો કોળિયો બનતો હોય છે તો કોઈ વખત પ્રસંગમાં જતા લોકોના મોત અકસ્માતમાં થાય છે. અનેક અકસ્માત તો એટલા ભયંકર હોય છે કે લોકોના મોત ઘટનાસ્થળ પર જ થઈ જાય છે. ત્યારે આજે આવો જ ગંભીર રોડ અકસ્માત જામનગર કાલાવડ હાઈવે પર સર્જાયો છે. કાર અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થતાં 3 લોકોના મોત ઘટના સ્થળ પર જઈ ગયા છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ છે તેવી માહિતી સામે આવી રહી છે.

 કિંજલ કારસરીયા, જામનગર: જામનગર-કાલાવડ હાઇવે રવિવારે રાત્રે રક્તરંજિત થયો છે. મોટી માટલી પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં સૈયદ પરિવારના ત્રણ લોકોના મોત નિપજયા છે. આ સાથે અન્ય બે લોકો ગંભીરરીતે ઘાયલ થયા હતા. જેઓને સ્થાનિકોએ તાત્કાલિક 108ને જાણ કરી જી.જી.હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. જામનગરમાં ગોઝારા અકસ્માતના આ સમાચાર મોડી રાત્રે મળતા જ સમગ્ર મુસ્લિમ સમાજમાં શોક જોવા મળ્યો છે.

 આ ઉપરાંત બે લોકોને ઈજાઓ પણ પહોચી હતી. આ ગોઝારા અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા.

આ દુર્ઘટનામાં થયા ત્રણ લોકોના મોત

રવિવાર રાત્રે જામનગર-કાલાવડ હાઈવે પર ગંભીર રોડ અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળ પર ત્રણ લોકોના મોત થઈ ગયા છે જ્યારે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મોટી માટલી ગામ નજીક ટ્રેક્ટર તેમજ કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. સારવાર માટે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 108ની મદદથી ઈજા પામેલા લોકોને જી.જી. હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં જે લોકોના મોત થયા છે તે એક જ પરિવારના છે. સૈયદ પરિવારના ત્રણ લોકોના મોત આ ઘટનામાં થયા છે.  જામનગર કાલાવડ હાઇવે પર મોટી માટલી ગામ પાસે GJ10DN7264 નંબરની કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

 જામનગર-કાલાવડ હાઇવે પર રવિવારની રાત્રે મોટી માટલી ગામ નજીક અકસ્માતની ગોઝારી દુર્ઘટના ઘટી છે. આ અકસ્માતમાં જામનગર જિલ્લા મુસ્લિમ સમાજના પીર એવા સૈયદ આમનશાબાપુ સિદ્દીકમિયાબાપુ મટારી સહિત તેમના પરિવારના સૈયદ આબેદામાં અને સૈયદ ઝેનબમાંના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા.

 રવિવારે રાત્રે થયેલા ગોઝારા અકસ્માતમાં મસિતિયાના પૂજારી ગણાતા સૈયદ પરિવારના 3 લોકોના મોતના સમાચાર મળતા જ સમગ્ર મુસ્લિમ સમગ્ર સમાજ તેમજ મસિતિયા ગામમાં શોકનો માહોલ છવાયો છે. મોડી રાત્રે જી.જી.હોસ્પિટલ ખાતે મસીતિયા ગામના અગ્રણી હાજી કસમભાઇ ખફી, હનીફભાઇ પતાણી અને ઇકબાલભાઇ ખફી (ભૂરાભાઇ) સહિત લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

અકસ્માતમાં નિર્દોષ લોકો ગુમાવતા હોય છે પોતાનો જીવ

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી અકસ્માતોના ઘણા બનાવો બની રહ્યા છે. અનેક ટક્કર એટલી ગંભીર હોય છે કે સારવાર મળે તે પણ લોકોના નસીબમાં નથી હોતું. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ લોકો દમ તોડી દેતા હોય છે. અનેક લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે પરંતુ સારવાર દરમિયાન તેમનું પણ મોત થઈ જતું હોય છે. ઘરેથી નિકળેલા માણસને નથી ખબર હોતી કે તે પરત ઘરે ફરશે કે નહી. અકસ્માતમાં ઘણી વખત નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે. પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી છે.



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.