મહારાષ્ટ્રમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે બસ વચ્ચે ટક્કર થતાં થયા આટલા લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-29 12:26:36

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકોએ અકસ્માતને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે એક ગમખ્વાર અકસ્માત મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે સર્જાયો છે. બે પ્રાઈવેટ બસ વચ્ચે ટક્કર થઈ અને પરિણામે 6 લોકોના મોત થઈ ગયા. અને 20 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત શનિવારે વહેલી સવારે સર્જાયો હતો. સારવાર અર્થે લોકોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. 


અકસ્માતમાં થયા આટલા લોકોના મોત

એક તરફ અમદાવાદના ઈસ્કોનમાં થયેલા અકસ્માતની વાતો શાંત નથી થઈ. દરેક જગ્યાએ ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે મહારાષ્ટ્રમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં 6 લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર નાસિક તરફ જઈ રહેલી બસે એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયસ કર્યો. પરંતુ તે સમયે સામેથી એક બસ આવી રહી હતી. આ દરમિયાન સામેથી આવતી બસ સાથે આ બસ અથડાઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે જ્યારે 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતને કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર બ્રિજ પર બંધ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના રાત્રે 2.30 વાગ્યાની આસપાસ બની હતી.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .