મહારાષ્ટ્રમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે બસ વચ્ચે ટક્કર થતાં થયા આટલા લોકોના મોત, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-29 12:26:36

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકોએ અકસ્માતને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે એક ગમખ્વાર અકસ્માત મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે સર્જાયો છે. બે પ્રાઈવેટ બસ વચ્ચે ટક્કર થઈ અને પરિણામે 6 લોકોના મોત થઈ ગયા. અને 20 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત શનિવારે વહેલી સવારે સર્જાયો હતો. સારવાર અર્થે લોકોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. 


અકસ્માતમાં થયા આટલા લોકોના મોત

એક તરફ અમદાવાદના ઈસ્કોનમાં થયેલા અકસ્માતની વાતો શાંત નથી થઈ. દરેક જગ્યાએ ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે મહારાષ્ટ્રમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં 6 લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર નાસિક તરફ જઈ રહેલી બસે એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયસ કર્યો. પરંતુ તે સમયે સામેથી એક બસ આવી રહી હતી. આ દરમિયાન સામેથી આવતી બસ સાથે આ બસ અથડાઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે જ્યારે 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતને કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર બ્રિજ પર બંધ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના રાત્રે 2.30 વાગ્યાની આસપાસ બની હતી.



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.