મહારાષ્ટ્રમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે બસ વચ્ચે ટક્કર થતાં થયા આટલા લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-29 12:26:36

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકોએ અકસ્માતને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે એક ગમખ્વાર અકસ્માત મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે સર્જાયો છે. બે પ્રાઈવેટ બસ વચ્ચે ટક્કર થઈ અને પરિણામે 6 લોકોના મોત થઈ ગયા. અને 20 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત શનિવારે વહેલી સવારે સર્જાયો હતો. સારવાર અર્થે લોકોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. 


અકસ્માતમાં થયા આટલા લોકોના મોત

એક તરફ અમદાવાદના ઈસ્કોનમાં થયેલા અકસ્માતની વાતો શાંત નથી થઈ. દરેક જગ્યાએ ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે મહારાષ્ટ્રમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં 6 લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર નાસિક તરફ જઈ રહેલી બસે એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયસ કર્યો. પરંતુ તે સમયે સામેથી એક બસ આવી રહી હતી. આ દરમિયાન સામેથી આવતી બસ સાથે આ બસ અથડાઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે જ્યારે 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતને કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર બ્રિજ પર બંધ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના રાત્રે 2.30 વાગ્યાની આસપાસ બની હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.