મહારાષ્ટ્રમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે બસ વચ્ચે ટક્કર થતાં થયા આટલા લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-29 12:26:36

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકોએ અકસ્માતને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે એક ગમખ્વાર અકસ્માત મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે સર્જાયો છે. બે પ્રાઈવેટ બસ વચ્ચે ટક્કર થઈ અને પરિણામે 6 લોકોના મોત થઈ ગયા. અને 20 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત શનિવારે વહેલી સવારે સર્જાયો હતો. સારવાર અર્થે લોકોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. 


અકસ્માતમાં થયા આટલા લોકોના મોત

એક તરફ અમદાવાદના ઈસ્કોનમાં થયેલા અકસ્માતની વાતો શાંત નથી થઈ. દરેક જગ્યાએ ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે મહારાષ્ટ્રમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં 6 લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર નાસિક તરફ જઈ રહેલી બસે એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયસ કર્યો. પરંતુ તે સમયે સામેથી એક બસ આવી રહી હતી. આ દરમિયાન સામેથી આવતી બસ સાથે આ બસ અથડાઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે જ્યારે 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતને કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર બ્રિજ પર બંધ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના રાત્રે 2.30 વાગ્યાની આસપાસ બની હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.