ખેડબ્રહ્મા નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત! બાઈક અને કાર વચ્ચે ટક્કર થતાં ઘટના સ્થળ પર થયા બે વ્યક્તિના મોત! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-05-23 10:28:07

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અકસ્માતોને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે અનેક લોકો એટલી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોય છે જેને કારણે આજીવન તેમને ભોગવવું પડતું હોય છે. ત્યારે ગઈકાલે ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બેકાબુ બનેલી કારે બાઈકને અડફેટે લઈ લીધી હતી. બાઈકની અડફેટે આવતા વીજ કચેરીના મહિલા કર્મચારી અને તેના પુત્રનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં જે બાળકનું મોત થયું છે તેણે હાલમાં યોજાયેલ બોર્ડની પરીક્ષા આપી હતી. પરીક્ષાનું પરિણામ આવે તે પહેલા જ બાળકનું મોત ઘટના સ્થળ પર થયું છે. મહિલાના પતિને ગંભીર ઈજા પહોંચી છે અને સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર જે ગાડીએ અકસ્માત સર્જ્યો તે 100 થી 120ની સ્પીડમાં ચાલી રહી હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે.  


બે લોકોના ઘટના સ્થળ પર થયાં મોત!

ખેડબ્રહ્મા નજીક ગઈ કાલ રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળ પર બે લોકોના મોત થઈ ગયા હતા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર ખેડબ્રહ્માના નજીક ઈડર તરફથી આવતી ગાડીએ બાઈકને ટક્કર મારી છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માતને કારણે બે લોકોના મોત ઘટના સ્થળ પર થઈ ગયા હતા. બાઈકમાં પેટ્રોલ પુરાવી ઘર તરફ નીકળી રહ્યા હતા તે દરમિયાન ઈડર તરફથી આવતી ગાડીએ બાઈકને ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બાઈક પર બેઠેલા દર્શનાબેન અને શિવમનું મૃત્યુ ઘટના સ્થળ પર થઈ ગયું હતું. જ્યારે પારસભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 


પરીક્ષાનું પરિણામ આવે તે પહેલા થયું જ મોત!

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં જે ગાડીએ ટક્કર મારી તે ગાડીની સ્પીડ 100થી 120 વચ્ચેની હતી. ખરાબ રીતે ગાડી ચલાવવામાં આવતા આ અકસ્માત સર્જાયો હતો. જે બાળકનું મોત થયું છે તેનું નામ શિવમ છે. તેણે ધોરણ 10ની પરીક્ષા આપી હતી. બોર્ડની પરીક્ષાનું પરિણામ આવતા પહેલા જ શિવમે દુનિયાને અલવિદા કહી દીધી છે. ઝડપની મજા કોઈ બીજા માટે ઘણી વખત મોતની સજા બની જતી હોય છે. 


આ ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી!

ત્યારે આ અકસ્માતમાં એક જ પરિવારના બે સભ્યોના મોત થયાં છે. મળતી માહિતી અનુસાર જે ગાડીએ ટક્કર મારી હતી તેની સ્પીડ 100થી 120ની હતી. ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે ઉપર પેટ્રોલપંપની નજીક આ અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક ખેડબ્રહ્મા તરફ આવી રહ્યા હતા અને તે સમય દરમિયાન ગાડી અને બાઈક વચ્ચે અક્માત સર્જાયો છે. ઘટના સ્થળ પર દર્શનાબેન તેમજ તેમનો પુત્ર શિવમ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને ઘટનાસ્થળ પર તેમનું મોત થયું હતું. જ્યારે પારસભાઈને ગંભીર ઈજાઓ પહોંચી છે અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે અને તપાસ હાથ ધરી છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.