જામનગર-રાજકોટ હાઈવે પર સર્જાયો ગંભીર અકસ્માત, ઘટના સ્થળ પર થયા ત્રણ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2024-11-17 11:43:52

અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે.. અનેક લોકોએ અકસ્માતમાં પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે.... ઓવરસ્પીડિંગને કારણે અકસ્માત મુખ્યત્વે સર્જાય છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ત્યારે જામનગર રાજકોટ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે... જાયવા પાસે એક્ટિવા અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો છે... આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે... મૃતક લોકો ધ્રોલના ભેંસદડના રહેવાસી હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે... ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી... 


પોલીસે આ મામલે તપાસ શરૂ કરી!

ઓવરસ્પીડિંગને કારણે અનેક લોકોના મોત થતા હોય છે... અનેક લોકો બેફામ બનીને વાહન ચલાવતા હોય છે... પોતાના જીવનની તો તેમને ચિંતા નથી હોતી પરંતુ તે બીજા લોકોના જીવનને પણ જોખમમાં મૂકી દેતા હોય છે.. પ્રતિદિન હજારો લોકોના મોત રોડ અકસ્માતમાં થતા હોય છે... ત્યારે જામનગર રાજકોટ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે.... અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી..  મૃતદેહોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે....પોલીસે ઘટના સ્થળ પર આવી તપાસ શરૂ કરી છે...  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.