જામનગર-રાજકોટ હાઈવે પર સર્જાયો ગંભીર અકસ્માત, ઘટના સ્થળ પર થયા ત્રણ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2024-11-17 11:43:52

અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે.. અનેક લોકોએ અકસ્માતમાં પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે.... ઓવરસ્પીડિંગને કારણે અકસ્માત મુખ્યત્વે સર્જાય છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ત્યારે જામનગર રાજકોટ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે... જાયવા પાસે એક્ટિવા અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો છે... આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે... મૃતક લોકો ધ્રોલના ભેંસદડના રહેવાસી હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે... ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી... 


પોલીસે આ મામલે તપાસ શરૂ કરી!

ઓવરસ્પીડિંગને કારણે અનેક લોકોના મોત થતા હોય છે... અનેક લોકો બેફામ બનીને વાહન ચલાવતા હોય છે... પોતાના જીવનની તો તેમને ચિંતા નથી હોતી પરંતુ તે બીજા લોકોના જીવનને પણ જોખમમાં મૂકી દેતા હોય છે.. પ્રતિદિન હજારો લોકોના મોત રોડ અકસ્માતમાં થતા હોય છે... ત્યારે જામનગર રાજકોટ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે.... અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી..  મૃતદેહોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે....પોલીસે ઘટના સ્થળ પર આવી તપાસ શરૂ કરી છે...  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.