જામનગર-રાજકોટ હાઈવે પર સર્જાયો ગંભીર અકસ્માત, ઘટના સ્થળ પર થયા ત્રણ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2024-11-17 11:43:52

અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે.. અનેક લોકોએ અકસ્માતમાં પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે.... ઓવરસ્પીડિંગને કારણે અકસ્માત મુખ્યત્વે સર્જાય છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ત્યારે જામનગર રાજકોટ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે... જાયવા પાસે એક્ટિવા અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો છે... આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે... મૃતક લોકો ધ્રોલના ભેંસદડના રહેવાસી હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે... ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી... 


પોલીસે આ મામલે તપાસ શરૂ કરી!

ઓવરસ્પીડિંગને કારણે અનેક લોકોના મોત થતા હોય છે... અનેક લોકો બેફામ બનીને વાહન ચલાવતા હોય છે... પોતાના જીવનની તો તેમને ચિંતા નથી હોતી પરંતુ તે બીજા લોકોના જીવનને પણ જોખમમાં મૂકી દેતા હોય છે.. પ્રતિદિન હજારો લોકોના મોત રોડ અકસ્માતમાં થતા હોય છે... ત્યારે જામનગર રાજકોટ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે.... અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી..  મૃતદેહોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે....પોલીસે ઘટના સ્થળ પર આવી તપાસ શરૂ કરી છે...  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.