જામનગર-રાજકોટ હાઈવે પર સર્જાયો ગંભીર અકસ્માત, ઘટના સ્થળ પર થયા ત્રણ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2024-11-17 11:43:52

અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે.. અનેક લોકોએ અકસ્માતમાં પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે.... ઓવરસ્પીડિંગને કારણે અકસ્માત મુખ્યત્વે સર્જાય છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ત્યારે જામનગર રાજકોટ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે... જાયવા પાસે એક્ટિવા અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો છે... આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે... મૃતક લોકો ધ્રોલના ભેંસદડના રહેવાસી હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે... ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી... 


પોલીસે આ મામલે તપાસ શરૂ કરી!

ઓવરસ્પીડિંગને કારણે અનેક લોકોના મોત થતા હોય છે... અનેક લોકો બેફામ બનીને વાહન ચલાવતા હોય છે... પોતાના જીવનની તો તેમને ચિંતા નથી હોતી પરંતુ તે બીજા લોકોના જીવનને પણ જોખમમાં મૂકી દેતા હોય છે.. પ્રતિદિન હજારો લોકોના મોત રોડ અકસ્માતમાં થતા હોય છે... ત્યારે જામનગર રાજકોટ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે.... અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી..  મૃતદેહોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે....પોલીસે ઘટના સ્થળ પર આવી તપાસ શરૂ કરી છે...  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.