ગોધરા-દાહોદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, સાઈડમાં ઉભી રહેલી બસ સાથે બનેલી દુર્ઘટનામાં થયા ચાર લોકોના મોત, જાણો


  • Published By :
  • Published Date : 2023-11-21 09:52:04

રાજ્યમાં અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે. એકબાદ એક એવા ભયંકર અકસ્માત થઈ રહ્યા છે જેમાં લોકોના મોત થઈ રહ્યા છે. હિટ એન્ડ રનની ઘટનામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રોડ અકસ્માતમાં અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. થોડા દિવસો પહેલા ગાંધીનગરમાં એક ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં પાંચ પિતરાઈ ભાઈઓના મોત થઈ ગયા હતા ત્યારે આજે વધુ એક અકસ્માત બે લકઝરી બસો વચ્ચે થયો છે જેમાં ચાર લોકોના મોત થયા હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. આ અકસ્માત ગોધરા-દાહોદ હાઈવે પર સર્જાયો છે. 


Panchmahal News:   Four died in an accident between two private buses in Panchmahal. Panchmahal News: પંચમહાલમાં બંધ પડેલી બસની પાછળ ઘૂસી અન્ય બસ, બે બાળકો સહિત ચારનાં મોત

ગોધરા-દાહોદ હાઈવે પર સર્જાયો અકસ્માત 

ઓવરસ્પીડિંગને કારણે અનેક લોકોના મોત થયા છે, અનેક અકસ્માત સર્જાય છે. સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા, મોબાઈલ પર વાતો કરતા કરતા જેવા અનેક કારણોસર અકસ્માત સર્જાય છે. કોઈ વખત દુર્ઘટનામાં વાહન ખીણમાં ખાબકી પડે છે. ત્યારે આજે પણ એક અકસ્માત બન્યો છે જેમાં સાઈડમાં રિપેરિંગ માટે ઉભી રહેલી ગાડી સાથે પાછળથી આવેલી એક લક્ઝરી બસ અથડાઈ જેમાં ચાર જેટલા લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે જ્યારે 30 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.  ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત ગોધરા-દાહોદ હાઈવે પર બન્યો છે. અમદાવાદથી ઈન્દોર જઈ રહેલી ખાનગી બસને અન્ય બસે ટક્કર મારી અને આ દુર્ઘટના સર્જાઈ છે. 



ઘટનામાં ચાર લોકોના થયા મોત 

એવી પણ માહિતી સામે આવી કે આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે બસનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું. બસમાં ટેક્નિકલ ખામી સર્જાઈ જેને કારણે બસને સાઈડમાં ઉભી રાખી, મુસાફરો નીચે ઉતર્યા અને રોડની સાઈડમાં ઉભા રહી ગયા. તે દરમિયાન પાછળથી બસ આવી અને ઉભેલા લોકોને અડફેટે લેતા ઈજાઓ પહોંચી જ્યારે બસમાં બેઠેલા ચાર લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. સારવાર માટે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટક્કર એટલી ભયંકર હતી કે બસ ચાલકનો સ્ટીયરિંગ પરથી કાબુ જતો રહ્યો અને હાઈવે પરથી બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ. ઉતરી તે બાદ બસે પલટી મારી. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને આગળને કાર્યવાહી હાથ ધરી છે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.