ગોધરા-દાહોદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, સાઈડમાં ઉભી રહેલી બસ સાથે બનેલી દુર્ઘટનામાં થયા ચાર લોકોના મોત, જાણો


  • Published By :
  • Published Date : 2023-11-21 09:52:04

રાજ્યમાં અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે. એકબાદ એક એવા ભયંકર અકસ્માત થઈ રહ્યા છે જેમાં લોકોના મોત થઈ રહ્યા છે. હિટ એન્ડ રનની ઘટનામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રોડ અકસ્માતમાં અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. થોડા દિવસો પહેલા ગાંધીનગરમાં એક ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં પાંચ પિતરાઈ ભાઈઓના મોત થઈ ગયા હતા ત્યારે આજે વધુ એક અકસ્માત બે લકઝરી બસો વચ્ચે થયો છે જેમાં ચાર લોકોના મોત થયા હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. આ અકસ્માત ગોધરા-દાહોદ હાઈવે પર સર્જાયો છે. 


Panchmahal News:   Four died in an accident between two private buses in Panchmahal. Panchmahal News: પંચમહાલમાં બંધ પડેલી બસની પાછળ ઘૂસી અન્ય બસ, બે બાળકો સહિત ચારનાં મોત

ગોધરા-દાહોદ હાઈવે પર સર્જાયો અકસ્માત 

ઓવરસ્પીડિંગને કારણે અનેક લોકોના મોત થયા છે, અનેક અકસ્માત સર્જાય છે. સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા, મોબાઈલ પર વાતો કરતા કરતા જેવા અનેક કારણોસર અકસ્માત સર્જાય છે. કોઈ વખત દુર્ઘટનામાં વાહન ખીણમાં ખાબકી પડે છે. ત્યારે આજે પણ એક અકસ્માત બન્યો છે જેમાં સાઈડમાં રિપેરિંગ માટે ઉભી રહેલી ગાડી સાથે પાછળથી આવેલી એક લક્ઝરી બસ અથડાઈ જેમાં ચાર જેટલા લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે જ્યારે 30 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.  ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત ગોધરા-દાહોદ હાઈવે પર બન્યો છે. અમદાવાદથી ઈન્દોર જઈ રહેલી ખાનગી બસને અન્ય બસે ટક્કર મારી અને આ દુર્ઘટના સર્જાઈ છે. 



ઘટનામાં ચાર લોકોના થયા મોત 

એવી પણ માહિતી સામે આવી કે આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે બસનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું. બસમાં ટેક્નિકલ ખામી સર્જાઈ જેને કારણે બસને સાઈડમાં ઉભી રાખી, મુસાફરો નીચે ઉતર્યા અને રોડની સાઈડમાં ઉભા રહી ગયા. તે દરમિયાન પાછળથી બસ આવી અને ઉભેલા લોકોને અડફેટે લેતા ઈજાઓ પહોંચી જ્યારે બસમાં બેઠેલા ચાર લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. સારવાર માટે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટક્કર એટલી ભયંકર હતી કે બસ ચાલકનો સ્ટીયરિંગ પરથી કાબુ જતો રહ્યો અને હાઈવે પરથી બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ. ઉતરી તે બાદ બસે પલટી મારી. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને આગળને કાર્યવાહી હાથ ધરી છે.  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.