ગોધરા-દાહોદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, સાઈડમાં ઉભી રહેલી બસ સાથે બનેલી દુર્ઘટનામાં થયા ચાર લોકોના મોત, જાણો


  • Published By :
  • Published Date : 2023-11-21 09:52:04

રાજ્યમાં અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે. એકબાદ એક એવા ભયંકર અકસ્માત થઈ રહ્યા છે જેમાં લોકોના મોત થઈ રહ્યા છે. હિટ એન્ડ રનની ઘટનામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રોડ અકસ્માતમાં અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. થોડા દિવસો પહેલા ગાંધીનગરમાં એક ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં પાંચ પિતરાઈ ભાઈઓના મોત થઈ ગયા હતા ત્યારે આજે વધુ એક અકસ્માત બે લકઝરી બસો વચ્ચે થયો છે જેમાં ચાર લોકોના મોત થયા હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. આ અકસ્માત ગોધરા-દાહોદ હાઈવે પર સર્જાયો છે. 


Panchmahal News:   Four died in an accident between two private buses in Panchmahal. Panchmahal News: પંચમહાલમાં બંધ પડેલી બસની પાછળ ઘૂસી અન્ય બસ, બે બાળકો સહિત ચારનાં મોત

ગોધરા-દાહોદ હાઈવે પર સર્જાયો અકસ્માત 

ઓવરસ્પીડિંગને કારણે અનેક લોકોના મોત થયા છે, અનેક અકસ્માત સર્જાય છે. સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા, મોબાઈલ પર વાતો કરતા કરતા જેવા અનેક કારણોસર અકસ્માત સર્જાય છે. કોઈ વખત દુર્ઘટનામાં વાહન ખીણમાં ખાબકી પડે છે. ત્યારે આજે પણ એક અકસ્માત બન્યો છે જેમાં સાઈડમાં રિપેરિંગ માટે ઉભી રહેલી ગાડી સાથે પાછળથી આવેલી એક લક્ઝરી બસ અથડાઈ જેમાં ચાર જેટલા લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે જ્યારે 30 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.  ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત ગોધરા-દાહોદ હાઈવે પર બન્યો છે. અમદાવાદથી ઈન્દોર જઈ રહેલી ખાનગી બસને અન્ય બસે ટક્કર મારી અને આ દુર્ઘટના સર્જાઈ છે. 



ઘટનામાં ચાર લોકોના થયા મોત 

એવી પણ માહિતી સામે આવી કે આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે બસનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું. બસમાં ટેક્નિકલ ખામી સર્જાઈ જેને કારણે બસને સાઈડમાં ઉભી રાખી, મુસાફરો નીચે ઉતર્યા અને રોડની સાઈડમાં ઉભા રહી ગયા. તે દરમિયાન પાછળથી બસ આવી અને ઉભેલા લોકોને અડફેટે લેતા ઈજાઓ પહોંચી જ્યારે બસમાં બેઠેલા ચાર લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. સારવાર માટે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટક્કર એટલી ભયંકર હતી કે બસ ચાલકનો સ્ટીયરિંગ પરથી કાબુ જતો રહ્યો અને હાઈવે પરથી બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ. ઉતરી તે બાદ બસે પલટી મારી. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને આગળને કાર્યવાહી હાથ ધરી છે.  



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.