મહારાષ્ટ્રમાં યાત્રીકોને નડ્યો અકસ્માત, મુખ્યમંત્રીએ પાઠવી શ્રદ્ધાંજલિ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-01 13:30:28

અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. અકસ્માતમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે. ત્યારે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં 6 લોકોના મોત થયા છે, અકસ્માત થવાને કારણે 5 મહિલા, 2 પૂરુષ અને એક બાળકનું મોત નિપજ્યું છે. આ ઘટના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ દુખ વ્યક્ત કર્યું છે.

6 લોકો મોતને ભેટ્યા જ્યારે અનેક લોકો થયા ઈજાગ્રસ્ત   

મહારાષ્ટ્રમાં ગઈ કાલ રાતના અકસ્માત સર્જાયો હતો જેમાં 6 લોકોના મોત થયા છે. ઝડપમાં આવતી કારે 7 યાત્રીકોને પોતાની અડફેટે લઈ લીધા હતા. કાર સાથે ટક્કર થવાથી અનેક લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટક્કર લાગવાથી મૃત્યુ પામેલા તીર્થયાત્રીકો સોલાપુરથી પઢંરપુર તરફ પગપાળા જઈ રહ્યા હતા. ત્યારે ફૂલ ઝડપે આવી રહેલી ગાડી તેમનો કાળ બની ગઈ.

Maha govt to continue Y plus security for 41 MLAs and 10 MPs of CM Shinde  camp | www.lokmattimes.com

એકનાથ શિંદેએ મૃતકોને અર્પી શ્રદ્ધાંજલિ

આ ઘટના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. ટ્વિટ કરી શિંદેએ લખ્યું કે કાર્તિકી યાત્રા માટે પઢંરપુર તરફ ચાલીને જઈ રહેલા તીર્થયાત્રીકોને સંગોલા મિરાજ રોડ પર એક વાહને ટક્કર મારી દીધી છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારને ભાવભીની શ્રદ્ધાંજલિ.        



ભાજપમાં અત્યારે નારાજગી અને વિરોધની ફેશન ચાલી રહી છે રાજકોટમાં વિરોધ, સાબરકાંઠામાં વિરોધ અને આ બધી આગ વચ્ચે નેતાઓની નારાજગી સામે દેખાઈ રહી છે. તમને થશે કે હવે કોણ નારાજ છે તો અમરેલીના સાંસદ નારણ કાછડિયા નારાજ ચાલી રહ્યા છે કારણ કે તેમની ટિકિટ કપાઈ છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે જે અંતર્ગત ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારને ઉતાર્યા છે. કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છોટા ઉદેપુર પહોંચ્યા હતા અને ચૈતર વસાવા તેમજ સુખરામ રાઠવા માટે પ્રચાર કર્યો હતો.

લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્નીને ઉતારવની વાત થઈ રહી છે.

જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ વિરૂદ્ધ મહાનગરપાલિકાના સિટી ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીટિ ઈજનેરને ધાક ધમકી આપવામાં આવી ઉપરાંત ખંડણીની માગ પણ કરવામાં આવી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.