મહારાષ્ટ્રમાં યાત્રીકોને નડ્યો અકસ્માત, મુખ્યમંત્રીએ પાઠવી શ્રદ્ધાંજલિ


  • Published By :
  • Published Date : 2022-11-01 13:30:28

અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. અકસ્માતમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે. ત્યારે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં 6 લોકોના મોત થયા છે, અકસ્માત થવાને કારણે 5 મહિલા, 2 પૂરુષ અને એક બાળકનું મોત નિપજ્યું છે. આ ઘટના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ દુખ વ્યક્ત કર્યું છે.

6 લોકો મોતને ભેટ્યા જ્યારે અનેક લોકો થયા ઈજાગ્રસ્ત   

મહારાષ્ટ્રમાં ગઈ કાલ રાતના અકસ્માત સર્જાયો હતો જેમાં 6 લોકોના મોત થયા છે. ઝડપમાં આવતી કારે 7 યાત્રીકોને પોતાની અડફેટે લઈ લીધા હતા. કાર સાથે ટક્કર થવાથી અનેક લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટક્કર લાગવાથી મૃત્યુ પામેલા તીર્થયાત્રીકો સોલાપુરથી પઢંરપુર તરફ પગપાળા જઈ રહ્યા હતા. ત્યારે ફૂલ ઝડપે આવી રહેલી ગાડી તેમનો કાળ બની ગઈ.

Maha govt to continue Y plus security for 41 MLAs and 10 MPs of CM Shinde  camp | www.lokmattimes.com

એકનાથ શિંદેએ મૃતકોને અર્પી શ્રદ્ધાંજલિ

આ ઘટના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. ટ્વિટ કરી શિંદેએ લખ્યું કે કાર્તિકી યાત્રા માટે પઢંરપુર તરફ ચાલીને જઈ રહેલા તીર્થયાત્રીકોને સંગોલા મિરાજ રોડ પર એક વાહને ટક્કર મારી દીધી છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારને ભાવભીની શ્રદ્ધાંજલિ.        



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.