મહારાષ્ટ્રમાં યાત્રીકોને નડ્યો અકસ્માત, મુખ્યમંત્રીએ પાઠવી શ્રદ્ધાંજલિ


  • Published By :
  • Published Date : 2022-11-01 13:30:28

અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. અકસ્માતમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે. ત્યારે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં 6 લોકોના મોત થયા છે, અકસ્માત થવાને કારણે 5 મહિલા, 2 પૂરુષ અને એક બાળકનું મોત નિપજ્યું છે. આ ઘટના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ દુખ વ્યક્ત કર્યું છે.

6 લોકો મોતને ભેટ્યા જ્યારે અનેક લોકો થયા ઈજાગ્રસ્ત   

મહારાષ્ટ્રમાં ગઈ કાલ રાતના અકસ્માત સર્જાયો હતો જેમાં 6 લોકોના મોત થયા છે. ઝડપમાં આવતી કારે 7 યાત્રીકોને પોતાની અડફેટે લઈ લીધા હતા. કાર સાથે ટક્કર થવાથી અનેક લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટક્કર લાગવાથી મૃત્યુ પામેલા તીર્થયાત્રીકો સોલાપુરથી પઢંરપુર તરફ પગપાળા જઈ રહ્યા હતા. ત્યારે ફૂલ ઝડપે આવી રહેલી ગાડી તેમનો કાળ બની ગઈ.

Maha govt to continue Y plus security for 41 MLAs and 10 MPs of CM Shinde  camp | www.lokmattimes.com

એકનાથ શિંદેએ મૃતકોને અર્પી શ્રદ્ધાંજલિ

આ ઘટના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. ટ્વિટ કરી શિંદેએ લખ્યું કે કાર્તિકી યાત્રા માટે પઢંરપુર તરફ ચાલીને જઈ રહેલા તીર્થયાત્રીકોને સંગોલા મિરાજ રોડ પર એક વાહને ટક્કર મારી દીધી છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારને ભાવભીની શ્રદ્ધાંજલિ.        



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.