રાજ્યમાં અનેક જગ્યાઓ પર સર્જાયો અકસ્માત, અમદાવાદમાં ઓવરસ્પીડ BMW કારે લીધા બે લોકોને અડફેટમાં


  • Published By :
  • Published Date : 2023-03-02 12:18:06

અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. પ્રતિદિન અકસ્માતને કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે બુધવાર રાત્રે અમદાવાદમાં એક અકસ્માત સર્જાયો જેમાં એક પૂર ઝડપથી આવતી ગાડીએ રસ્તા પર ચાલતા 2 લોકોને અડફેટે લીધા હતા. આ ઘટના ઝાયડસ હોસ્પિચલ રોડ પર બની હતી. બીએમડબલ્યુ કારે બે લોકોને ટક્કર મારી હતી જેને કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે કાર ચાલક નશાની હાલતમાં હતો. મળતી માહિતી અનુસાર ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે.



ગાડીએ બે લોકોને લીધા અડફેટમાં 

રોડ અકસ્માતો પ્રતિદિન વધી રહ્યા છે. અકસ્માતને કારણે અનેક નિર્દોષ લોકો કોઈ બીજાની ભૂલને કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ઓવર સ્પીડને કારણે મુખ્યત્વે અકસ્માત સર્જાતો હોય છે. ત્યારે અમદાવાદમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં ફૂલ સ્પીડથી આવતી બીએમડબલ્યુ કારે રસ્તા પરથી પસાર થઈ રહેલા બે લોકોને અડફેટે લઈ લીધા હતા. 


નશાની હાલતમાં કાર ચાલક હોવાનું સ્થાનિકોનું કહેવું  

આ ઘટના ઝાયડસ હોસ્પિટલ રોડ પર બની હતી. ત્યાં ઉપસ્થિત લોકોનું કહેવું છે કાર ચાલક નશાની હાલતમાં હતો. નશાની હાલતમાં કાર ચાલકે ત્રણથી ચાર લોકોને અડફેટે લઈ લીધા હતા. ઉપરાંત મળતી માહિતી અનુસાર ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી.અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માત સર્જી કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જે ગાડીથી અકસ્માત સર્જાયો હતો તે ગાડી દોઢ કિલોમીટર દૂરથી મળી આવી છે.         



રાજ્યમાં અનેક જગ્યાઓ પર બની અકસ્માતની ઘટના 

અમદાવાદ સિવાય બીજા અનેક જગ્યાઓ પર અકસ્માત સર્જાયો છે. રાજકોટમાં રોડક્રોસ કરતી વખતે ધોરણ ચારમાં ભણતો વિદ્યાર્થી કાર ચાલકની અડફેટે આવી ગયો હતો. ઉપરાંત વલસાડ નજીક અમદાવાદ-મુબંઈ નેશનલ હાઈને પર દુર્ઘટના સર્જાઈ છે જેમાં અજાણય્યા વાહનચાલકની અડફેટે આવતા બાઈક ચાલકનું મોત થયું છે. તે સિવાય નવસારીમાં પણ અકસ્માત સર્જાયો છે જેમાં  પીકઅપ વાન અને કાર વચ્ચે ટક્કર થઈ હતી અને પીકઅપ વાન ચાલકનું ઘટના સ્થળ પર મોત થયું હતું. અમદાવાદ-રાજકોટ હાઈવે પર પણ અકસ્માતની ગોઝારી ઘટના બની છે જેમાં બે વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. વાહનો ભટકાતા વાહનોમાં આગ લાગી હતી  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.