રાજ્યમાં અનેક જગ્યાઓ પર સર્જાયો અકસ્માત, અમદાવાદમાં ઓવરસ્પીડ BMW કારે લીધા બે લોકોને અડફેટમાં


  • Published By :
  • Published Date : 2023-03-02 12:18:06

અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. પ્રતિદિન અકસ્માતને કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે બુધવાર રાત્રે અમદાવાદમાં એક અકસ્માત સર્જાયો જેમાં એક પૂર ઝડપથી આવતી ગાડીએ રસ્તા પર ચાલતા 2 લોકોને અડફેટે લીધા હતા. આ ઘટના ઝાયડસ હોસ્પિચલ રોડ પર બની હતી. બીએમડબલ્યુ કારે બે લોકોને ટક્કર મારી હતી જેને કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે કાર ચાલક નશાની હાલતમાં હતો. મળતી માહિતી અનુસાર ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે.



ગાડીએ બે લોકોને લીધા અડફેટમાં 

રોડ અકસ્માતો પ્રતિદિન વધી રહ્યા છે. અકસ્માતને કારણે અનેક નિર્દોષ લોકો કોઈ બીજાની ભૂલને કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ઓવર સ્પીડને કારણે મુખ્યત્વે અકસ્માત સર્જાતો હોય છે. ત્યારે અમદાવાદમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં ફૂલ સ્પીડથી આવતી બીએમડબલ્યુ કારે રસ્તા પરથી પસાર થઈ રહેલા બે લોકોને અડફેટે લઈ લીધા હતા. 


નશાની હાલતમાં કાર ચાલક હોવાનું સ્થાનિકોનું કહેવું  

આ ઘટના ઝાયડસ હોસ્પિટલ રોડ પર બની હતી. ત્યાં ઉપસ્થિત લોકોનું કહેવું છે કાર ચાલક નશાની હાલતમાં હતો. નશાની હાલતમાં કાર ચાલકે ત્રણથી ચાર લોકોને અડફેટે લઈ લીધા હતા. ઉપરાંત મળતી માહિતી અનુસાર ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી.અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માત સર્જી કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જે ગાડીથી અકસ્માત સર્જાયો હતો તે ગાડી દોઢ કિલોમીટર દૂરથી મળી આવી છે.         



રાજ્યમાં અનેક જગ્યાઓ પર બની અકસ્માતની ઘટના 

અમદાવાદ સિવાય બીજા અનેક જગ્યાઓ પર અકસ્માત સર્જાયો છે. રાજકોટમાં રોડક્રોસ કરતી વખતે ધોરણ ચારમાં ભણતો વિદ્યાર્થી કાર ચાલકની અડફેટે આવી ગયો હતો. ઉપરાંત વલસાડ નજીક અમદાવાદ-મુબંઈ નેશનલ હાઈને પર દુર્ઘટના સર્જાઈ છે જેમાં અજાણય્યા વાહનચાલકની અડફેટે આવતા બાઈક ચાલકનું મોત થયું છે. તે સિવાય નવસારીમાં પણ અકસ્માત સર્જાયો છે જેમાં  પીકઅપ વાન અને કાર વચ્ચે ટક્કર થઈ હતી અને પીકઅપ વાન ચાલકનું ઘટના સ્થળ પર મોત થયું હતું. અમદાવાદ-રાજકોટ હાઈવે પર પણ અકસ્માતની ગોઝારી ઘટના બની છે જેમાં બે વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. વાહનો ભટકાતા વાહનોમાં આગ લાગી હતી  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.