રાજ્યમાં અનેક જગ્યાઓ પર સર્જાયો અકસ્માત, અમદાવાદમાં ઓવરસ્પીડ BMW કારે લીધા બે લોકોને અડફેટમાં


  • Published By :
  • Published Date : 2023-03-02 12:18:06

અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. પ્રતિદિન અકસ્માતને કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે બુધવાર રાત્રે અમદાવાદમાં એક અકસ્માત સર્જાયો જેમાં એક પૂર ઝડપથી આવતી ગાડીએ રસ્તા પર ચાલતા 2 લોકોને અડફેટે લીધા હતા. આ ઘટના ઝાયડસ હોસ્પિચલ રોડ પર બની હતી. બીએમડબલ્યુ કારે બે લોકોને ટક્કર મારી હતી જેને કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે કાર ચાલક નશાની હાલતમાં હતો. મળતી માહિતી અનુસાર ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે.



ગાડીએ બે લોકોને લીધા અડફેટમાં 

રોડ અકસ્માતો પ્રતિદિન વધી રહ્યા છે. અકસ્માતને કારણે અનેક નિર્દોષ લોકો કોઈ બીજાની ભૂલને કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ઓવર સ્પીડને કારણે મુખ્યત્વે અકસ્માત સર્જાતો હોય છે. ત્યારે અમદાવાદમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં ફૂલ સ્પીડથી આવતી બીએમડબલ્યુ કારે રસ્તા પરથી પસાર થઈ રહેલા બે લોકોને અડફેટે લઈ લીધા હતા. 


નશાની હાલતમાં કાર ચાલક હોવાનું સ્થાનિકોનું કહેવું  

આ ઘટના ઝાયડસ હોસ્પિટલ રોડ પર બની હતી. ત્યાં ઉપસ્થિત લોકોનું કહેવું છે કાર ચાલક નશાની હાલતમાં હતો. નશાની હાલતમાં કાર ચાલકે ત્રણથી ચાર લોકોને અડફેટે લઈ લીધા હતા. ઉપરાંત મળતી માહિતી અનુસાર ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી.અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માત સર્જી કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જે ગાડીથી અકસ્માત સર્જાયો હતો તે ગાડી દોઢ કિલોમીટર દૂરથી મળી આવી છે.         



રાજ્યમાં અનેક જગ્યાઓ પર બની અકસ્માતની ઘટના 

અમદાવાદ સિવાય બીજા અનેક જગ્યાઓ પર અકસ્માત સર્જાયો છે. રાજકોટમાં રોડક્રોસ કરતી વખતે ધોરણ ચારમાં ભણતો વિદ્યાર્થી કાર ચાલકની અડફેટે આવી ગયો હતો. ઉપરાંત વલસાડ નજીક અમદાવાદ-મુબંઈ નેશનલ હાઈને પર દુર્ઘટના સર્જાઈ છે જેમાં અજાણય્યા વાહનચાલકની અડફેટે આવતા બાઈક ચાલકનું મોત થયું છે. તે સિવાય નવસારીમાં પણ અકસ્માત સર્જાયો છે જેમાં  પીકઅપ વાન અને કાર વચ્ચે ટક્કર થઈ હતી અને પીકઅપ વાન ચાલકનું ઘટના સ્થળ પર મોત થયું હતું. અમદાવાદ-રાજકોટ હાઈવે પર પણ અકસ્માતની ગોઝારી ઘટના બની છે જેમાં બે વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. વાહનો ભટકાતા વાહનોમાં આગ લાગી હતી  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.