રાજ્યમાં અનેક જગ્યાઓ પર સર્જાયો અકસ્માત, અમદાવાદમાં ઓવરસ્પીડ BMW કારે લીધા બે લોકોને અડફેટમાં


  • Published By :
  • Published Date : 2023-03-02 12:18:06

અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. પ્રતિદિન અકસ્માતને કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે બુધવાર રાત્રે અમદાવાદમાં એક અકસ્માત સર્જાયો જેમાં એક પૂર ઝડપથી આવતી ગાડીએ રસ્તા પર ચાલતા 2 લોકોને અડફેટે લીધા હતા. આ ઘટના ઝાયડસ હોસ્પિચલ રોડ પર બની હતી. બીએમડબલ્યુ કારે બે લોકોને ટક્કર મારી હતી જેને કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે કાર ચાલક નશાની હાલતમાં હતો. મળતી માહિતી અનુસાર ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે.



ગાડીએ બે લોકોને લીધા અડફેટમાં 

રોડ અકસ્માતો પ્રતિદિન વધી રહ્યા છે. અકસ્માતને કારણે અનેક નિર્દોષ લોકો કોઈ બીજાની ભૂલને કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ઓવર સ્પીડને કારણે મુખ્યત્વે અકસ્માત સર્જાતો હોય છે. ત્યારે અમદાવાદમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં ફૂલ સ્પીડથી આવતી બીએમડબલ્યુ કારે રસ્તા પરથી પસાર થઈ રહેલા બે લોકોને અડફેટે લઈ લીધા હતા. 


નશાની હાલતમાં કાર ચાલક હોવાનું સ્થાનિકોનું કહેવું  

આ ઘટના ઝાયડસ હોસ્પિટલ રોડ પર બની હતી. ત્યાં ઉપસ્થિત લોકોનું કહેવું છે કાર ચાલક નશાની હાલતમાં હતો. નશાની હાલતમાં કાર ચાલકે ત્રણથી ચાર લોકોને અડફેટે લઈ લીધા હતા. ઉપરાંત મળતી માહિતી અનુસાર ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી.અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માત સર્જી કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જે ગાડીથી અકસ્માત સર્જાયો હતો તે ગાડી દોઢ કિલોમીટર દૂરથી મળી આવી છે.         



રાજ્યમાં અનેક જગ્યાઓ પર બની અકસ્માતની ઘટના 

અમદાવાદ સિવાય બીજા અનેક જગ્યાઓ પર અકસ્માત સર્જાયો છે. રાજકોટમાં રોડક્રોસ કરતી વખતે ધોરણ ચારમાં ભણતો વિદ્યાર્થી કાર ચાલકની અડફેટે આવી ગયો હતો. ઉપરાંત વલસાડ નજીક અમદાવાદ-મુબંઈ નેશનલ હાઈને પર દુર્ઘટના સર્જાઈ છે જેમાં અજાણય્યા વાહનચાલકની અડફેટે આવતા બાઈક ચાલકનું મોત થયું છે. તે સિવાય નવસારીમાં પણ અકસ્માત સર્જાયો છે જેમાં  પીકઅપ વાન અને કાર વચ્ચે ટક્કર થઈ હતી અને પીકઅપ વાન ચાલકનું ઘટના સ્થળ પર મોત થયું હતું. અમદાવાદ-રાજકોટ હાઈવે પર પણ અકસ્માતની ગોઝારી ઘટના બની છે જેમાં બે વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. વાહનો ભટકાતા વાહનોમાં આગ લાગી હતી  




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.