NCRBના રિપોર્ટમાં મોટો ખુલાસો, ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 82,155 અકસ્માતો, 36,000 લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-07-26 17:54:02

અમદાવાદના ઈસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત થતા આખા રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. જો કે રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થયો છે, તાજેતરમાં જાહેર થયેલા  NCRBના આંકડા જોતા આ સત્ય બહાર આવ્યું છે. NCRBના આંકડા અનુસાર, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 82,155 અકસ્માતો થયા છે, જેના પરિણામે 36,000 લોકોના મોત થયા છે. આ દરમિયાન, 2021 માં 15,200 માર્ગ ટ્રાફિક અકસ્માતોમાં 7457 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જે દસ વર્ષમાં સૌથી વધુ મૃત્યુ એટલે કે 49% જેટલો છે.


સુરતમાં સૌથી વધુ મોત


NCRBના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધુ અકસ્માત નેશનલ હાઈ વે પર થયા છે. તેમાં પણ સૌથી વધુ અકસ્માત સુરત શહેરમાં થયા છે. મૃત્યુઆંકના આંકડા મુજબ સુરતમાં રોડ ટ્રાફિક અકસ્માતોમાં સૌથી વધુ 40.5% મૃત્યુદર જોવા મળ્યો હતો. ત્યાર બાદ રાજકોટ (37%), વડોદરા (31%) અને અમદાવાદ (28%)નો નંબર આવે છે. સુરતમાં મૃત્યુદર પાછલા પાંચ વર્ષમાં સૌથી વધુ હતો.


NCRBના આંકડા શું કહે છે?


કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે "રોડ એક્સિડન્ટ ઈન ઈન્ડિયા 2021" ના રિપોર્ટમાં જણાવેલા આંકડા  દર્શાવે છે કે, ગુજરાતમાં, 2018માં નેશનલ હાઈ વે પર 3,997 અકસ્માતો નોંધાયા હતા, જેના પરિણામે 2,171 મૃત્યુ થયા હતા; 2019માં 3,511 અકસ્માતો નોંધાયા હતા; 1,898 જાનહાનિ થઈ; 2020માં 3,234 અકસ્માતો થયા; 1,797 જાનહાનિ થઈ; અને 2021 માં 3,406 અકસ્માતો નોંધાયા હતા અને 2,077 મૃત્યુ થયા હતા. NCRBના ડેટા મુજબ ગુજરાતમાં વર્ષ 2021માં થયેલા અકસ્માતમાં 18 વર્ષથી નીચેની વયના વર્ગમાં 328 બાળકો અને 85 છોકરીઓના મોત થયા હતા. જ્યારે 18થી 25 વર્ષની વયના 1334  પુરૂષો અને 159 મહિલાઓએ તેમનો જીવ ગુમાવ્યો હતો. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.