NCRBના રિપોર્ટમાં મોટો ખુલાસો, ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 82,155 અકસ્માતો, 36,000 લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-07-26 17:54:02

અમદાવાદના ઈસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત થતા આખા રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. જો કે રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થયો છે, તાજેતરમાં જાહેર થયેલા  NCRBના આંકડા જોતા આ સત્ય બહાર આવ્યું છે. NCRBના આંકડા અનુસાર, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 82,155 અકસ્માતો થયા છે, જેના પરિણામે 36,000 લોકોના મોત થયા છે. આ દરમિયાન, 2021 માં 15,200 માર્ગ ટ્રાફિક અકસ્માતોમાં 7457 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જે દસ વર્ષમાં સૌથી વધુ મૃત્યુ એટલે કે 49% જેટલો છે.


સુરતમાં સૌથી વધુ મોત


NCRBના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધુ અકસ્માત નેશનલ હાઈ વે પર થયા છે. તેમાં પણ સૌથી વધુ અકસ્માત સુરત શહેરમાં થયા છે. મૃત્યુઆંકના આંકડા મુજબ સુરતમાં રોડ ટ્રાફિક અકસ્માતોમાં સૌથી વધુ 40.5% મૃત્યુદર જોવા મળ્યો હતો. ત્યાર બાદ રાજકોટ (37%), વડોદરા (31%) અને અમદાવાદ (28%)નો નંબર આવે છે. સુરતમાં મૃત્યુદર પાછલા પાંચ વર્ષમાં સૌથી વધુ હતો.


NCRBના આંકડા શું કહે છે?


કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે "રોડ એક્સિડન્ટ ઈન ઈન્ડિયા 2021" ના રિપોર્ટમાં જણાવેલા આંકડા  દર્શાવે છે કે, ગુજરાતમાં, 2018માં નેશનલ હાઈ વે પર 3,997 અકસ્માતો નોંધાયા હતા, જેના પરિણામે 2,171 મૃત્યુ થયા હતા; 2019માં 3,511 અકસ્માતો નોંધાયા હતા; 1,898 જાનહાનિ થઈ; 2020માં 3,234 અકસ્માતો થયા; 1,797 જાનહાનિ થઈ; અને 2021 માં 3,406 અકસ્માતો નોંધાયા હતા અને 2,077 મૃત્યુ થયા હતા. NCRBના ડેટા મુજબ ગુજરાતમાં વર્ષ 2021માં થયેલા અકસ્માતમાં 18 વર્ષથી નીચેની વયના વર્ગમાં 328 બાળકો અને 85 છોકરીઓના મોત થયા હતા. જ્યારે 18થી 25 વર્ષની વયના 1334  પુરૂષો અને 159 મહિલાઓએ તેમનો જીવ ગુમાવ્યો હતો. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.