NCRBના રિપોર્ટમાં મોટો ખુલાસો, ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 82,155 અકસ્માતો, 36,000 લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-07-26 17:54:02

અમદાવાદના ઈસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત થતા આખા રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. જો કે રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થયો છે, તાજેતરમાં જાહેર થયેલા  NCRBના આંકડા જોતા આ સત્ય બહાર આવ્યું છે. NCRBના આંકડા અનુસાર, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 82,155 અકસ્માતો થયા છે, જેના પરિણામે 36,000 લોકોના મોત થયા છે. આ દરમિયાન, 2021 માં 15,200 માર્ગ ટ્રાફિક અકસ્માતોમાં 7457 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જે દસ વર્ષમાં સૌથી વધુ મૃત્યુ એટલે કે 49% જેટલો છે.


સુરતમાં સૌથી વધુ મોત


NCRBના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધુ અકસ્માત નેશનલ હાઈ વે પર થયા છે. તેમાં પણ સૌથી વધુ અકસ્માત સુરત શહેરમાં થયા છે. મૃત્યુઆંકના આંકડા મુજબ સુરતમાં રોડ ટ્રાફિક અકસ્માતોમાં સૌથી વધુ 40.5% મૃત્યુદર જોવા મળ્યો હતો. ત્યાર બાદ રાજકોટ (37%), વડોદરા (31%) અને અમદાવાદ (28%)નો નંબર આવે છે. સુરતમાં મૃત્યુદર પાછલા પાંચ વર્ષમાં સૌથી વધુ હતો.


NCRBના આંકડા શું કહે છે?


કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે "રોડ એક્સિડન્ટ ઈન ઈન્ડિયા 2021" ના રિપોર્ટમાં જણાવેલા આંકડા  દર્શાવે છે કે, ગુજરાતમાં, 2018માં નેશનલ હાઈ વે પર 3,997 અકસ્માતો નોંધાયા હતા, જેના પરિણામે 2,171 મૃત્યુ થયા હતા; 2019માં 3,511 અકસ્માતો નોંધાયા હતા; 1,898 જાનહાનિ થઈ; 2020માં 3,234 અકસ્માતો થયા; 1,797 જાનહાનિ થઈ; અને 2021 માં 3,406 અકસ્માતો નોંધાયા હતા અને 2,077 મૃત્યુ થયા હતા. NCRBના ડેટા મુજબ ગુજરાતમાં વર્ષ 2021માં થયેલા અકસ્માતમાં 18 વર્ષથી નીચેની વયના વર્ગમાં 328 બાળકો અને 85 છોકરીઓના મોત થયા હતા. જ્યારે 18થી 25 વર્ષની વયના 1334  પુરૂષો અને 159 મહિલાઓએ તેમનો જીવ ગુમાવ્યો હતો. 



હાલના સમયમાં યુદ્ધ ક્ષેત્રે ડ્રોનનું મહત્વ વધી ગયું છે. યુદ્ધ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગની શરૂઆત અમેરિકા દ્વારા કરવામાં આવી . અમેરિકાએ તેનો ઉપયોગ ઇરાક અને અફઘાનિસ્તાનમાં વ્યાપક રીતે કર્યો હતો . પરંતુ હવે આપણે ઓપરેશન સિંદૂર પછી જોયું કે પાકિસ્તાને આપણી પર ડ્રોનથી ઘણા હુમલા કર્યા છે . તો આજે આપણે સમજીશું ડ્રોનનું મહત્વ છે શું અને ભારત પાસે ક્યા ક્યા ડ્રોન્સ છે.

IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.