અઠવાડિયાના 7 દિવસ પ્રમાણે કયા દિવસે કયા દેવી દેવતાની કેવી કરવી જોઈએ પૂજા? કઈ વસ્તુ અર્પણ કરવાથી મળે છે ભગવાનના આશીર્વાદ?


  • Published By :
  • Published Date : 2023-04-22 16:35:55

અઠવાડિયાના સાત દિવસો દરમિયાન અલગ અલગ દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે. સાતેય દિવસ અલગ અલગ દેવતાઓને સમર્પિત હોય છે. એવું માનવામાં આવે છે કે દિવસ પ્રમાણે ભગવાનની પૂજા કરવાથી ભગવાન જલદી પ્રસન્ન થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રવિવારનો દિવસ સૂર્યનારાયણ ભગવાન તેમજ માતાજીને સમર્પિત હોય છે. સોમવાર મહાદેવજી તેમજ ચંદ્રદેવને સમર્પિત હોય છે. મંગળવાર હનુમાન દાદાની,  બુધવારે ગણપતિની, ગુરૂવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું મહત્વ હોય છે. માતા લક્ષ્મીની આરાધના શુક્રવારના દિવસે કરવામાં આવે છે જ્યારે શનિવારે શનિદેવની પૂજા કરવામાં આવે છે. ત્યારે આજે જાણીશું કે કયા દેવી-દેવતાની પૂજા કરવાથી શું ફાયદો થાય છે?  

સૂર્યનારાયણની અસીમ કૃપા વરસશે આ રવિવારે, આજે જ જાણો આ ઉપાય... - News Gujarat

ઐતિહાસિક શિવાલય : 'શેમનાથ' અપભ્રંશ થતાં ખીમનાથ મહાદેવજી તરીકે પ્રચલિત થયું  | Historical Shivalaya: 'Shemnath' became popular as Khimnath Mahadevji  after corruption

શાસ્ત્રો અનુસાર સૂર્યનારાયણને પ્રત્યક્ષ દેવ માનવામાં આવે છે. નિયમીત સૂર્યનારાયણ દેવની પૂજા કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. સૂર્યને અર્ધ્ય આપવાથી તેમની કૃપા મેળવી શકાય છે. સૂર્યદેવની પૂજા કરવાથી વ્યક્તિમાં હિંમત અને ઉર્જાનો સંચાર થાય છે. તાંબાના કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં ફૂલ અને અક્ષત અર્પણ કરવા જોઈએ. સોમવારના દિવસ ભગવાન શંકરની પૂજા કરવામાં આવે છે. ભોલેનાથ સિવાય ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે. ચંદ્રદેવની પૂજા કરવાથી મન શાંત થાય છે.  

Astrology News hanuman ji puja vidhi - મંગળવારે ક્યારેય ઉધાર લેવું નહીં અને  દેવું નહીં – News18 Gujarati

   ગણેશ ચોથ વ્રત વિધિ: મહત્વ અને વ્રત કથા | ganesh chaturthi vrat vidhi -  Divya Bhaskar

બજરંગબલી એટલે કે હનુમાન દાદાની પૂજા મંગળવારે કરવામાં આવે છે. મંગળવારે હનુમાન દાદાની પૂજા કરવાથી કષ્ટ દૂર થાય છે. એવી માન્યતા છે કે મંગળવારના દિવસે હનુમાન દાદાનો જન્મ થયો હતો. ઘણા લોકો એવું માને છે કે મંગળવાર ગણપતિ દાદાને સમર્પિત હોય છે પરંતુ ગણપતિ દાદાને સમર્પિત મંગળવાર નહીં પરંતુ બુધવાર છે. બુધવારે ગણપતિ દાદાની પૂજા કરવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. બુધવારના દિવસે ભગવાનને દુર્વા અર્પણ કરવી જોઈએ.   

જાણો, ભગવાન વિષ્ણુને શ્રીહરિ કેમ કહેવામાં આવે છે? | know why lord vishnu is  called shrihari take these measures to make happy to narayan

ગૂરુવાર દેવતાઓના ગુરૂને સમર્પિત હોય છે. તે ઉપરાંત ગુરૂવારનો દિવસ ભગવાન નારાયણને પણ સમર્પિત હોય છે. ગુરૂવારે પીળા રંગનું વિશેષ મહત્વ રહેલું હોય છે. દેવગૂરૂ બૃહસ્પતિને પ્રસન્ન કરવા ગુરૂવારે પીળી વસ્તુનું દાન કરવું જોઈએ ઉપરાંત શિવલિંગ પર ચણાની દાળ પણ અર્પણ કરવામાં આવે છે.

Morning Tips: Do Not Do This Work Even After Waking Up In The Morning,  Lakshmi Ji Will Get Angry, You Will Not Get Success | Morning Tips: સવારે  ઉઠ્યા પછી ભૂલથી પણ


જો તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો દેવી લક્ષ્મીની પૂજા શુક્રવારે કરવી જોઈએ. શુક્રવારનો દિવસ દેવી લક્ષ્મીને સમર્પિત હોય છે. શુક્રવારના દિવસે કનકધારાસ્તોત્રનો પાઠ કરવો જોઈએ અથવા તો શ્રી-સૂક્તનો પાઠ કરવો જોઈએ. કમળનું ફૂલ માતા લક્ષ્મીને પ્રિય હોય છે તેથી શુક્રવારે માતા લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરી માતાજીની કૃપા મેળવી શકાય છે. શનિવારના દિવસે શનિ દેવની પૂજા કરવામાં આવે છે. તે ઉપરાંત હનુમાનની પૂજા પણ અનેક લોકો કરતા હોય છે. જો કુંડળીમાં શનિ દોષ હોય તો શનિવારે શનિદેવની પૂજા કરવી જોઈએ. શનિવારે શનિદેવને અથવા તો હનુમાન દાદાને તેલ ચઢાવવું જોઈએ અને જો શક્ય હોય તો હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ.

700 વર્ષ બાદ આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, ચેક કરી લો તમારી રાશિ |  shani dev effects on these zodiac signs on 2021


આમ અઠવાડિયાના દિવસો અલગ અલગ ભગવાનને સમર્પિત હોય છે. ભક્તિ કરતી વખતે સૌથી મહત્વનો હોય છે ભાવ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તમે ભાવ સાથે ભક્તિ કરશો તો ભગવાન અવશ્ય પ્રસન્ન થાય છે. 



(નોંધ - અહીં આપેલી માહિતી માન્યતાઓ પર આધારીત છે)            



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.