વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં 15 ઓક્ટોબર સુધી રહી શકે છે વરસાદી માહોલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 11:09:40

ગુજરાતમાં ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં મેઘરાજા પધરામણી કરી છે. હવામાન વિભાગે હજી થોડા દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરી છે. ક્યાંક ભારે તો ક્યાંક ઝરમર વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘો વરસી શકે છે. કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Mercury crashes 10 degrees after day-long rain in Delhi, hampers traffic |  Latest News Delhi - Hindustan Times

અનેક પંથકોમાં વરસ્યો વરસાદ

જુનાગઢ શહેરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. રવિવારના દિવસે માત્ર એક કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. પોરબંદરમાં પણ વરસાદ વરસ્યો હતો જેથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વીરપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ભરૂચમાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો હતો. વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. 

Gujarat In for Fresh Spells of Heavy Rains; Ahmedabad, Gandhinagar, Surat,  Vadodara, Rajkot on Alert Between August 5-9 | The Weather Channel

કમોસમી વરસાદ થતા ખેડૂતોની મહેનત જશે પાણીમાં 

વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. 15 ઓક્ટોબર સુધી વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરાતા ખેડૂતોની ચિંતામાં વધારો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકશાન થઈ શકે છે. મગફળી, સોયાબીન, કપાસના પાકને નુકશાન થવાની ભીંતી ખેડૂતો સેવી રહ્યા છે. મહિસાગરમાં પણ સતત વરસાદ થવાને કારણે પાણી ભરાઈ ગયા હતા. અમરેલીના સાવરકુંડલામાં વરસાદ થતા પાકને નુકશાન થયું હતું.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે