વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં 15 ઓક્ટોબર સુધી રહી શકે છે વરસાદી માહોલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 11:09:40

ગુજરાતમાં ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં મેઘરાજા પધરામણી કરી છે. હવામાન વિભાગે હજી થોડા દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરી છે. ક્યાંક ભારે તો ક્યાંક ઝરમર વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘો વરસી શકે છે. કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Mercury crashes 10 degrees after day-long rain in Delhi, hampers traffic |  Latest News Delhi - Hindustan Times

અનેક પંથકોમાં વરસ્યો વરસાદ

જુનાગઢ શહેરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. રવિવારના દિવસે માત્ર એક કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. પોરબંદરમાં પણ વરસાદ વરસ્યો હતો જેથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વીરપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ભરૂચમાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો હતો. વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. 

Gujarat In for Fresh Spells of Heavy Rains; Ahmedabad, Gandhinagar, Surat,  Vadodara, Rajkot on Alert Between August 5-9 | The Weather Channel

કમોસમી વરસાદ થતા ખેડૂતોની મહેનત જશે પાણીમાં 

વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. 15 ઓક્ટોબર સુધી વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરાતા ખેડૂતોની ચિંતામાં વધારો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકશાન થઈ શકે છે. મગફળી, સોયાબીન, કપાસના પાકને નુકશાન થવાની ભીંતી ખેડૂતો સેવી રહ્યા છે. મહિસાગરમાં પણ સતત વરસાદ થવાને કારણે પાણી ભરાઈ ગયા હતા. અમરેલીના સાવરકુંડલામાં વરસાદ થતા પાકને નુકશાન થયું હતું.   



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"