વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં 15 ઓક્ટોબર સુધી રહી શકે છે વરસાદી માહોલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 11:09:40

ગુજરાતમાં ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં મેઘરાજા પધરામણી કરી છે. હવામાન વિભાગે હજી થોડા દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરી છે. ક્યાંક ભારે તો ક્યાંક ઝરમર વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘો વરસી શકે છે. કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Mercury crashes 10 degrees after day-long rain in Delhi, hampers traffic |  Latest News Delhi - Hindustan Times

અનેક પંથકોમાં વરસ્યો વરસાદ

જુનાગઢ શહેરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. રવિવારના દિવસે માત્ર એક કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. પોરબંદરમાં પણ વરસાદ વરસ્યો હતો જેથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વીરપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ભરૂચમાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો હતો. વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. 

Gujarat In for Fresh Spells of Heavy Rains; Ahmedabad, Gandhinagar, Surat,  Vadodara, Rajkot on Alert Between August 5-9 | The Weather Channel

કમોસમી વરસાદ થતા ખેડૂતોની મહેનત જશે પાણીમાં 

વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. 15 ઓક્ટોબર સુધી વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરાતા ખેડૂતોની ચિંતામાં વધારો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકશાન થઈ શકે છે. મગફળી, સોયાબીન, કપાસના પાકને નુકશાન થવાની ભીંતી ખેડૂતો સેવી રહ્યા છે. મહિસાગરમાં પણ સતત વરસાદ થવાને કારણે પાણી ભરાઈ ગયા હતા. અમરેલીના સાવરકુંડલામાં વરસાદ થતા પાકને નુકશાન થયું હતું.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.