આસારામની આરતી ઉતારાતો વીડિયો સામે આવતા દોષિત શિક્ષકો વિરુદ્ધ કરાઈ કાર્યવાહી, મહીસાગરથી કચ્છ કરાઈ બદલી


  • Published By :
  • Published Date : 2023-02-23 15:18:40

14 ફેબ્રુઆરીના રોજ અનેક શાળાઓમાં માતૃ પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં આસારામની પૂજા અને આરતી કરવામાં આવી રહી હતી. મહીસાગરના લૂણાવાડાની શાળાનોએ વીડિયો હતો. માતૃ પિતૃ ઉજવણી દરમિયાન શાળામાં બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામની પૂજા કરવામાં આવી રહી હતી. મામલો વકરતા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહીના ભાગ રૂપે શિક્ષકોની બદલી કરી દેવામાં આવી છે. શિક્ષકોની બદલી મહીસાગરથી કચ્છના છેવાડે કરી દેવામાં આવી છે. 


આસારામની આરતી ઉતારાતો વીડિયો થયો હતો વાયરલ 

એક તરફ લોકો 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ અનેક શાળામાં તે દિવસે માતૃ પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અનેક શાળાઓમાં બાળકો દ્વારા માતા પિતાની પૂજા કરવામાં આવી હતી. ત્યારે મહિસાગરથી ઉજવણીનો એક વીડિયો સામે આવ્યો હતો જેને કારણે વિવાદ સર્જાયો હતો. મહિસાગરની એક શાળામાં બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામની પૂજા કરવામાં આવી હતી. આસારામની આરતી ઉતારાતી હોય તેવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ખુરશી પર આસારામનો ફોટો હતો. તેમની પૂજા કરવામાં આવી હતી તે બાદ આરતી પણ ઉતારવામાં આવી હતી. તે ઉપરાંત બેનરમાં પણ આસારામનો ફોટો મૂકવામાં આવ્યો હતો.   

Controversy over worship of Asaram in yet another school in Mahisagar Mahisagar: મહીસાગરની વધુ એક શાળામાં બળાત્કારના આરોપી આસારામની પૂજા કરવામાં આવતા વિવાદ

શિક્ષકોની મહીસાગરથી કચ્છમાં કરાઈ બદલી  

વિવાદ વધતા તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ અને જામા પગીના મુવાડીની પ્રાથમીક શાળાના આચાર્ય-શિક્ષકોને તપાસમાં દોષિત ઠેરાવ્યા હતા. દોષિત તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ બિપિન પટેલ તેમજ જામા પગીના મુવાડા પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકોને આ મામલામાં કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. આ અંગે તાલુકા શિક્ષણ અધિકારીએ ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીને રિપોર્ટ સોંપ્યો હતો. આ મામલે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. જામાપગીના મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદિપકુમાર પટેલ, મધુબેન પગી, ગીતાબેન પટેલ, અંકિત પંડ્યા અને બિપીન પટેલની બદલી કચ્છ જિલ્લામાં કરવામાં આવી છે. સાથે જ બાકી રહેલા શિક્ષકો સામે પણ પગલા લેવા જણાવામાં આવ્યું છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.