આસારામની આરતી ઉતારાતો વીડિયો સામે આવતા દોષિત શિક્ષકો વિરુદ્ધ કરાઈ કાર્યવાહી, મહીસાગરથી કચ્છ કરાઈ બદલી


  • Published By :
  • Published Date : 2023-02-23 15:18:40

14 ફેબ્રુઆરીના રોજ અનેક શાળાઓમાં માતૃ પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં આસારામની પૂજા અને આરતી કરવામાં આવી રહી હતી. મહીસાગરના લૂણાવાડાની શાળાનોએ વીડિયો હતો. માતૃ પિતૃ ઉજવણી દરમિયાન શાળામાં બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામની પૂજા કરવામાં આવી રહી હતી. મામલો વકરતા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહીના ભાગ રૂપે શિક્ષકોની બદલી કરી દેવામાં આવી છે. શિક્ષકોની બદલી મહીસાગરથી કચ્છના છેવાડે કરી દેવામાં આવી છે. 


આસારામની આરતી ઉતારાતો વીડિયો થયો હતો વાયરલ 

એક તરફ લોકો 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ અનેક શાળામાં તે દિવસે માતૃ પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અનેક શાળાઓમાં બાળકો દ્વારા માતા પિતાની પૂજા કરવામાં આવી હતી. ત્યારે મહિસાગરથી ઉજવણીનો એક વીડિયો સામે આવ્યો હતો જેને કારણે વિવાદ સર્જાયો હતો. મહિસાગરની એક શાળામાં બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામની પૂજા કરવામાં આવી હતી. આસારામની આરતી ઉતારાતી હોય તેવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ખુરશી પર આસારામનો ફોટો હતો. તેમની પૂજા કરવામાં આવી હતી તે બાદ આરતી પણ ઉતારવામાં આવી હતી. તે ઉપરાંત બેનરમાં પણ આસારામનો ફોટો મૂકવામાં આવ્યો હતો.   

Controversy over worship of Asaram in yet another school in Mahisagar Mahisagar: મહીસાગરની વધુ એક શાળામાં બળાત્કારના આરોપી આસારામની પૂજા કરવામાં આવતા વિવાદ

શિક્ષકોની મહીસાગરથી કચ્છમાં કરાઈ બદલી  

વિવાદ વધતા તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ અને જામા પગીના મુવાડીની પ્રાથમીક શાળાના આચાર્ય-શિક્ષકોને તપાસમાં દોષિત ઠેરાવ્યા હતા. દોષિત તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ બિપિન પટેલ તેમજ જામા પગીના મુવાડા પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકોને આ મામલામાં કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. આ અંગે તાલુકા શિક્ષણ અધિકારીએ ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીને રિપોર્ટ સોંપ્યો હતો. આ મામલે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. જામાપગીના મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદિપકુમાર પટેલ, મધુબેન પગી, ગીતાબેન પટેલ, અંકિત પંડ્યા અને બિપીન પટેલની બદલી કચ્છ જિલ્લામાં કરવામાં આવી છે. સાથે જ બાકી રહેલા શિક્ષકો સામે પણ પગલા લેવા જણાવામાં આવ્યું છે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.