આસારામની આરતી ઉતારાતો વીડિયો સામે આવતા દોષિત શિક્ષકો વિરુદ્ધ કરાઈ કાર્યવાહી, મહીસાગરથી કચ્છ કરાઈ બદલી


  • Published By :
  • Published Date : 2023-02-23 15:18:40

14 ફેબ્રુઆરીના રોજ અનેક શાળાઓમાં માતૃ પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં આસારામની પૂજા અને આરતી કરવામાં આવી રહી હતી. મહીસાગરના લૂણાવાડાની શાળાનોએ વીડિયો હતો. માતૃ પિતૃ ઉજવણી દરમિયાન શાળામાં બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામની પૂજા કરવામાં આવી રહી હતી. મામલો વકરતા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહીના ભાગ રૂપે શિક્ષકોની બદલી કરી દેવામાં આવી છે. શિક્ષકોની બદલી મહીસાગરથી કચ્છના છેવાડે કરી દેવામાં આવી છે. 


આસારામની આરતી ઉતારાતો વીડિયો થયો હતો વાયરલ 

એક તરફ લોકો 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ અનેક શાળામાં તે દિવસે માતૃ પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અનેક શાળાઓમાં બાળકો દ્વારા માતા પિતાની પૂજા કરવામાં આવી હતી. ત્યારે મહિસાગરથી ઉજવણીનો એક વીડિયો સામે આવ્યો હતો જેને કારણે વિવાદ સર્જાયો હતો. મહિસાગરની એક શાળામાં બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામની પૂજા કરવામાં આવી હતી. આસારામની આરતી ઉતારાતી હોય તેવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ખુરશી પર આસારામનો ફોટો હતો. તેમની પૂજા કરવામાં આવી હતી તે બાદ આરતી પણ ઉતારવામાં આવી હતી. તે ઉપરાંત બેનરમાં પણ આસારામનો ફોટો મૂકવામાં આવ્યો હતો.   

Controversy over worship of Asaram in yet another school in Mahisagar Mahisagar: મહીસાગરની વધુ એક શાળામાં બળાત્કારના આરોપી આસારામની પૂજા કરવામાં આવતા વિવાદ

શિક્ષકોની મહીસાગરથી કચ્છમાં કરાઈ બદલી  

વિવાદ વધતા તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ અને જામા પગીના મુવાડીની પ્રાથમીક શાળાના આચાર્ય-શિક્ષકોને તપાસમાં દોષિત ઠેરાવ્યા હતા. દોષિત તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ બિપિન પટેલ તેમજ જામા પગીના મુવાડા પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકોને આ મામલામાં કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. આ અંગે તાલુકા શિક્ષણ અધિકારીએ ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીને રિપોર્ટ સોંપ્યો હતો. આ મામલે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. જામાપગીના મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદિપકુમાર પટેલ, મધુબેન પગી, ગીતાબેન પટેલ, અંકિત પંડ્યા અને બિપીન પટેલની બદલી કચ્છ જિલ્લામાં કરવામાં આવી છે. સાથે જ બાકી રહેલા શિક્ષકો સામે પણ પગલા લેવા જણાવામાં આવ્યું છે.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.