આસારામની આરતી ઉતારાતો વીડિયો સામે આવતા દોષિત શિક્ષકો વિરુદ્ધ કરાઈ કાર્યવાહી, મહીસાગરથી કચ્છ કરાઈ બદલી


  • Published By :
  • Published Date : 2023-02-23 15:18:40

14 ફેબ્રુઆરીના રોજ અનેક શાળાઓમાં માતૃ પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં આસારામની પૂજા અને આરતી કરવામાં આવી રહી હતી. મહીસાગરના લૂણાવાડાની શાળાનોએ વીડિયો હતો. માતૃ પિતૃ ઉજવણી દરમિયાન શાળામાં બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામની પૂજા કરવામાં આવી રહી હતી. મામલો વકરતા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહીના ભાગ રૂપે શિક્ષકોની બદલી કરી દેવામાં આવી છે. શિક્ષકોની બદલી મહીસાગરથી કચ્છના છેવાડે કરી દેવામાં આવી છે. 


આસારામની આરતી ઉતારાતો વીડિયો થયો હતો વાયરલ 

એક તરફ લોકો 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ અનેક શાળામાં તે દિવસે માતૃ પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અનેક શાળાઓમાં બાળકો દ્વારા માતા પિતાની પૂજા કરવામાં આવી હતી. ત્યારે મહિસાગરથી ઉજવણીનો એક વીડિયો સામે આવ્યો હતો જેને કારણે વિવાદ સર્જાયો હતો. મહિસાગરની એક શાળામાં બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામની પૂજા કરવામાં આવી હતી. આસારામની આરતી ઉતારાતી હોય તેવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ખુરશી પર આસારામનો ફોટો હતો. તેમની પૂજા કરવામાં આવી હતી તે બાદ આરતી પણ ઉતારવામાં આવી હતી. તે ઉપરાંત બેનરમાં પણ આસારામનો ફોટો મૂકવામાં આવ્યો હતો.   

Controversy over worship of Asaram in yet another school in Mahisagar Mahisagar: મહીસાગરની વધુ એક શાળામાં બળાત્કારના આરોપી આસારામની પૂજા કરવામાં આવતા વિવાદ

શિક્ષકોની મહીસાગરથી કચ્છમાં કરાઈ બદલી  

વિવાદ વધતા તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ અને જામા પગીના મુવાડીની પ્રાથમીક શાળાના આચાર્ય-શિક્ષકોને તપાસમાં દોષિત ઠેરાવ્યા હતા. દોષિત તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ બિપિન પટેલ તેમજ જામા પગીના મુવાડા પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકોને આ મામલામાં કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. આ અંગે તાલુકા શિક્ષણ અધિકારીએ ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીને રિપોર્ટ સોંપ્યો હતો. આ મામલે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. જામાપગીના મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદિપકુમાર પટેલ, મધુબેન પગી, ગીતાબેન પટેલ, અંકિત પંડ્યા અને બિપીન પટેલની બદલી કચ્છ જિલ્લામાં કરવામાં આવી છે. સાથે જ બાકી રહેલા શિક્ષકો સામે પણ પગલા લેવા જણાવામાં આવ્યું છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.