મણિપુરમાં બનેલી ઘટનામાં કરાઈ કાર્યવાહી, ઘટના જૂની હતી પરંતુ શા માટે કાર્યવાહી કરવામાં લેવાયા આટલા મહિના?


  • Published By :
  • Published Date : 2023-07-21 12:32:27

આપણે એવા દેશમાં રહીએ જ્યાં મહિલાને શક્તિનું રૂપ માનવામાં આવે છે. આપણે તો દેશ પાછળ પર માતા લખીએ છીએ. જ્યારે આપણે આપણા દેશનું નામ લઈએ છીએ તો તેની પાછળ માતા બોલીએ છીએ. દેશને માતાનો દરજ્જો આપીએ છીએ. પરંતુ મહિલાઓ પર થતા અત્યાચારને જોઈ મહિલાઓ તો પીડામાં મૂકાતી હોય છે પરંતુ હવે વધતા ગુન્હાઓને જોઈને તો ભારત માતાને પણ દુખ થતું હશે...

ચાર આરોપીઓની કરાઈ ધરપકડ 

માનવતા શર્મસાર થતી હોય તેવી ઘટનાઓ આપણી સામે આવી રહી છે. મણિપુરથી જે ઘટના સામે આવી  છે તેણે દેશના લોકોને હચમચાવી નાખ્યા છે. બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી ફેરવવામાં આવી રહી છે. આ ઘટના ભલે થોડા સમય પહેલાની હોય પરંતુ આ સમગ્ર મામલો હવે સામે આવ્યો છે. ઈન્ટરનેટ સેવા બંધ હોવાને કારણે આ વીડિયો બીજા લોકો સુધી પહોંચ્યો ન હતો પરંતુ આ વાતની જાણ મુખ્યમંત્રી પાસે તો હોય જ ને? આ મામલે ફરિયાદ પણ ઘણા સમય પહેલા કરી દેવામાં આવી હતી પરંતુ જ્યારે લોકોનું તેમજ મીડિયાનું પ્રેશર આવ્યું તે બાદ કાર્યવાહી કરવામાં આવી. આ મામલે હવે આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. હજી સુધી આ ઘટનામાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. 

પ્રધાનમંત્રીએ આ ઘટના પર આપી પ્રતિક્રિયા

મણિપુરથી જે વીડિયો સામે આવ્યો તેને જોઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ઝઘડામાં કોઈ માણસ, કોઈ જાતિ આટલી નીચ હરકત કરવા પર આવી જશે તો કયા મોઢે આપણે આપણા બાળકોને સમાજ વિશે વાતો કરીશું? સમાજને આપણે ક્યાં લઈ જઈ રહ્યા છીએ. જ્યાં મહિલાનું સન્માન થવું જોઈએ ત્યાં તો મહિલા અત્યાચારનો ભોગ બની રહી છે. મણિપુરના વીડિયો અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી હતી. તેમનું દિલ વ્યાકુળ થઈ ઉઠ્યું હતું. આ મામલે હજી સુધી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 


આરોપીને પકડવામાં શા માટે કરાઈ આટલી વાર? 

આ ઘટના બાદ મણિપુરના મુખ્યમંત્રીની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. પોતાના નિવેદનમાં તે કહી રહ્યા છે કે તમને એક કેસ દેખાય છે, અહીં આવી 100 ઘટનાઓ બની છે. જ્યારે મુખ્યમંત્રીને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ ઘટના દુનિયા સમક્ષ તો આજે ઉજાગર થઈ પરંતુ મણિપુરના પોલીસને ત્યાંના અધિકારીઓને, મુખ્યમંત્રીને તો જાણ હોવી જ જોઈએને. પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આટલા મહિનાઓની રાહ શા માટે જોવાઈ?  શું વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી? મુખ્યમંત્રીને થતી હિંસાની ખબર હોય પરંતુ શા માટે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી? 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.