મણિપુરમાં બનેલી ઘટનામાં કરાઈ કાર્યવાહી, ઘટના જૂની હતી પરંતુ શા માટે કાર્યવાહી કરવામાં લેવાયા આટલા મહિના?


  • Published By :
  • Published Date : 2023-07-21 12:32:27

આપણે એવા દેશમાં રહીએ જ્યાં મહિલાને શક્તિનું રૂપ માનવામાં આવે છે. આપણે તો દેશ પાછળ પર માતા લખીએ છીએ. જ્યારે આપણે આપણા દેશનું નામ લઈએ છીએ તો તેની પાછળ માતા બોલીએ છીએ. દેશને માતાનો દરજ્જો આપીએ છીએ. પરંતુ મહિલાઓ પર થતા અત્યાચારને જોઈ મહિલાઓ તો પીડામાં મૂકાતી હોય છે પરંતુ હવે વધતા ગુન્હાઓને જોઈને તો ભારત માતાને પણ દુખ થતું હશે...

ચાર આરોપીઓની કરાઈ ધરપકડ 

માનવતા શર્મસાર થતી હોય તેવી ઘટનાઓ આપણી સામે આવી રહી છે. મણિપુરથી જે ઘટના સામે આવી  છે તેણે દેશના લોકોને હચમચાવી નાખ્યા છે. બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી ફેરવવામાં આવી રહી છે. આ ઘટના ભલે થોડા સમય પહેલાની હોય પરંતુ આ સમગ્ર મામલો હવે સામે આવ્યો છે. ઈન્ટરનેટ સેવા બંધ હોવાને કારણે આ વીડિયો બીજા લોકો સુધી પહોંચ્યો ન હતો પરંતુ આ વાતની જાણ મુખ્યમંત્રી પાસે તો હોય જ ને? આ મામલે ફરિયાદ પણ ઘણા સમય પહેલા કરી દેવામાં આવી હતી પરંતુ જ્યારે લોકોનું તેમજ મીડિયાનું પ્રેશર આવ્યું તે બાદ કાર્યવાહી કરવામાં આવી. આ મામલે હવે આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. હજી સુધી આ ઘટનામાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. 

પ્રધાનમંત્રીએ આ ઘટના પર આપી પ્રતિક્રિયા

મણિપુરથી જે વીડિયો સામે આવ્યો તેને જોઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ઝઘડામાં કોઈ માણસ, કોઈ જાતિ આટલી નીચ હરકત કરવા પર આવી જશે તો કયા મોઢે આપણે આપણા બાળકોને સમાજ વિશે વાતો કરીશું? સમાજને આપણે ક્યાં લઈ જઈ રહ્યા છીએ. જ્યાં મહિલાનું સન્માન થવું જોઈએ ત્યાં તો મહિલા અત્યાચારનો ભોગ બની રહી છે. મણિપુરના વીડિયો અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી હતી. તેમનું દિલ વ્યાકુળ થઈ ઉઠ્યું હતું. આ મામલે હજી સુધી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 


આરોપીને પકડવામાં શા માટે કરાઈ આટલી વાર? 

આ ઘટના બાદ મણિપુરના મુખ્યમંત્રીની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. પોતાના નિવેદનમાં તે કહી રહ્યા છે કે તમને એક કેસ દેખાય છે, અહીં આવી 100 ઘટનાઓ બની છે. જ્યારે મુખ્યમંત્રીને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ ઘટના દુનિયા સમક્ષ તો આજે ઉજાગર થઈ પરંતુ મણિપુરના પોલીસને ત્યાંના અધિકારીઓને, મુખ્યમંત્રીને તો જાણ હોવી જ જોઈએને. પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આટલા મહિનાઓની રાહ શા માટે જોવાઈ?  શું વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી? મુખ્યમંત્રીને થતી હિંસાની ખબર હોય પરંતુ શા માટે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી? 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.