મણિપુરમાં બનેલી ઘટનામાં કરાઈ કાર્યવાહી, ઘટના જૂની હતી પરંતુ શા માટે કાર્યવાહી કરવામાં લેવાયા આટલા મહિના?


  • Published By :
  • Published Date : 2023-07-21 12:32:27

આપણે એવા દેશમાં રહીએ જ્યાં મહિલાને શક્તિનું રૂપ માનવામાં આવે છે. આપણે તો દેશ પાછળ પર માતા લખીએ છીએ. જ્યારે આપણે આપણા દેશનું નામ લઈએ છીએ તો તેની પાછળ માતા બોલીએ છીએ. દેશને માતાનો દરજ્જો આપીએ છીએ. પરંતુ મહિલાઓ પર થતા અત્યાચારને જોઈ મહિલાઓ તો પીડામાં મૂકાતી હોય છે પરંતુ હવે વધતા ગુન્હાઓને જોઈને તો ભારત માતાને પણ દુખ થતું હશે...

ચાર આરોપીઓની કરાઈ ધરપકડ 

માનવતા શર્મસાર થતી હોય તેવી ઘટનાઓ આપણી સામે આવી રહી છે. મણિપુરથી જે ઘટના સામે આવી  છે તેણે દેશના લોકોને હચમચાવી નાખ્યા છે. બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી ફેરવવામાં આવી રહી છે. આ ઘટના ભલે થોડા સમય પહેલાની હોય પરંતુ આ સમગ્ર મામલો હવે સામે આવ્યો છે. ઈન્ટરનેટ સેવા બંધ હોવાને કારણે આ વીડિયો બીજા લોકો સુધી પહોંચ્યો ન હતો પરંતુ આ વાતની જાણ મુખ્યમંત્રી પાસે તો હોય જ ને? આ મામલે ફરિયાદ પણ ઘણા સમય પહેલા કરી દેવામાં આવી હતી પરંતુ જ્યારે લોકોનું તેમજ મીડિયાનું પ્રેશર આવ્યું તે બાદ કાર્યવાહી કરવામાં આવી. આ મામલે હવે આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. હજી સુધી આ ઘટનામાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. 

પ્રધાનમંત્રીએ આ ઘટના પર આપી પ્રતિક્રિયા

મણિપુરથી જે વીડિયો સામે આવ્યો તેને જોઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ઝઘડામાં કોઈ માણસ, કોઈ જાતિ આટલી નીચ હરકત કરવા પર આવી જશે તો કયા મોઢે આપણે આપણા બાળકોને સમાજ વિશે વાતો કરીશું? સમાજને આપણે ક્યાં લઈ જઈ રહ્યા છીએ. જ્યાં મહિલાનું સન્માન થવું જોઈએ ત્યાં તો મહિલા અત્યાચારનો ભોગ બની રહી છે. મણિપુરના વીડિયો અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી હતી. તેમનું દિલ વ્યાકુળ થઈ ઉઠ્યું હતું. આ મામલે હજી સુધી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 


આરોપીને પકડવામાં શા માટે કરાઈ આટલી વાર? 

આ ઘટના બાદ મણિપુરના મુખ્યમંત્રીની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. પોતાના નિવેદનમાં તે કહી રહ્યા છે કે તમને એક કેસ દેખાય છે, અહીં આવી 100 ઘટનાઓ બની છે. જ્યારે મુખ્યમંત્રીને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ ઘટના દુનિયા સમક્ષ તો આજે ઉજાગર થઈ પરંતુ મણિપુરના પોલીસને ત્યાંના અધિકારીઓને, મુખ્યમંત્રીને તો જાણ હોવી જ જોઈએને. પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આટલા મહિનાઓની રાહ શા માટે જોવાઈ?  શું વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી? મુખ્યમંત્રીને થતી હિંસાની ખબર હોય પરંતુ શા માટે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી? 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .