Ahmedabadમાં ચાલતી Dummy School વિરૂદ્ધ કરાશે કાર્યવાહી, વિદ્યાર્થીઓને નામ પૂરતો જ પ્રવેશ આપતી શાળાઓની હવે ખેર નહીં!


  • Published By :
  • Published Date : 2023-08-02 13:24:09

થોડા સમય પહેલા આપણે સાંભળ્યું હતું કે સ્પાર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવ્યા હતા. આખી વાતનો ઘટસ્ફોટ થયો હતો ત્યારે હવે બીજું એક કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદમાં ડમી સ્કૂલો તેમજ નામ પૂરતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની વાત સામે આવતા તંત્ર તેમજ શિક્ષણ વિભાગ સતર્ક થઈ ગયું છે. અનેક એવી શાળાઓ છે જ્યાં માત્ર વિદ્યાર્થીઓની સંખ્યા બતાવવા માટે જ પ્રવેશ આપવામાં આવતો હોય તેવી વાત સામે આવી છે. શાળામાં હાજરી આપવાની બદલીમાં વિદ્યાર્થીઓ ખાનગી ટ્યુશન ક્લાસીસમાં ઉપસ્થિત હોય છે. ખાનગી ટ્યુશન કલાસિસોની સંખ્યામાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ડમી વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી શાળાઓ પર નિયંત્રણ લાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરાયો છે. 

       

પરીક્ષા આપી શકે તે માટે વિદ્યાર્થીઓ લેતા હોય છે શાળામાં પ્રવેશ!

પોતાના સંતાનને સારૂં શિક્ષણ મળે તે માટે માતા પિતાઓ સારી શાળામાં તેમનો પ્રવેશ કરાવે છે. વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય બને તેવી તેમની આશા હોય છે. પરંતુ તેમના બાળકને સારા માર્ક્સ આવે તે માટે શાળાની સાથે સાથે તેમને કોચિંગ સેંટરમાં પણ ભણવા માટે મૂકે છે. અમદાવાદમાં મોટી સંખ્યામાં ટ્યુશન ક્લાસીસ અથવા કોચિંગ ક્લાસીસ છે જે શાળાઓ જેટલી મોંઘી ફી લેતા હોય છે. ત્યારે બાળક ટ્યુશનમાં ટ્રેનિંગ લે છે અને પરીક્ષા માટે શાળામાં માત્ર નામ પૂરતું એડમિશન લે છે.. શાળાના સમય દરમિયાન અનેક કોચિંગ ક્લાસ ચાલતા હોય છે જેને લઈ વિદ્યાર્થીઓ શાળામાં ન જઈ ટ્યુશન ક્લાસમાં ભણતા હોય છે. જેને લઈ શાળાનું નામ ખરાબ થાય છે. અનેક શાળાઓ એવી છે જેનું બોર્ડનું પરિણામ ઓછું આવ્યું છે.

 

જિલ્લા શિક્ષણાધિકારીએ કાર્યવાહી કરવા આપ્યા આદેશ 

આ મામલે હવે કડક રીતે પગલા લેવાશે તેવી વાત સામે આવી છે. ડમી સ્કૂલો વિરૂદ્ધ પગલાં લેવા રણનીતિ બનાવવામાં આવી રહી છે. જિલ્લા શિક્ષણ અધિકારી આ મામલે એકદમ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. શિક્ષણાધિકારીઓને ડમી સ્કૂલોમાં સરપ્રાઈઝ વિઝીટ કરવા સૂચના આપી દેવામાં આવી છે. આ વિઝીટ દરમિયાન જો કોઈ સ્કૂલ ડમી નીકળે અથવા તો કોઈ વિદ્યાર્થી ડમી નિકળે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે ડમી સ્કૂલો ચાલતી હોવાની વાત સામે આવતા આગામી દિવસોમાં અલગ અલગ ટીમ બનાવવામાં આવશે અને સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવશે. અને જો શાળા હકીકતમાં ડમી હશે તો સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 


ડમી શાળાઓ વિરૂદ્ધ થવી જોઈએ કાર્યવાહી 

મહત્વનું છે કે સ્કૂલ કરતા પણ વિદ્યાર્થીઓમાં ટ્યુશનનો ક્રેઝ વધુ જોવા મળે છે. એક કોમ્પિટિશન જેવું વિદ્યાર્થીઓમાં જોવા મળે છે કે હું તો આ કોચિંગ ક્લાસથી કોચિંગ લઉં છું, વગેરે વગેરે... સ્કૂલ કરતા વધારે ધ્યાન વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસ પર આપી રહ્યા છે. મહત્વનું છે કે આવી ડમી શાળાઓ વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઈએ.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે