Ahmedabadમાં ચાલતી Dummy School વિરૂદ્ધ કરાશે કાર્યવાહી, વિદ્યાર્થીઓને નામ પૂરતો જ પ્રવેશ આપતી શાળાઓની હવે ખેર નહીં!


  • Published By :
  • Published Date : 2023-08-02 13:24:09

થોડા સમય પહેલા આપણે સાંભળ્યું હતું કે સ્પાર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવ્યા હતા. આખી વાતનો ઘટસ્ફોટ થયો હતો ત્યારે હવે બીજું એક કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદમાં ડમી સ્કૂલો તેમજ નામ પૂરતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની વાત સામે આવતા તંત્ર તેમજ શિક્ષણ વિભાગ સતર્ક થઈ ગયું છે. અનેક એવી શાળાઓ છે જ્યાં માત્ર વિદ્યાર્થીઓની સંખ્યા બતાવવા માટે જ પ્રવેશ આપવામાં આવતો હોય તેવી વાત સામે આવી છે. શાળામાં હાજરી આપવાની બદલીમાં વિદ્યાર્થીઓ ખાનગી ટ્યુશન ક્લાસીસમાં ઉપસ્થિત હોય છે. ખાનગી ટ્યુશન કલાસિસોની સંખ્યામાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ડમી વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી શાળાઓ પર નિયંત્રણ લાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરાયો છે. 

       

પરીક્ષા આપી શકે તે માટે વિદ્યાર્થીઓ લેતા હોય છે શાળામાં પ્રવેશ!

પોતાના સંતાનને સારૂં શિક્ષણ મળે તે માટે માતા પિતાઓ સારી શાળામાં તેમનો પ્રવેશ કરાવે છે. વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય બને તેવી તેમની આશા હોય છે. પરંતુ તેમના બાળકને સારા માર્ક્સ આવે તે માટે શાળાની સાથે સાથે તેમને કોચિંગ સેંટરમાં પણ ભણવા માટે મૂકે છે. અમદાવાદમાં મોટી સંખ્યામાં ટ્યુશન ક્લાસીસ અથવા કોચિંગ ક્લાસીસ છે જે શાળાઓ જેટલી મોંઘી ફી લેતા હોય છે. ત્યારે બાળક ટ્યુશનમાં ટ્રેનિંગ લે છે અને પરીક્ષા માટે શાળામાં માત્ર નામ પૂરતું એડમિશન લે છે.. શાળાના સમય દરમિયાન અનેક કોચિંગ ક્લાસ ચાલતા હોય છે જેને લઈ વિદ્યાર્થીઓ શાળામાં ન જઈ ટ્યુશન ક્લાસમાં ભણતા હોય છે. જેને લઈ શાળાનું નામ ખરાબ થાય છે. અનેક શાળાઓ એવી છે જેનું બોર્ડનું પરિણામ ઓછું આવ્યું છે.

 

જિલ્લા શિક્ષણાધિકારીએ કાર્યવાહી કરવા આપ્યા આદેશ 

આ મામલે હવે કડક રીતે પગલા લેવાશે તેવી વાત સામે આવી છે. ડમી સ્કૂલો વિરૂદ્ધ પગલાં લેવા રણનીતિ બનાવવામાં આવી રહી છે. જિલ્લા શિક્ષણ અધિકારી આ મામલે એકદમ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. શિક્ષણાધિકારીઓને ડમી સ્કૂલોમાં સરપ્રાઈઝ વિઝીટ કરવા સૂચના આપી દેવામાં આવી છે. આ વિઝીટ દરમિયાન જો કોઈ સ્કૂલ ડમી નીકળે અથવા તો કોઈ વિદ્યાર્થી ડમી નિકળે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે ડમી સ્કૂલો ચાલતી હોવાની વાત સામે આવતા આગામી દિવસોમાં અલગ અલગ ટીમ બનાવવામાં આવશે અને સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવશે. અને જો શાળા હકીકતમાં ડમી હશે તો સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 


ડમી શાળાઓ વિરૂદ્ધ થવી જોઈએ કાર્યવાહી 

મહત્વનું છે કે સ્કૂલ કરતા પણ વિદ્યાર્થીઓમાં ટ્યુશનનો ક્રેઝ વધુ જોવા મળે છે. એક કોમ્પિટિશન જેવું વિદ્યાર્થીઓમાં જોવા મળે છે કે હું તો આ કોચિંગ ક્લાસથી કોચિંગ લઉં છું, વગેરે વગેરે... સ્કૂલ કરતા વધારે ધ્યાન વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસ પર આપી રહ્યા છે. મહત્વનું છે કે આવી ડમી શાળાઓ વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઈએ.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.