વિજયે કેમ તેના ધારાસભ્યોને રિસોર્ટમાં મોકલ્યા?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-05-06 21:08:42

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે. 

Vijay meets governor, stakes claim to form government with Congress support  Follow live updates ????

એક તરફ સમગ્ર દેશની નજર તમિલનાડુ પર છે કેમ કે , અભિનેતામાંથી નેતા બનેલા વિજયે ખુબ ટૂંકા સમયમાં રાજકીય સફળતા હાંસિલ કરી લીધી છે. વિજયની પાર્ટી TVKને ૧૦૮ બેઠકો પર જનાદેશ મળ્યો છે. આ પછી તેમને કોંગ્રેસના ૫ ધારાસભ્યોનો પણ ટેકો મળ્યો છે. ત્યારબાદ વિજયે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી હતી. પરંતુ , વિજય પાસે પૂરતો બહુમત ન હતો , આ કારણે , રાજ્યપાલ રાજેન્દ્ર આરલેકરએ તેમને ૧૧૮ જેટલા મેજીક ફિગરના ધારાસભ્યોના હસ્તાક્ષર લાવવાનું કહ્યું છે. હવે , રાજ્યમાં ત્રીજા નંબરે આવેલી પાર્ટી AIADMK ને 47 બેઠકો પ્રાપ્ત થઇ હતી. AIADMKના ડેપ્યુટી ડિરેક્ટર કે પી મૂનુસામી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , તેઓ વિજયને સમર્થન નઈ આપે. 

આ કારણે હવે પેચ ફસાયેલો છે. કોંગ્રેસ દ્વારા વિજયની પાર્ટી TVKને સમર્થન આપવાની જાહેરાત કરવામાં આવી હતી . પરંતુ કોંગ્રેસ પાસે માત્ર ૫ જ ધારાસભ્યો છે.  હવે , વિજય દ્વારા સાવચેતીના ભાગરૂપે , પોતાની પાર્ટીના ૧૦૮ MLAને તમિલનાડુના મામલ્લાપુરમના પ્રાઇવેટ લક્ઝુરિયસ રિસોર્ટમાં મોકલવાનો નિર્ણય લીધો છે. આ માટે , ૫૦ જેટલા ૪ સ્ટાર હોટલ પુન્જેરી ખાતે પહોંચી ગયા છે. બાકીના ધીરે ધીરે પહોંચી રહ્યા છે. આમ વિજયને ડર છે કોઈપણ પ્રકારના હોર્સ ટ્રેડિંગના કારણે તેમને નુકશાન થઇ શકે છે. 




એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.