વિજયે કેમ તેના ધારાસભ્યોને રિસોર્ટમાં મોકલ્યા?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-05-06 21:08:42

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે. 

Vijay meets governor, stakes claim to form government with Congress support  Follow live updates ????

એક તરફ સમગ્ર દેશની નજર તમિલનાડુ પર છે કેમ કે , અભિનેતામાંથી નેતા બનેલા વિજયે ખુબ ટૂંકા સમયમાં રાજકીય સફળતા હાંસિલ કરી લીધી છે. વિજયની પાર્ટી TVKને ૧૦૮ બેઠકો પર જનાદેશ મળ્યો છે. આ પછી તેમને કોંગ્રેસના ૫ ધારાસભ્યોનો પણ ટેકો મળ્યો છે. ત્યારબાદ વિજયે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી હતી. પરંતુ , વિજય પાસે પૂરતો બહુમત ન હતો , આ કારણે , રાજ્યપાલ રાજેન્દ્ર આરલેકરએ તેમને ૧૧૮ જેટલા મેજીક ફિગરના ધારાસભ્યોના હસ્તાક્ષર લાવવાનું કહ્યું છે. હવે , રાજ્યમાં ત્રીજા નંબરે આવેલી પાર્ટી AIADMK ને 47 બેઠકો પ્રાપ્ત થઇ હતી. AIADMKના ડેપ્યુટી ડિરેક્ટર કે પી મૂનુસામી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , તેઓ વિજયને સમર્થન નઈ આપે. 

આ કારણે હવે પેચ ફસાયેલો છે. કોંગ્રેસ દ્વારા વિજયની પાર્ટી TVKને સમર્થન આપવાની જાહેરાત કરવામાં આવી હતી . પરંતુ કોંગ્રેસ પાસે માત્ર ૫ જ ધારાસભ્યો છે.  હવે , વિજય દ્વારા સાવચેતીના ભાગરૂપે , પોતાની પાર્ટીના ૧૦૮ MLAને તમિલનાડુના મામલ્લાપુરમના પ્રાઇવેટ લક્ઝુરિયસ રિસોર્ટમાં મોકલવાનો નિર્ણય લીધો છે. આ માટે , ૫૦ જેટલા ૪ સ્ટાર હોટલ પુન્જેરી ખાતે પહોંચી ગયા છે. બાકીના ધીરે ધીરે પહોંચી રહ્યા છે. આમ વિજયને ડર છે કોઈપણ પ્રકારના હોર્સ ટ્રેડિંગના કારણે તેમને નુકશાન થઇ શકે છે. 




એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.