અદાણી ગ્રુપના હાલ-બેહાલ, કંપનીઓના શેર 80 ટકા સુધી તુટ્યા, અમીરોના લિસ્ટમાં 33માં ક્રમે પહોંચ્યા


  • Published By :
  • Published Date : 2023-02-26 17:35:10

અમેરિકાની શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચની રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપને જોરદાર ફટકો લાગ્યો છે. આ રિપોર્ટ આવ્યાને 1 મહિના જેટલો સમય થઈ ગયો છે. આ એક મહિનામાં તો અદાણી ગ્રુપની કંપનીઓના હાલ-બેહાલ થઈ ગયા છે. અદાણી ગ્રુપની કંપનીઓનું માર્કેટ કેપ 80 ટકા સુધી તુટી ગયું છે. હિંડનબર્ગે તેની રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર છેતરપિંડી અને સ્ટોક મેનિપ્યૂલેશનનો આરોપ લગાવ્યો હતો. તે ઉપરાંત ગૌતમ અદાણીની કંપનીઓના શેરો 85 ટકા જેટલા ઓવરવેલ્યુડ છે તે બાબતનો પણ ઘટસ્ફોટ કર્યો હતો.


અદાણી ગ્રુપના શેર 80% ઘટ્યા


હિંડનબર્ગની રિપોર્ટ બાદ એક મહિનામાં અદાણી ગ્રુપના શેરમાં 80% ઘટાડો થયો છે. અદાણી ટોટલ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જીના શેરમાં સૌથી મોટો ઘટાડો થયો છે. આ શેરમાં સતત નીચા સર્કિટ હોય છે. આમાં 80 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.


અમીરોના ટોપ-25ના લિસ્ટમાંથી ફેંકાયા


હિંડનબર્ગ રિપોર્ટ બાદ રોકાણકારોમાં હડકંપ મચી ગયો છે. રિપોર્ટ આવ્યાને એક મહિનો વિતી ગયો હોવા છતાં હજું પણ અદાણી ગ્રુપના શેરો સતત  તુટી જ રહ્યા છે. કેશ સેગમેન્ટના શેરોમાં દરરોજ મંદીની સર્કિટો લાગી રહી છે. હાલ સ્થિતી એવી સર્જાઈ છે કે ગૌતમ અદાણી અમીરોની ફોર્બ્સ રિયલ ટાઈમ લિસ્ટમાં ટોપ 33માં ક્રમે પહોંચી ગયા છે. 


SEBIએ પણ માગ્યો જવાબ


માર્કેટ રેગ્યુલેટર SEBIએ અદાણી ગ્રુપ કંપનીઓના રેટિંગ પર રેટિંગ એજન્સી પાસેથી માહિતી માંગી છે. આ અંતર્ગત, સ્થાનિક લોન અને સિક્યોરિટીઝના રેટિંગ અંગે વિગતો માંગવામાં આવી છે. કારણ કે ભારે ઘટાડો અદાણી શેરોમાં પ્રવાહિતા અને લોનની ચુકવણીને અસર કરી શકે છે.


રેટિંગ એજન્સીઓ પાસેથી વિગતો માંગવાનું મુખ્ય કારણ કંપનીઓ પર રેટિંગ્સમાં કોઈ ફેરફાર ન હોવાનું માનવામાં આવે છે. કારણ કે અદાણી ગ્રુપના શેરમાં આટલો મોટો ઘટાડો થયો હોવા છતાં, ભારતની કોઈ રેટિંગ એજન્સીએ રેટિંગ્સ અથવા આઉટલુકમાં ફેરફાર કર્યા નથી. શેરના ભાવમાં અચાનક ઘટાડોએ મટેરિયલ ઈવેન્ટ હોય છે, જે રેટિંગ એજન્સી ફેક્ટર કરે છે. પરંતુ તેનાથી ઉલટું, સ્થાનિક રેટિંગ એજન્સીઓએ અદાણીની કંપનીઓના રેટિંગ્સમાં કોઈ ફેરફાર કર્યો ન નથી.


મૂડિઝે રેટિંગ ઘટાડ્યું


દેશની રેટિંગ એજન્સીઓએ અદાણી ગ્રુપના રેટિંગમાં ભલે કોઈ ફેરફાર ન કર્યો હોય પણ અમેરિકાની જાણીતી રેટિંગ્સ એજન્સી મૂડીઝે અદાણી ગ્રુપની કંપનીઓના આઉટલુકમાં ઘટાડો કર્યો છે. મૂડિઝનું અનુમાન છે કે આગામી 2 વર્ષમાં ગૌતમ અદાણીની ડેટ મેચ્યુરિટી પૂરી થવાની છે, મૂડીઝે કહ્યું કે વ્યાજ દરો વધવાના કારણે અદાણી ગ્રુપની કંપનીઓ પર વ્યાજનું ભારણ વધશે તેના કારણે તેના બિઝનેશ પર વિપરીત અસર પડશે. 


શાખ બચાવવાનો સવાલ


અદાણી ગ્રુપ પર શાખનો સવાલ ઉભો થયો છે, અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં લોકોનો ભરોસો ફરીથી જીતવા માટે અદાણી ગ્રુપ એશિયાના કેટલાક દેશોમાં રોડ શો આયોજીત કરશે. અદાણી ગ્રુપ 27 ફેબ્રુઆરીએ સોમવારે સિંગાપુરમાં જ્યારે 28 માર્ચથી હોંગકોંગમાં રોડ શો કરશે. આ માટે બાર્કલેઝ પીએલસી, બીએનપી પરીબા એસએ, ડીબીએસ બેંક લિમિટેડ, ડોઈચે બેંક એજી, અમીરાત એનબીડી કેપિટલ, આઈએનજી, આઇએમઆઈ-ઇન્ટેન્સા સાનપોલો એસપીએ, એમયુએફજી, મિઝુહો, એસએમબીસી નિક્કો અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકને આ રોડ શો માટે સંભવિત રોકાણકારો માટે આમંત્રણો મોકલ્યા છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.